Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 27
________________ ગાથા તેનું સ્વરૂપ પણ ચોરીનું જ છે તેમ સમજવું જોઈએ. તેઓ કહે છે કે : ““અદત્તાદાન વ્રતને આપણે વ્યવસાય મર્યાદારૂપ ગણતા હોવાથી કર્માદાન સાતમાં વ્રતમાં ગણવામાં આવે છે. .. વિશ્રુત, અગ્નિ, કોલસા વગેરેથી ચાલતા મહાયંત્રોની ભઠ્ઠીઓ સ્ફોટક પદાર્થો અણુભઠ્ઠીઓના મહારંભો જેમાં છે. તેનો ત્યાગ કરવો.” પાંચ પ્રકારના કર્મ દાનથી દૂર રહેવાની તેઓશ્રી સલાહ આપે છે. હાથીદાંત, ચામડાં, પીછા, ઝેરી કે કેફી પદાર્થ સંઘરવામાં આવે કે પેદા કરવામાં આવે તો સમાજને હાની થાય છે. તેઓ કહે છે -શ્રમજીવી અને સજજનોનું શોષણ થાય અને અન્યાય અનીતિ તથા સત્તા સંપતિની, પ્રતિષ્ઠા વધારી તેની પકડ મજબૂત કરે તેવા સામાજિક અન્યાય, અનીતિ અને શોષણ પોષક વ્યવસાયનો ત્યાગ કરવો જોઈએ.” સૌ વ્રત માંહે શિરછત્રરૂપ છે, સમુદ્ર-શું જ્યાં સરિતા બધી મળે, છે બ્રહ્મની મૂર્તિજ બ્રહ્મચર્ય એ સ્વભાવ સંજીવન તત્વ એજ છે. (૨૩) છે વિશ્વની સૌ વનિતા જનેતા, રગે રગે વત્સલતા ભરેલી, એ માતૃભાવો દગથી પીએ જે, ગૃહસ્થ તે સાધક બ્રહ્મચારી (૨૪) સ્વનારી મર્યાદિત બ્રહ્મચારી, હોયે ભલે તોય જ બ્રહ્મચારી, પરંતુ જો તે વૃત્તિ જ કામચારી તો બ્રહ્મચારી નહીં, બ્રહ્મચારી (૨૫-અ) સ્વનારી મર્યાદિત બ્રહ્મચારી, ગૃહસ્થ તે સાધક બ્રહ્મચારી જો બ્રહ્મચારી વૃત્તિ કામચારી તો બ્રહ્મચારી નહીં બ્રહ્મચારી (૨૫-બ) ગૃહસ્થો માટેના જે બાર વ્રતો નક્કી થયા છે. તેમાંથી આ ચોથું વ્રત (બ્રહ્મચર્યનું) શિરછત્રરૂપ છે. જેમ નદીઓ સમુદ્રમાં જઈ મળે છે. તેમ બાકીના તમામ વ્રતો આ વ્રતમાં ભળે છે. બ્રહ્મમાં ચર્ચા કરવી એટલે બ્રહ્મરૂપ થઈ જવું અને આત્મભાવ (સ્વભાવ) માં સ્થિત થવું, જીવનની તેજ ખરી સંજીવની છે. (૨૩) ખરો સાર્થક બ્રહ્મચારી તો એ છે કે જે જગત સમસ્તની નારી જાતિને માતા સમાન ગણે છે કે જેની રગે રગમાં વત્સલતા ભરી છે. (૨૪) અથાર્ત : ૨૧ I Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44