Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 348
________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩ ૩૯ જ્યાં સુધી એમને પરીષહનો સ્પર્શ થયો નથી.] નવદીક્ષિત મુનિને ગોચરી વહોરવાનો હજુ બરાબર અનુભવ થયો નથી. ગોચરી વહોરવામાં શું અઘરું છે ? આવો પ્રશ્ન કોઇકને થાય. પણ બીજા પાસે આહારાદિ માગવા માટે નીકળનારની ઘણી કસોટી થાય છે. મોટા શહેરોમાં તો ઘણા ભક્તો હોય છે, પણ નાના ગામડાંઓમાં મધ્યમ વર્ગના લોકોને ત્યાં ગોચરી વહોરવામાં ઘણા પૈર્યની અપેક્ષા રહે છે. એટલા માટે યાચનાને પરીષહ તરીકે ઓળખાવવામાં આવી છે. ભિક્ષા માગનાર કોઈપણ ધર્મના નવા નવા યાચકનાં લક્ષણો નીચેના શ્લોકમાં આબેહૂબ વર્ણવાયાં છે. કહ્યું છે : खिज्जइ मुखलावण्यं वाया घोलेइ कंठमज्झंमि । कहकहकहेइ हिययं देहित्ति परं भणंतस्स ॥ गति भ्रंशो मुखे दैन्यं गात्रस्वेदो विवर्णता । मरणे यानि चिह्नानि तानि चिह्नानि याचके ॥ [મુખનું લાવણ્ય ઓછું થવું, વાચા ગળામાં જ ઘૂંટાય, એટલે કે સ્પષ્ટ અવાજ બહાર ન નીકળે, હૃદયના ધબકારા વધી જાય–“મને આપો” એવું બોલનાર-યાચકનાં આ લક્ષણો છે. પગનું લથડાવું, ચહેરા પરદીનતા છવાઈ જાય, શરીરે પરસેવો વળે, શરીર ફિદું થઈ જાય–આમ મૃત્યુ વખતે જેવાં ચિહ્નો જોવા મળે તેવાં ચિહુનો યાચકના શરીરમાં જોવા મળે છે.] આ વર્ણનમાં થોડી અતિશયોક્તિ હોય તો પણ યાચકના મનોભાવ તેમાં જોઈ શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368