Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 206
________________ સમયસારના પરિશિષ્ટમાંથી અનેકાંતનું સ્વરૂપ નથી’ તેવા લોકોને અત્રે પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની કહ્યાં છે.). અને અનેકાંતનો જાણનાર તો (જ્ઞાની = સમ્યગ્દર્શની), સદાય ઉદિત (પ્રકાશમાન = જ્ઞાન સામાન્ય ભાવ = પરમ પારિણામિક ભાવ = સમયસારરૂપ ભાવ) એકદ્રવ્યપણાને લીધે (ખંડખંડરૂપ ભાસતા જ્ઞાનમાં છુપાયેલ અખંડ જ્ઞાનપણાની અનુભૂતિને લીધે) ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમને નાશ કરતો થકો – એટલે કે જો જ્ઞાનને પરનું જાણપણું માનીએ તો સમ્યગ્દર્શન ન થાય તેવા ભ્રમનો નાશ કરતો થકો) જે એક છે અને જેનું અનુભવન (સમયસારરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = જ્ઞાન સામાન્ય રૂપ એક અભેદ આત્મા) નિબંધ છે એવા જ્ઞાનને દેખે છે – અનુભવે છે.’’ આવું છે જૈનશાસનનું અનેકાંતમય જ્ઞાન. – ૨૦૧ શ્લોક ૨૬૧ : ભાવાર્થ :- ‘એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી ઉપજતી-વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે (જેમ કે પરને જણાવાનો નિષેધ કરીને અથવા તો પર્યાયનો દૃષ્ટિના વિષયમાં નિષેધ કરીને); પરંતુ પરિણામ (પર્યાય = જ્ઞેય) સિવાય જુદો કોઈ પરિણામી હોતો નથી (આથી જ્ઞેય અથવા પર્યાયને કાઢતાં પૂર્ણ દ્રવ્યોનો જ લોપ થાય છે કે જેથી પરિણામી હાથ આવતો નથી સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી પરંતુ માત્ર ભ્રમનું જ સામ્રાજ્ય ફેલાય છે.). સ્યાદ્વાદી તો એમ માને છે કે, જો કે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે તો પણ ક્રમશઃ ઊપજતીવિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે (અર્થાત્ જ્ઞાન સામાન્ય નિત્ય છે કે જેનું જ્ઞાનવિશેષ બનેલું છે કે જે અનિત્ય છે) એવો જ વસ્તુસ્વભાવ છે.’’ આ વાત સર્વે જનોએ, સમ્યગ્દર્શન અર્થે સ્વીકારવી અત્યંત આવશ્યક છે. = શ્લોક ૨૬૨ :- ‘‘આ રીતે અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મત્વ પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભવાય છે.’' શ્લોક ૨૬૫ : ભાવાર્થ :- “જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત દૃષ્ટિ વડે અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને - જાણીને, જિનદેવના માર્ગનેસ્યાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે.’’ અર્થાત્ સમ્યગ્દર્શની થાય છે. શ્લોક ૨૭૦ :– ‘અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા નયોની દૃષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં તત્કાળ નાશ પામે છે (જો કોઈ પણ નયને એકાંતે ગ્રહણ કરવામાં આવે અથવા કોઈ પણ નયની એકાંત પ્રરૂપણા કરવામાં આવે અથવા કોઈ પણ નયનો એકાંત પક્ષ કરવામાં આવે, તો આત્મા ખંડખંડરૂપ થતાં તત્કાળ નાશ પામે છે અર્થાત્ મિથ્યાત્વી થાય છે અને અનંત સંસાર વધારે છે) માટે હું એમ અનુભવું છું કે જેમાંથી ખંડોને નિરાકૃત (બહિષ્કૃત) કરવામાં આવ્યા નથી (એટલે કે તે ખંડખંડરૂપ જ્ઞેય હો કે વિભાવ પર્યાય હો તેને આત્મામાંથી દૂર ન કરવા) છતાં જે અખંડ છે, એક છે, એકાંત શાંત છે (એટલે કે ખંડખંડરૂપ વિશેષ ભાવમાં અખંડ સામાન્ય ભાવ રહેલ છે - છુપાયેલ છે. તેથી ખંડખંડ

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220