Book Title: Shrutsagar Ank 2013 02 025
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ.સં.૨૦૬૬-મહા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * દશવૈકાલિકસૂત્ર સહ ટીકા, પ્રત-પત્ર સંખ્યા – ૫૧ મુનિ ધર્મચંદ્રએ પોતાના સ્વાધ્યાય માટે આ પ્રત લખી છે. પ્રતના અક્ષરો સુંદર છે. દશવૈકાલિકસૂત્રની પંચપાઠી પ્રત છે. પાઠમાં પચ્છેદ સૂચક નિશાનીઓ કરવામાં આવી છે. પ્રતના અંતે પ્રતિલેખક (શ્રીમત્લાન્ટંખિનેશ્વરો રૂપનિધિર્તયાસાવો વાંછિત) આ પ્રમાણે જણાવે છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૨૫૮૮૪ નંબર પર નોંધાયેલ છે. ▾ १५ पुष्पिका - संवत १४८१ वर्षे भाद्र- वदि त्रयोदश्यां बुधे कोटनगरे मुनि धर्म्मचंद्रेण स्वपनार्थं लेखि || * ભક્તામર સ્તોત્ર અવસૂરિ સહ વર્ધમાનવિદ્યા જાપ, પ્રત-પત્ર સંખ્યા-૧૧ સાંમસુંદરસૂરિ મહારાજની કૃપાથી ગણિ વિશાલરત્ન મહારાજે વિ. સં. ૧૪૮૨માં દેવકુલપાટક (દેલવાડા)માં આ પ્રત લખી છે. પુષ્પિકાના અંતે સા. ખેઢા નિત્ય વંદન કરે છે, આવું લખાણ મળે છે. પ્રતમાં વિશેષ પાઠ માટે લાલ રંગનો ઉપયોગ થયો છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૧૩૬૪૩ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका संवत १४८२ वर्षे पौष मासे प्रतिपदातिथौ देवकुलपाटके गच्छनायकभट्टारकप्रभु श्रीसोमसुंदरसूरिप्रसादात् लिखिता सा. खेढा नित्यं प्रणमति विशालरत्नगणिः । । ♦ શતક કર્મગ્રંથ ટીકા સહિત, પ્રત-પત્ર સંખ્યા – ૩૮ અક્ષર ખૂબ નાના છે. વિશેષ પાઠ લાલ રંગથી અંકિત છે, ખરતરગચ્છીય ઉપા. કવિ જયસાગરજીના ઉપદેશથી આ પ્રત લખાયેલ છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૧૫૪ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका - संवत १४९८ वर्षे ज्येष्ठवदि १० रवौ श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिशिष्य उपाध्यायश्री जयसागराणामुपदेशेन शतकवृत्तिर्लिखिता ।। For Private and Personal Use Only • આરાધનાપતાકોદ્ધાર, પ્રત-પત્ર સંખ્યા – ૪ અક્ષરો સુંદર છે, વિશેષ પાઠ, અંક અને દંડમાં લાલ રંગ વાપરેલ છે. ગણિ વિજયહર્ષે વીરવાટક (વીરવાડા) નામના નગરમાં આરાધનાપતાકોદ્ધાર નામનો ગ્રંથ લખ્યો છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૨૯૦૩૭ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका संवत १४९९ वर्षे वैशाख - सुदि एकादशी दिने लिखितं वीरवाटके विजयहर्ष गणिना । ।

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36