Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 374
________________ સાધનો છે અને તે વસ્તુના-આત્માના પ્રગટ-નિરાવરણ પર્યાયો છે. આ શાસ્ત્ર-વચન મનમાં વસેલું છે. પરંતુ, જ્યારે નિરાકાર કે સાકાર ચેતના શુદ્ધ આત્મ-સ્વરૂપના ધ્યાનમાં લયલીન બને છે, ત્યારે કર્તાદિ છ કારકો પર-ભાવને છોડી દઈને નિજ સાધક-ભાવને પામે છે. કર્મનું વિદારણ કરવું અને સ્વરૂપને પ્રગટ કરવું, એ જ કારકનો સાધક-સ્વભાવ છે. | રવો. બાલાવબોધ : એ છ કારક તે કારણ તથા કાર્યરૂપ છે. કાર્યને નિપજાવવારૂપ છે માટે કારણના જ ભેદ છે. સર્વ કાર્ય કર્તાને આધીન છે. કર્તા જે કરે તે કારણાદિ વિના થાય નહીં માટે વસ્તુ કેતાં આત્મ-પદાર્થ, તેહનાં એ છ કારક તે પ્રગટ-નિરાવરણ પર્યાય છે. એમ મનમાં વહ્યું જે, કર્તાપણું તેને આવરણ નથી. કર્તાપણું વિશેષ-સ્વભાવ છે અને વિશેષ ગુણને તથા પર્યાયને આવરણ છે પરંતુ સ્વભાવને આવરણ નથી. સ્વભાવ તેહના કારણભૂત ગુણ, ચેતના તથા વીર્ય, તેને અવરાયે કર્તાપણાની પ્રવૃત્તિ મંદ પડે પરંતુ કર્તાપણું મૂલગું અવરાય નહીં. - તે ચેતના-વીર્ય વિપરીત પરિણમવે પરભાવ કર્તાપણે પ્રવર્યો, તેહથી પોતાનું સ્વરૂપ અવરાયી જ ગયું, તે અવરાણું તેહથી સ્વભાવને કરી શકે નહીં અને અક્ષરનો અનંતમો ભાગ ચેતના અને યોગ-સ્થાનરૂપ વીર્ય ક્ષયોપશમી રહ્યો પરંતુ તે અનાદિની ચાલથી પરભાવાનુયાયી જ છે, તેહથી સ્વરૂપ-કર્તાપણું તો થયું નહીં. | તેવારેં કર્તાપણે પરભાવને કર્યો, આશ્રવબંધરૂપ કાર્યનો કન્ન થયો એટલે અશુદ્ધ કાર્ય કર્યું પરંતુ અવરાણું નહી. તેહથી કર્તાપણું અનાવૃત થકે કારક પણ અવરાણાં નહીં. જો કારકનું ચક્ર અવરાય તો આશ્રવભાવ-બંધપદ્ધતિ કોણ કરે ? તેહનો આદાતા-અભિનવપર્યાયનો ત્યાગીપૂર્વપર્યાયનો આધાર અશુદ્ધતાનો કોણ થાય ? માટે, કારક નિરાવરણ છે પરંતુ વિકારી થયા તેહથી મૂલ-સ્વરૂપથી ચૂક્યાં, એમ થયું. હવે, એનું પલટણપણું પણ આત્મા કરે તો થાય તે કહે છે જે ચેતન કેતાં ચેતના જેવારેં સાકાર-અનાકારને યથાર્થ ભાસન કરીને પોતાના શુદ્ધ સ્વભાવને ગ્રહે, ભાસન-પ્રતીત રૂચિનું આચરણપણું અંગીકાર કરે તેવારેં એહી જ કારક તે – (૧) સ્વધર્મ કર્તા તે કર્ના. (૨) સ્વધર્મ પરિણમન તે કાર્ય. (૩) સ્વ-ધર્માનુયાયી ગુણ-પરિણતિ, ચેતના-વીર્ય શક્તિ તે કરણ. (૪) સાધન-ગુણશક્તિનું પ્રગટવું તે સંપ્રદાન. (૫) પૂર્વ-પર્યાયનું નિવર્તન તે અપાદાન. (૬) સ્વ-ગુણનું આધારીપણું તે આધાર. એમ ષકારક સાધકપણું પામીને સિદ્ધતા પરમોત્તમતા ઉચ્છરંગ-સમાધિ સકલ નિર્મલતા નિપજાવે. ઈમાં સ્વ-ધર્મ અવલંબવાની ભાવના લખે છે – // TAT // “अहम्मिक्को खलु सुद्धो, निम्ममओ नाणदंसणसमग्गो । તfમ ટિનો વિરો, સર્વે જી હાં નેfમ / ૧ /'' અર્થ : અહં આત્મા-જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયરૂપ, અનંત સ્વ-ધર્મમયી તથા દ્રવ્યપણે-અખંડપણ-સમુદાયપણે એક છું. વલી, નિશ્ચયનયથી શુદ્ધ છું. યદ્યપિ અનાદિ પર-ભાવમાં લુબ્ધ સ્વભાવ-ભ્રષ્ટ થકો અશુદ્ધ થયો તો પણ જાતિથી-મૂલથી-મૂલધર્મ અનંત જ્ઞાનાદિ ગુણમય, શુદ્ધ, નિષ્કલંક, નિરામય, નિઃસંગ, નિર્દોષી છું. સર્વ મમકાર- પરભાવ-માહરાપણાથી રહિત છું. જ્ઞાન સક્ત ભાસન-પરિચ્છેદનરૂપ, દર્શન સામાન્યોપયોગ, તેહિ જ મયી છું. એહવા ભાસન-રમણ-પરિણમનરૂપ રહ્યો થકો સર્વ પરોપાધિને ક્ષય કરું છું. ઈમ સ્વ શુદ્ધ-સ્વરૂપને ગ્રહી, સર્વ પર-ભાવ ભેદ કરી, નિર્મલાનંદ નિપજાવવી. | | ત TETયાર્થઃ || ૬ || माहरूंपूर्णानंद, प्रकट करवा भणीरे॥प्रकट.॥ કુળતા W, सेव प्रभुजी तणी रेसेवा દ્રવિડર, भक्ति मनमेधरोरेशभक्ति.॥ अव्याबाध अनंत अक्षय पद आदरोरेअक्षय.1010 www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only ૩૭૧

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510