Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 22
________________ રચનાનો એક ભાગ છે. તેથી તમામ જીવો પરસ્પરાવલંબી છે તેટલું જ નહિ પરંતુ તે તમામ આત્મવત છે. તેમાંનાં કોઈની પણ હિંસા તે મારી જ હિંસા છે. પરંતુ હું તો મારા અજ્ઞાનથી મારા જ અહમ્ માં બંધાએલ રહું છું, તેથી આ વિશ્વમયતાનો ખ્યાલ રાખી શકતો નથી. આ વિશ્વમયતાનાં ખ્યાલને સંતબાલજી "પ્રેરકબળ" કહે છે અને સાચું જ કહે છે કે જ્યાં સુધી આત્માની ખરી ઓળખવાળું આ પ્રેરકબળ માણસ પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી તેની કઠોરમાં કઠોર તપસ્યા પણ નકામી છે. કારણકે ત્યાં સુધી ““જીવને સ્વચ્છેદનું રાંઢવું એવું બંધાયું હોય છે કે તે ત્યાંને ત્યાંજ ફર્યા કરે છે - ધનને માટે, પુત્રને માટે, પ્રતિષ્ઠા માટે. પણ હું મારા વિકાસ માટે અને વિશ્વના વિકાસ માટે પણ કરૂ છું એવી પ્રેરણા આપનાર વિચાર નું બળ ના હોય ત્યાં સુધી એનાથી છુટાતું નથી.” આ ગાથામાં વર્ણવેલ દોષો રાગ દ્વેષમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી મૂળ ગાથામાં તે વિશે કહ્યું છે. “રાગેણવ દોએણવ, તું નિંદે તં વ ગરિહામી” આથી મુનિશ્રી કહે છે. ““મારા રસાસ્વાદને પોષવા અગર ક્રોધ, માન, માયા તથા લોભને વશ વર્તીને કે ઈન્દ્રિયોના સુખાર્થે હું તેના પર આક્રમણ કરી તેને પજવતો નથી ને ? દુભવતો નથી ને? એમ કરીને મારા આ તત્વને કે તે તત્વના સત્યરૂપ છકાયની રક્ષારૂપે વ્રતને મૂર્ખતાથી ગુમાવતો નથી ને ? ગાથા ગૃહસ્થ સાધકો માટે, પાંચ બોધ્યા, અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો બીજાં, ચાર શિક્ષાવ્રતો તથા. (૧૪) બારે વ્રતોથી સુપ્રતિત થયો હું, તોયે ક્ષતિ થે મુજ રાગ - દ્વેષથી, તે તે નિવારી ફરી હું ગતિ કરૂં, સજ્ઞાન ચારિત્ર્ય નિજાત્મ ભાવથી (૧૫) અથાર્ત : વિદ્વાન સંતોએ ગૃહસ્થ સાધકો માટે બાર વ્રતો નક્કી ક્ય (કે જેથી ગૃહસ્થાશ્રમમાંથી ઉત્પન્ન થતી ફરજો બરાબર બજાવી શકાય.) તે બાર વ્રતોમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત આવે છે તે તમામ હું જાણું છું, છતાં રાગ - દ્વેષથી દોરવાઈને મારાથી તેમાં ક્ષતિ થઈ છે તેથી મારા આત્મભાવમાં જાગૃત્તિ લાવી જ્ઞાન અને ચારિત્ર્યના બળે તે ક્ષતિઓ નિવારી હવે હું ગતિ કરીશ. ગાથા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44