Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ [ ૮ ] જૈન શ્રુતના બહુ મોટા ભાગ નાશ પામ્યા છે. તે નાશનાં અનેક કારણે છે, પણ આજે તેના જેટલા અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે જૈન સબની શ્રુતભક્તિ. જૈન જનતા જ્ઞાનમાત્રને પૂજે છે, પણ શ્રુત પ્રત્યે એની ભક્તિ એટલી જાગરૂક છે કે તે વિશે લખવા જતાં તેને મનેરમ ઇતિહાસ તૈયાર થાય. માત્ર મોટી વયના સ્ત્રી-પુરુષો જ નહિ, પણ નાનાં કુમાર—કુમારિકાએ સુધ્ધાં શાસ્ત્રજ્ઞાન આરાધવા તપ કરે છે, એનાં નજીવાં સાધનાની આદરપૂર્વક પૂજા કરે છે અને એ માટે પેાતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર રહે છે. ચારિત્રપૂકાતું જૈન સંધમાં મેટું સ્થાન છે, પણ તે જ્ઞાનના એક ભાગ તરીકે. ચારિત્ર એ જ્ઞાનને છેલ્લે તે પરિપક્વ અંશ જ છે, તી પૂજા હોય કે ગુરુપૂજા હોય, એ બધી વિવિધ પૂજાઓની પાછળ જ્ઞાનભક્તિ જ રહેલી છે. એ બધાંમાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાના એક જ હેતુ મુખ્ય છે. આજે વિશિષ્ટ રીતે જૈનદર્શન વિત હોય તો તે એક શ્રુતને આભારી છે, અને શ્રુત વિત હેાય તે તે જ્ઞાનભક્તિને આભારી છે. બુદ્ધિમાન અને દીદી, જૈન આચાર્યોએ જ્યારે જોયું કે અમુક અમુક શાસ્ત્રો વિશિષ્ટ રીતે જૈનદર્શનની પ્રભાવના કરે તેવાં છે ત્યારે ત્યારે તેએએ તે તે શાસ્ત્રોને જૈનદર્શનના પ્રભાવક કહી તેના તરફ લેકાનુરાગ કેળવ્યો, તેના અભ્યાસને ઉત્તેજન આપ્યું, તેની પોથીએ લખી-લખાવી તેની સાચવણીમાં ભારે કાળા આપ્યા. આગમગ્રંથોની પ્રતિષ્ટા તા ભગવાનની પ્રતિષ્ઠાને એક ભાગ જ છે, પણ ત્યાર પછી રચાયેલાં ઘણાં શાઓમાં સન્મતિનું સ્થાન મુખ્ય છે. નેમિચદ્રસૂરિએ રચેલ પ્રવચનસારાહારની વૃત્તિમાં તેના કર્તો શ્રસિદ્ધસેન સન્મતિતક તે અંગે જે લખેછે તે ખાસ ધ્યાન દેવા જેવું છે. તે દર્શનના પ્રભાવક તરીકે ગ્રંથે જણાવતાં સન્મતિને પહેલે મૂકે છે અને સાથે જ કહે છે કે એ નપ્રભાવક શ્રધાતુ' દરેક રીતે ભક્તિપૂર્વક અહુમાન કરવું. ત૩૯૫ નામના છેદસૂત્રની શૂર્ણિની વ્યાખ્યામાં તેના કર્તા સન્મતિતકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32