Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 160
________________ નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય ૧૫૫ (અર્થાત્ શુદ્ધાત્મામાં) સ્થિરભાવ કરે છે, તેનાથી જીવને સામાયિક ગુણ સંપૂર્ણ થાય છે. અર્થાત્ જે જીવ શુદ્ધાત્મામાં જ સ્થિરભાવ કરે છે, તેને જ કાર્યકારી = સાચી સામાયિક કહેલ છે અને તેને જ અપૂર્વ નિર્જરા થાય છે. શ્લોક ૨૫૬ :- “આત્માને અવશ્ય માત્ર સહજ-પરમ-આવશ્યકને એકને જ કે જે અઘસમૂહનું (દોષસમૂહનું) નાશક છે અને મુક્તિનું મૂળ (કારણ) છે તેને જ અતિશયપણે કરવું (અર્થાત્ સહજ-પરમઆવશ્યક એ કોઈ શારીરિક અથવા શાબ્દિક ક્રિયા ન હોવાથી, માત્ર મનની જ ક્રિયા છે અર્થાત્ અતિન્દ્રિય ધ્યાનરૂપ હોવાથી અતિશયપણે કરવા કહ્યું છે). (એમ કરવાથી) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે (અર્થાત્ શુદ્ધાત્મામાં માત્ર નિજ ગુણોનું સહજ પરિણમન જ ગ્રહણ થાય છે કે જે પૂર્ણ હોવાને લીધે) પવિત્ર ને પુરાણ (સનાતન-ત્રિકાળ) એવો તે આત્મા વાણીથી દૂર (વચન અગોચર) એવા કોઈ સહજ શાશ્વત સુખને (સિદ્ધોના સુખને) પામે છે.” શ્લોક ૨૫૭ :- “સ્વવશ મુનીંદ્રને (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રયુક્ત મુનદ્રને) ઉત્તમ સ્વાત્મચિંતન (નિજત્માનુભવનો હોય છે, અને આ (નિજત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિ સૌખ્યનું (સિદ્ધત્વનું) કારણ થાય છે.” ગાથા ૧૫૧ : અન્વયાર્થ :- “જે ધર્મધ્યાન ને શુક્લધ્યાનમાં પરિણત છે તે પણ અંતરાત્મા છે, ધ્યાનવિહીન (અર્થાત્ આ બંને ધ્યાનવિહીન) શ્રમણ બહિરાત્મા છે એમ જાણ.” ગાથા ૧૫૪ : અન્વયાર્થ :- “જે કરી શકાય તો અહો! ધ્યાનમય (સ્વાત્માનુભૂતિરૂપ શુદ્ધાત્માના ધ્યાનમય) પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય (અર્થાત્ જે તને સમ્યગ્દર્શન થયું ન હોય અને તેથી કરીને શુદ્ધાત્માનુભૂતિરૂપ ધ્યાન કરવા શક્તિવિહીન હોય) તો ત્યાં સુધી (અર્થાત્ જ્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી) શ્રદ્ધાન જ (અર્થાત્ અત્રે જણાવેલ તત્વની તે જ રીતથી શ્રદ્ધા) કર્તવ્ય (અર્થાત્ કરવા જેવી) છે.” શ્લોક ૨૬૪ :- “અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિશે મુક્તિ નથી, માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ હોઈ શકે ? તેથી નિર્મળ બુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી આ (ઉપર જણાવ્યા અનુસારની) નિજાત્મ શ્રદ્ધાને અંગીકૃત કરે છે.” અર્થાત્ આ કાળમાં સમ્યગ્દર્શન અત્યંત દુર્લભ હોવાથી પોતાના આત્માની અત્રે જણાવ્યાનુસાર શ્રદ્ધા પરમ કર્તવ્ય છે અર્થાત્ તે જ કાર્યકારી = સાચી ભક્તિ છે. આ પંચમકાળમાં સત્યનો - ધર્મનો મહદ અંશે લોપ થઈ જવાથી ધર્મમાં અનેક પ્રકારની વિકૃતિઓ ઘુસી ગઈ છે એટલા માટે સત્ય સમજવા માટે પણ સાધકની બુદ્ધિ નિર્મળ હોવી આવશ્યક છે. અન્યથા તે પ્રાયઃ એકાંતમાર્ગમાં જ શ્રદ્ધા કરી બેસશે, એનાથી મુક્તિને બદલે અનંત સંસાર મળશે; આ વાત જણાવેલ છે.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220