Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 335
________________ कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए। ફિશીલ વધારનાર સ્થાનોનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ) આ સંસાર ક્યારેય કુશીલથી-દુરાચારથી સર્વથા મુક્ત થઈ જાય એવું ક્યારેય થયું નથી અને થશે પણ નહિ. સંસારમાં અધર્મ, પાપ, દુરાચાર, વ્યસનો ઇત્યાદિ કાયમ રહેવાનાં. પુરાણો વાંચો, ઇતિહાસ વાંચો, દુરાચારથી, જુગાર વગેરે વ્યસનથી, પરસ્ત્રીગમન વગેરે પાપોથી મોટા મોટા માણસોનું પણ પતન થયું છે. માટે જ કુશીલવર્ધક સ્થાનથી દૂર રહેવાની ભલામણ છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને સાધુઓના આચાર વિશે ઊંડી ગવેષણા કરી છે અને સાધુઓ ગોચરી વહોરવા નીકળે ત્યારે શું શું લક્ષમાં રાખવું, ક્યાં ઊભા રહેવું, ક્યાં બેસવું વગેરે વિશે ભલામણ કરી છે. સાધુએ પોતાના વિશે કોઈને શંકા ન જાય એમ વર્તવું જોઇએ તથા શંકાશીલ સ્થાનોથી દૂર રહેવું જોઇએ. દસવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છેઃ अगुत्ती बंभचेरस्स इथिओ यावि संकणं । कुशील वड्ढणं ठाणं दूरओ परिवज्जए ।। ફિશીલવર્ધક સ્થાનથી બ્રહ્મચર્યની અગુપ્તિ થાય છે. (ગુપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368