Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 361
________________ ૩૫ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ એમનાં સંતાનો રહેતાં હતાં. વિધવા માતાનું નામ લલિતાબહેન અને પુત્રવધૂનું નામ માયાબહેન. આ સાસુવહુ વચ્ચે રોજ વાયુદ્ધ થતું. એમાં એકબીજાની કે પડોશીઓની જરા પણ શરમ નહિ. સાસુ પૂરેપૂરું સાસુપણું ભજવે અને વહુ ધડાધડ સામા જવાબ આપે. એક દિવસ સવારે લલિમા (અમે બધાં એ નામથી બોલાવતાં) માધવબાગમાં લક્ષ્મીનારાયણનાં દર્શન કરવાં રોજની જેમ ગયાં. તે વખતે મંદિરનાં પગથિયાં ચડતાં લલિમાનો પગ લપસ્યો અને જમણા પગે ફ્રેશ્ચર થયું. તેમને ઉપાડીને ઘરે લાવવામાં આવ્યાં. હવે ઘરે તેમની ચાકરી કરવાની જવાબદારી વહુના માથે આવી. વહુ જબરી અને બેધડક બેશરમ રીતે બોલવાવાળી હતી. તે ચાલી વચ્ચે ઊભી રહીને મોટેથી બોલી “ડોશી પડી તેથી મારે ચાકરી કરવાનો વારો આવ્યો. તેના કરતાં તે મરી ગઈ હોત તો સારું હતું. લાચાર લલિમા આ સાંભળે, સહન કરી લે અને વહુને ગાળો અને શાપ પણ આપે. સાસુનું કામ કરતાં વહુ રોજ બબડતી, “જોને ડોશી મારો કેડો છોડતી નથી. હવે મરે તો સારું.” છ મહિના સુધી આ રીતે રોજ ગાળાગાળી અને કંકાસ ચાલ્યો. અને લલિમાં ગુજરી ગયા. ઘરમાં શાંતિ થઈ. વહુ પણ રોજની જેમ માધવબાગમાં દર્શન કરવા જતી. ત્યાર પછી એકાદ વર્ષ પસાર થયું. એક દિવસ વહુ માધવબાગમાં દર્શન કરવા ગઈ ત્યારે જે પગથિયા પરથી સાસુનો પગ લપસ્યો હતો બરાબર એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368