Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 421
________________ * દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર વર્તમાન ભવ પૂરતું જ હોય છે, તે ભાગ્યશાળી જીવ દેવગતિમાં જ જાય. તપશ્ચર્યા પણ એહભાવક હોય છે. આવતા ભવે સાથે ન જાય. ભાગ્યથી જ બધું મળે છે તથા મોક્ષ પણ ભાગ્ય વિના નથી મળવાનો. True or False ? False : જૈનધર્મની આ માન્યતા નથી જ. અર્થ, કામ, ધર્મ, મોક્ષ, પુરુષાર્થની આરાધના માટે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાર્થની અત્યંત અને અનિવાર્ય આવશ્યકતા જૈન શાસન માને છે. આત્માએ સ્વપણે પોતે જ વ્યવહારુ અર્થ તથા કામ મેળવવા ઉત્થાન ક૨વો પડે છે. તે માટે શારીરિક ક્રિયાઓ કરે છે, થોડું બળ વાપરે છે તથા વીર્ય ફો૨વે છે અને છેવટે પુરુષાર્થ કરે છે અને ત્યારે જ એ પદાર્થો મેળવવામાં સિદ્ધ થાય છે. ભાગ્યવાદ એકલો કામ ન આવે. ગણધર : આ જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે ? ભ. મહાવીર : જ્યારે જ્ઞાનવરણીય કર્મનો ઉદયકાળ વર્તતો હોય છે ત્યારે દર્શનાવરણીય કર્મનો અનુભવ નિયમા હોય છે. આના વિપાકે દર્શન મોહનીય કર્મ પણ હોય છે. ત્યારે આ જીવ આઠ પ્રકારે કર્મબંધ કરે છે. અતત્ત્વને તત્ત્વ તરીકે માનવું અને તત્ત્વને અતત્ત્વ માનવું મિથ્યાત્વ જ છે. શાસ્ત્રીય વચન છે કે, મોહનીય કર્મના ઉદયકાળમાં તથા ઉદીરણાકાળમાં ઉત્ત૨ કર્મો એટલે નવા કર્મો બંધાતાં જ હોય છે. મિથ્યાત્વના બીજમાં અવિરતિ, કષાય, પ્રમાદ, યોગના અંકુરો પ્રતિ સમયે ઉત્પન્ન થતાં રહે છે. જીવોનાં જેવા અધ્યાવસાયો તેવા જ પુદ્ગલો કર્મથી પરિણમે અને પુદ્ગલોનો જેવો ઉદય હોય તેવી જ જીવની પરિણતિ હોય છે. ગૌતમ : કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે? ભ. મહાવીર : હે ગૌતમ, રાગ અને દ્વેષ આ બે કારણોથી કર્મ બંધાય છે. ****************** 369 ******************

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481