Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 37
________________ ભાવના. ગાથા ૪૧-૪૨-૪૩-૪૪-૪૫ નોધ : ઉપર છેલ્લી ગાથા ૪૦ માં સમ્યફ - દ્રષ્ટિની વાત આવી સાધક ગૃહસ્થ જયારે બાર વ્રતોને સંપૂર્ણ રીતે પાળે છે. અને પાંચ સમિતિ તથા ત્રણ ગુમિ રૂપી પ્રવચન, માતાને પણ ધારણ કરે છે. ત્યારે તેને સમ્યકુ – દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદની આત્મ સ્થિતિ વિશે ગાથા ૪૧ માં કહે છે. ગાથા લોકે રહ્યા આસ્રવસ્થાન જે જે, સમ્યકત્વમાં સંવર રૂપ ધારે, પ્રજ્ઞપ્ત એ કેવલી ધર્મ સત્વ, આરાધવા વીર્ય વધું પવિત્ર (૪૧) અથાર્તઃ જીવનમાં કર્મોની સરવાણીરૂપ જે જે આગ્નવસ્થાનો છે તે સ્થાનો જે વ્યક્તિને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તેને તે સરવાણી બંધ કરનાર સંવર રૂપ બને છે. કૈવલ્ય પ્રાપ્ત થયું હોય તેવા શુધ્ધ આત્માએ ધર્મનું જે સત્વ નિરૂપેલ છે તે પવિત્ર સત્વને જ સમ્યક્ત પ્રાપ્ત થયેલ જીવ આરાધતો રહે છે. નોધ : આ ગાથામાં ‘‘આસવ, ““સમ્યક્તવ” અને “કેવલી” વગેરે શબ્દો આવે છે. આ શબ્દો જેને પરિભાષાના હોવાથી તેના સૂચિતાર્થની પ્રાથમિક સમજની જરૂર છે. આસ્રવ” એટલે કર્મની સરવાણી. જીવનમાં વિવિધ પ્રકારના કર્મો અનિવાર્ય રીતે સતત થયા જ કરે છે. એક ક્ષણ માટે પણ મન વિચાર હીન દશામાં રહી શકતું નથી. અને આ વિચારોથી જ કર્મોની સરવાણી શરૂ થાય છે. વિચારોને કાર્યાન્વિત કરવામાં આવે છે, ત્યારે જુદી જુદી ઈન્દ્રિયો મારફત કર્મની સરવાણી શરૂ થાય છે. આથી મન તથા ઈન્દ્રિયો કર્મોના “આસ્રવ સ્થાન” છે - ૩૧ - Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44