Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 35
________________ તે ઉપરાંત, સાધુ પુરૂષોમાં પ્રભુત્વનો ભાવ રોપીને એક બાળ શિષ્ય બની સાધુ જનોની સેવા કરૂં અને સેવા, ભક્તિ, અને સમર્પણના ભાવો ધારણ કરી સાધુ પુરુષોના સત્સંગથી મારા સમસ્ત જીવનને રંગ. (૩૬) તેમજ તમામ સજ્જનોના ગુણો સ્વીકારી આનંદ પામું અને મારામાં સાધુભાવ જન્મે નહીં તો કમમાં કમ એટલું તો કરું કે સંસારની ઘટમાળમાં તટસ્થતા કેળવું. કોઈપણ વ્યક્તિ વિરોધના વિચાર કે કૃત્યો કરે તો પણ હૈયે અનુકંપાના ભાવો લાવી મૈત્રીની ભાવના ધારણ કરૂ. (૩૭) નોંધ : પૌષધ સમયે નિવૃત્તિ હોય ત્યારે ચિત્તમાં ધણા બિન જરૂરી વિચારો આવે. જૈન પરિભાષામાં આને “પ્રમાદ” કહે છે. પ્રમાદ એટલે આળસ તેવો જ ફક્ત અર્થ નથી. મુનિશ્રી કહે છે તે મુજબ વિષયની કે નિંદાથી પ્રસાદ ઉત્પન્ન થાય છે કારણ કે તે સમયે જે રાગ-દ્વેષના ભાવો ઉભા થાય છે, તેનાથી આત્માનું વિસ્મરણ થાય છે. ચોથું શિક્ષાવ્રત ‘‘અતિથિ સમવિભાગ” નું વ્રત કહેવાય છે. આથી આ વિભાગમાં કહ્યું કે જે સાધુ છે તેની સાથેનો સત્સંગ વધારવો. મુનિશ્રી જણાવે છે તેમ આપણા વિરોધીઓમાં પણ જે સગુણો હોય તો તેની કદર કરવી જોઈએ પરંતુ તેટલું જ નહીં કોઈ આપણને ત્રાસ આપે ત્યારે પણ તટસ્થ રીતે વિચાર કરવો જોઈએ. તેઓશ્રી કહે છે. “આ ગાથામાં કહ્યું છે કે આપણી કૃત્તિ, વૃત્તિ કે વિચારો પ્રત્યે કોઈનો વિરોધ હોય તેના તરફ પણ આપશે પોતા પ્રત્યે જેવા પ્રતિભાવો (હોય) તેવા રહે.” મૃત્યુ તથા જીવનમાં સમત્વ, નિંદા - પ્રશંસા અપમાન - માને, પ્રલોભનો સંકટમાં રહેલું એ સ્વત્વને આજ ફરી સ્મરૂ છું. (૩૮) અથાર્તઃ જીવન અને મૃત્યુ તે બન્નેમાં મારૂ સમત્વ રહે, નિંદા કે પ્રશંસા, માન કે અપમાન કે તમામ પરિસ્થિતિમાં હું સમત્વ રાખી શકું, ભૂતકાળમાં સંકટ સમયે જ્યારે જે જે પ્રલોભનો મળ્યાં ત્યારે હું જે સમત્વ રાખી શક્યો તે યાદ કરી તે પ્રમાણે વર્તવા પ્રયત્નો કરૂ. (૩૮) ગાથા ૨લ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44