Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 17
________________ ગાથા ગાથા (અનુષ્ટ્રપ) જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, ત્રિપુટી નિજ ભાવની, સ્વચ્છ એ આરસી મારી ડાઘા લુછી પ્રતિક્રમુ. (૩) અર્થાત : નિજ ભાવ” એટલે શુધ્ધ આત્મભાવ જે ફકત જ્ઞાન, દર્શન અને ચારિત્રયની શુદ્ધતાથીજ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ કષાયોના બળે તે અશુદ્ધ થયેલ હોવાથી તે કષાયો રૂપી ત્રુટીઓને દૂર કરી તે સ્વચ્છ આરસી રૂપ બને તેવી મારી મહેચ્છા છે. (વંશસ્થ) આલોચના આંખથી દોષ દેખીને, વિવેકથી નિંદન સર્વનું કરી; ગુણોની પંક્તિ ગ્રહી માત્ર ગૂંથીને, હૈયે જડું માળ કુબુદ્ધિથી તરી. (૪) અર્થાત : (કષાયો રૂપી ત્રુટીઓને દૂર કરવા) મારામાં શું શું દોષો છે. તેનું હું મારા મનઃચક્ષુ વડે નિરીક્ષણ કરીશ અને વિવેક બુદ્ધિ વાપરી શુધ્ધ બુદ્ધિ, સગુણોની માળા ગુંથી મારા હૈયે ધારણ કરીશ. નોધ : જ્ઞાન દર્શન અને ચારિત્ર્યને લાગેલા દોષો દૂર કરવા માટે પણ વિવેકની જરૂર રહે છે કારણકે એક જ ઝાટકે તેનું “નિંદન” થઈ શકતું નથી તે જાતનો ‘વિવેક' લાવવા માટે પ્રથમ જરૂર ‘કુબુદ્ધિ” થી તરી જઈ શુદ્ધ બુદ્ધિ કેળવવાની છે. (ઉપ જાતિ). પરિગ્રહોથી પ્રતિબંધ થાય, બંધાયે આરંભથી કર્મગ્રંથી, એ મોહતૃષ્ણા બીજવૃક્ષ કાય, ફળે કષાયો ભવચક્ર જેથી. (૫) અર્થાત : “પરિગ્રહ” એટલે શક્ય તેટલું એકઠું કરવાની વૃત્તિ ધારણા કરવાથી અનેક જાતના સમારંભો આદરીને હું કર્મગ્રંથીઓ બાંધુ છું. તેના બીજમાં મોહ અને તૃષ્ણા, પરિગ્રહોના બીજ રૂપ છે. જેમાંથી વિવિધ પ્રકારના કષાયો ઉત્પન્ન થાય છે. અને પરિણામે ભવચક્રના ફેરા ચાલ્યા કરે છે. ગાથા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44