Book Title: Shrutsagar Ank 2013 02 025
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦-મા. श्रीरत्नशेखरसूरितत्पट्टे श्रीलक्ष्मीसागरसूरितत्शिष्य पं.सारविजयરાજ || આ ભક્તામર સ્તોત્ર ટીકા એવં ટીકાર્થ, પ્રત-પત્ર સંખ્યા - ૭ અક્ષરો સામાન્ય છે, વિશેષ પાઠ માટે લાલ રંગ વાપરેલ છે. વિ. સં. ૧૫૪૬માં બેલદાણા પ્રાયઃ આજનું બુલઢાણા]માં આચાર્ય કનકપ્રભસૂરિ મહારાજના શિષ્યએ આ પ્રત લખી છે. પુષ્યિકાના અંતે વાચક ગુણકલશનો નામોલ્લેખ મળે છે. ૐ નમો શરાયે નમ: થી ગ્રંથનું મંગલાચરણ કરેલ છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૫૮૮૬ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका - सं. १५४६ आषाढ वदि १४ दिने कृष्णपक्षे शुक्रवासरे बेलदाणा ग्रामे श्रीभट्टारिक श्रीश्रीश्रीश्रीश्रीकनकप्रभसूरियः शिष्य मुनिराज लखितं श्रीश्रीवा. गुणकलश प्रति. श्रीस्तात् ।। સમવસરણ સ્તવ, પ્રત-પત્ર સંખ્યા - ૭ અક્ષરો મધ્યમ છે, વિશેષ પાઠ લાલ રંગથી અંકિત, કિનારીના ભાગેથી ખંડિત છે, પંડિત આનંદવીરગણિના શિષ્ય માણિક્યવીરગણિના શિષ્ય સંઘશુભ મુનિએ આ પ્રત લખી છે. પુષ્યિકાના અંતે પ્રતિલેખક આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ અને એમના શિષ્ય આચાર્ય શ્રીવિશાલરાજસૂરિને વંદના જણાવે છે. ઉપરોક્ત બંન્ને આચાર્ય ભગવંતશ્રી પ્રતિલેખકશ્રીના વડિલ અથવા ગચ્છનાયકના સ્થાને હોવાની સંભાવના છે. સ્થળનો ઉલ્લેખ જણાતો નથી. આ પ્રત જ્ઞાનમંદિરમાં પ૧૦૭ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका - संवत १५४८ वर्षे पोष वदि १५ गुरुवासरे लिखितं । पं. आनंदवीरगणि शिष्य माणिक्यवीरगणि शिष्य संधशुभमुनि लिखिता।। श्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीसोमसुंदरसूरिगुरुभ्यो नमः श्रीश्रीश्रीश्रीश्री-विशालराजसूरि ગુરુભ્યો નમ: || પર્યતારાધના શીલવતોચ્ચાર દંડક, પ્રત-પત્ર સંખ્યા - ૪ અક્ષરો સુંદર છે, પદચ્છેદ સૂચક નિશાની, વિશેષ પાઠ માટે લાલ રંગ વાપરેલ છે, પ્રસ્તુત પુમ્બિકામાં પ્રતિલેખકનું નામ જણાતું નથી, તેમજ પુષ્યિકા સુધારેલ છે. પ્રતિલેખકે હર્ષકુલગણિને પોતાના વિદ્યાગુરુ તરીકે જણાવેલ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36