Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 338
________________ મુખ્યતાનો વિચાર નથી પરંતુ વચન ક્રમ-બદ્ધ હોવાથી પ્રસ્તુતમાં ઉપયોગી એવા વિવક્ષિત-ધર્મને મુખ્યપણે અને બાકીના અવિવક્ષિત-ધર્મને ગૌણપણે કહે છે. સ્વો. બાલાવબોધ : વલી, શ્રી કુંથુનાથ પ્રભુની દેશના કેહવી છે ? જે મધ્યે સાધન કેતાં રત્નત્રયી-પૂર્ણ અભેદતારૂપ નિપજાવવાના ઉપાય, તે જિનમુદ્રાસેવન, મુનિવંદન, અનુકંપાદિકથી લહી શુક્લધ્યાન પર્યંત કહ્યાં છે. તથા, માર્ગાનુસારીથી લહી ક્ષીણમોહી પર્યંત અપવા અને ઉત્સર્ગે અયોગી લગેં સાધક-જીવ જાણવા. તેહનું તારતમ્ય-યોગ કહે છેપહેલો માર્ગાનુસારી તે સમકેતને સાધે અને સમકેતિ તે વિરતિને સાથે, વિરતિ તે શુક્લ-ધ્યાનને સાધે તથા શુક્લધ્યાની ક્ષાયિક-ગુણને સાધે, ક્ષાયક-ગુણી સિદ્ધને સાથે એ સાધકનો ક્રમ છે. તે સર્વ પ્રભુ દેશનામાં કહે તથા સિદ્ધપણું-સંપૂર્ણ નિષ્પન્ન નિરાવરણતાપણું કહે. વલી, કુંથુનાથજીની દેશનામાં વચન જે બોલાય તે અનંતા ગૌણ-ધર્મ રાખીને જે વચનમાં ગ્રાહ્ય તે ધર્મને મુખ્ય કરી કહે. એટલે, એક વસ્તુમાં અનંતા ધર્મ એક સમયમાં પરિણમે છે, તે સર્વ એક સમયમાં જાણે પરંતુ વચને કરી જે ધર્મ મુખ્ય કરી કહેવાય તેને મુખ્ય કરી કહે, બીજા સર્વ જ્ઞાનમાં ગૌણપણે જાણે. એમ વચનમાં ગૌણપણું તથા મુખ્યપણું છે. પણ, શ્રી કુંથુનાથ સ્વામીનું કેવલજ્ઞાન તે સકલ જ્ઞેયને જાણવે કરી સમૃદ્ધિમાન છે એટલે જ્ઞાનમાં એક હમણાં જાણે, બીજા પછી જાણશે એમ નથી, સર્વ ભાવને તે સમયેં જ જાણે છે. તેથી જ્ઞાનમાં ગૌણતા-મુખ્યતા નથી. અને વચનનો ધર્મ ક્રમ-પ્રવર્તન છે. તે એક કહ્યા પછી બીજો કહેવાય, માટે વચનમાં ગૌણતા અને મુખ્યતા છે. ।। રૂતિ ચતુર્યથાર્થ: || ૪ || वस्तु अनंत स्वभाव घेरे, अनंत कथक तसु नाम । ग्राहक अवसर बोधथी रे, कहवे अर्पित कामो रे ।। કુંયુોળી अर्थ : जीवादि सब पदार्थ अनन्त धर्म (स्वभाव) युक्त होते हैं अतः उन पदार्थों के जीव-आदि नाम भी उसमें रहे हुए अनंत धर्मों को बताते हैं । (जीव-इस शब्दोच्चार मात्र से भी उसके अनन्त धर्मों का कथन हो जाता है ।) तथापि, केवलज्ञानी भगवंत अवसर देखकर श्रोता के बोध (जानने की योग्यता) के अनुसार अर्पित-वचन कहते हैं अर्थात् प्रयोजनवश विवक्षित वचन कहते हैं । (वस्तु में रहे हुए अनेक धर्मों में से जिस धर्म को कहने का प्रयोजन हो उस समय उस धर्म को विवक्षितकर ग्रहण करना या कहना-यह अर्पित कहा जाता है । प्रयोजन के अभाव में जिसकी विवक्षा नही है वह अनर्पित कहा जाता है ।) અર્થ : જીવાદિ સર્વ પદાર્થો અનંત ધર્મ(સ્વભાવ)યુક્ત હોય છે, તેથી તે પદાર્થોનાં જીવ-વગેરે નામો પણ તેમાં રહેલા અનંત ધર્મોને જણાવે છે. (જીવ-આ શબ્દોચ્ચાર માત્રથી પણ તેના અનંતા ધર્મોનું કથન થઈ જાય છે.) છતાં કેવલજ્ઞાની ભગવંતો અવસર જોઈ શ્રોતાના બોધ(જાણવાની યોગ્યતા) પ્રમાણે અર્પિત-વચનને કહે છે અર્થાત્ પ્રયોજન(કાર્ય)વશથી વિવક્ષિત-વચનને કહે છે. (વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી જે અવસરે જે ધર્મ કહેવાનું પ્રયોજન હોય, તે અવસરે તે ધર્મને વિવક્ષિત કરી ગ્રહણ કરવું કે કહેવું તે અર્પિત કહેવાય છે. અને પ્રયોજનના અભાવે જેની વિવક્ષા નથી તે અપ્રસ્તુત અનર્પિત કહેવાય છે.) સ્વો. બાલાવબોધ : વસ્તુ જે જીવાદિ દ્રવ્ય તે અનંત-સ્વભાવમયી છે. સર્વ વસ્તુ અનંતતા યુક્ત છે. તથા, વસ્તુનું જીવ અથવા પુદ્ગલ એહવું જે નામ છે, તે પણ અનંતતાને કહેતું છે, એટલે જીવ એવો શબ્દ ઉચ્ચાર કરતાં જીવના અનંતા ધર્મ છે તે સર્વ બોલાણા. એમ સર્વ સ્થાનકે સમજવું. Jain Education International For Personal & Private Use Only ૩૩૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510