Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૯૮] દર્શન અને ચિંતન અભ્યાસ માટે અગમ્ય હોવાથી તે મૂળના અભ્યાસમાં દરેકને સાધક થતી નથી. ત્રીજું કારણ પ્રવચનસારીય મૂળ અને ટીકા જુની-નવી દેશી ભાષાઓમાં અનુવાદિત છે, તેથી ગમે તે જિજ્ઞાસુ તેને વાંચી અને ભણું શકે છે, જ્યારે સન્મતિતર્કની બાબતમાં તેમ નથી. તેની ટીકાની વાત તે બાજુએ રહીં, પણું એવડા નાનકડાશા મૂળ ગ્રંથનો જુની કે નથી કોઈ પણ દેશી ભાષામાં અનુવાદ આજ સુધી ક્યારેય થયો હોય એમ જાણવામાં નથી; કઈ લેખકે જૂના વખતમાં એના ઉપર સંક્ષિપ્ત રબો સુધ્ધાં લખ્યું નથી. આ અને આનાં જેવાં બીજાં અનેક કારણોથી એ અસાધારણ ગૌરવવાળા ગ્રંથથી માત્ર ગૃહસ્થવર્ગ જ નહિ, પણ જ્ઞાન અને ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગ સુધ્ધાં મેટે ભાગે અજાણ રહ્યો છે. જૈનતના સ્વયંભૂ સમ્રાટ ઉપાધ્યાય શ્રીયશોવિજયજીને કણ નથી જાણતું ? તેઓશ્રી દ્રવ્યગુણુપર્યાયના રાસમાં સ્પષ્ટ કહે છે કે જેઓ દ્રવ્યાનુ ગને વિચાર નથી કરતા અને ક્રિયાકાંડમાં જ મચ્યા રહે છે તેઓ નિશ્ચયશુદ્ધ ચારિત્રનું સ્વરૂપ જ નથી જાણતા. એ રીતે દ્રવ્યાનુગતત્વચિંતનના અભ્યાસનું મહત્વ બતાવી તેઓએ કહ્યું છે કે તે માટે સન્મતિ વગેરે ગ્રંથ શીખવા અને તેનું મનન કરવું. ખરેખર, ઉપાધ્યાયજીની તીક્ષણ દૃષ્ટિ વસ્તુસ્થિતિને સ્પર્શ કરે છે, પણ બહારની ધમાધમ અને ઉપરની ટાપટીપમાં રસ લેનાર ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગને માટે ભાગ એ વસ્તુથી બહુ વેગળે હોય એમ લાગે છે; નહિ તો સન્મતિતના નાનામોટા અનેક અનુવાદો અનેક ભાષાઓમાં કયારનાથે થયા હતા અને આજે તેનું પાઠ્યક્રમમાં આકર્ષક સ્થાન હેત. ઉપાધ્યાયજીએ સન્મતિતને જેટલે છૂટથી ઉપયોગ કર્યો છે, જેટલી તે ઉપર વિચારણા કરી છે અને તે ઉપર ટુંછવાયું જેટલું લખ્યું છે તે સન્મતિતર્કના સ્વાભાવિક ગૌરવને શેભાવે તેવું છે. ન્યાયનિધિ વિજયાનંદસૂરીશ્વરે ઉપાધ્યાયજી પછી એ ગ્રંથને સંપૂર્ણ જોયેલે છે એવા નિશ્ચિત પ્રમાણે અમને મળ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્ર સન્મતિતનું ગૌરવ ખૂબ ગાયું છે, પણ કોઈએ એને ભાવામાં ઉતાર્યો નથી. એ ગ્રંથનું વસ્તુ અને તેનું ગૌરવ સર્વગમ્ય થવા માટે તેના સરળ અનુવાદની જ ખાસ જરૂર છે. જે એ ગ્રંથને મધ્યમ પરિમાણને અનુવાદ થઈ બહાર પડી શકે તે અમારી ખાતરી છે કે જેમ તવાર્થ સર્વત્ર પઠન પાઠનમાં છે તેમ સન્મતિતર્ક પણ એ કક્ષામાં આવે, એટલું જ નહિ, પણ યુનિવર્સિટી સુધ્ધાંમાં દાખલ થાય. એને પ્રાંજલ અનુવાદ વિદેશી વિદ્વાનોને પણ ખરેખર આકર્ષશે. એવો અનુવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32