Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 40
________________ ગાથા અથાર્ત : નોંધ : ૧. ર. બોધી બીજ યાચના મંદાક્રાન્તા પાપો મારા તમ ચરણમાં, મેં કર્યો છેક ખુલ્લા, આપી બાંધી બીજ પ્રભુ હવે આપ ટાળો ઉપાધિ, જ્યાં જ્યાં હોવા, તમ ગુણ નિધિ, અંશ વહેતા જ વિશ્વ, યાચુ સૌને મમહ્દયમાં, આપનો વાસ હોજો. (૪૬) પ્રભુ ! મારા તમામ પાપો ખુલ્લા કરી હવે આપના ચરણમાં ધરૂં છું. તો મને ક્ષાયિક સમકિત (બોધી બીજ) આપી મારી ઉપાધિ ટાળો - એટલે કે મને શુધ્ધ સમાધી આપો. આ સંસાર ભ્રમણ મારૂં જ્યાં જ્યાં થયા કરે ત્યા ત્યાં તમારી ગુણ નિધિ વહ્યા કરે અને મારા હૃદયમાં તમારો વાસ પણ રહ્યા કરે તેવી યાચના છે. - ઉપરની ગાથાના ભાષાન્તરમાં ‘ક્ષાયિક સમક્તિ' નો ઉલ્લેખ આવ્યો છે. તેના અનુસંધાનમાં ગાથા ૩૯ માં " સમ્યક દ્રષ્ટિ" નો ઉલ્લેખ આવે છે, અને ગાથા ૪૦ માં "સમ્યક્તવ" નો ઉલ્લેખ આવે છે. આ તમામ શબ્દો જૈન પરિભાષામાં અગત્યના છે. અને તે એક જ અર્થમાં વપરાયા હોઈને તેના ખુલાસાની જરૂર છે. . ‘‘સમ્યક્તવ’’ અગર ‘‘સમક દૃષ્ટિ’’ આત્માનો પરિણતિ રૂપ મૂળ ગુણ છે. બીજા શબ્દોમાં કહેએ તો સમ્યક દ્રષ્ટિ જે આત્માને હોય નહીં તે જીવનો જીવન વ્યવહાર સમતા અને શાંતિ પેદા કરી શકે નહીં. આથી પ્રશ્ન એ થાય છે કે સમતા અને શાંતિ મેળવવા એટલે કે સમ્યક્ત્વ અગર સમક્તિ પ્રાપ્ત કરવા શું કરવુ જોઈએ. તેના જવાબમાં વિદ્વાનોએ નીચેની પાંચ જરૂરિયાતો મેળવવાનું જણાવ્યું. આસ્તિકય : એટલે નવ તત્વો - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, - માં શ્રધ્ધા હોવી જોઈએ. આ નવ તત્તવોની, સમજ આવે એટલે જીવ માત્ર, પ્રત્યેની અનુકંપા કુદરતી રીતે જ ઉત્પન્ન થાય. ૩૪ Jain Education International_2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44