SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ * દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર વર્તમાન ભવ પૂરતું જ હોય છે, તે ભાગ્યશાળી જીવ દેવગતિમાં જ જાય. તપશ્ચર્યા પણ એહભાવક હોય છે. આવતા ભવે સાથે ન જાય. ભાગ્યથી જ બધું મળે છે તથા મોક્ષ પણ ભાગ્ય વિના નથી મળવાનો. True or False ? False : જૈનધર્મની આ માન્યતા નથી જ. અર્થ, કામ, ધર્મ, મોક્ષ, પુરુષાર્થની આરાધના માટે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાર્થની અત્યંત અને અનિવાર્ય આવશ્યકતા જૈન શાસન માને છે. આત્માએ સ્વપણે પોતે જ વ્યવહારુ અર્થ તથા કામ મેળવવા ઉત્થાન ક૨વો પડે છે. તે માટે શારીરિક ક્રિયાઓ કરે છે, થોડું બળ વાપરે છે તથા વીર્ય ફો૨વે છે અને છેવટે પુરુષાર્થ કરે છે અને ત્યારે જ એ પદાર્થો મેળવવામાં સિદ્ધ થાય છે. ભાગ્યવાદ એકલો કામ ન આવે. ગણધર : આ જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે ? ભ. મહાવીર : જ્યારે જ્ઞાનવરણીય કર્મનો ઉદયકાળ વર્તતો હોય છે ત્યારે દર્શનાવરણીય કર્મનો અનુભવ નિયમા હોય છે. આના વિપાકે દર્શન મોહનીય કર્મ પણ હોય છે. ત્યારે આ જીવ આઠ પ્રકારે કર્મબંધ કરે છે. અતત્ત્વને તત્ત્વ તરીકે માનવું અને તત્ત્વને અતત્ત્વ માનવું મિથ્યાત્વ જ છે. શાસ્ત્રીય વચન છે કે, મોહનીય કર્મના ઉદયકાળમાં તથા ઉદીરણાકાળમાં ઉત્ત૨ કર્મો એટલે નવા કર્મો બંધાતાં જ હોય છે. મિથ્યાત્વના બીજમાં અવિરતિ, કષાય, પ્રમાદ, યોગના અંકુરો પ્રતિ સમયે ઉત્પન્ન થતાં રહે છે. જીવોનાં જેવા અધ્યાવસાયો તેવા જ પુદ્ગલો કર્મથી પરિણમે અને પુદ્ગલોનો જેવો ઉદય હોય તેવી જ જીવની પરિણતિ હોય છે. ગૌતમ : કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે? ભ. મહાવીર : હે ગૌતમ, રાગ અને દ્વેષ આ બે કારણોથી કર્મ બંધાય છે. ****************** 369 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy