Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 207
________________ ૨૦૨ સમ્યગ્દર્શનની રીત ભાવનો નિષેધ નથી તેને ગૌણ કરતાં જ અખંડ ભાવ પ્રાપ્ત થાય છે) (અર્થાત્ કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે પરમ પારિણામિક ભાવમય છે) અને અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું ચૈતન્યમાત્ર તે જ ‘હું છું’.’’ આવી છે સમ્યગ્દર્શનના વિષયને પ્રાપ્ત કરવાની રીત. જ શ્લોક ૨૭૧ : ભાવાર્થ :- ‘‘જ્ઞાનમાત્ર ભાવ (પરમ પારિણામિક ભાવ) જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે (અત્રે સમજવું એમ કે જેઓ અજ્ઞાની છે અને જેઓને આત્મપ્રાપ્તિની તલપ પણ છે તેઓએ જ્ઞાન કે જે આત્માનું લક્ષણ છે કે જે સ્વ-પરને જાણે છે તેનો સીડી તરીકે ઉપયોગ કરીને આત્માના જ્ઞાનમાત્ર સ્વરૂપની પ્રાપ્તિ કરવી અર્થાત્ જે શેયને જાણે છે તે જાણનારો તે જ હું છું એમ ચિંતવવું અને તે જાણનક્રિયા વખતે જ જ્ઞેયને ગૌણ કરતાં જ, નિષેધ કરતાં નહીં તે યાદ રાખવું, સામાન્ય જ્ઞાનરૂપજ્ઞાનમાત્ર ભાવની પ્રાપ્તિ થાય છે) વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે (જ્ઞેય છે તે જ્ઞાન જ છે અને જ્ઞાન છે તે જ્ઞાયક જ છે, તો પરને જાણવાનો = જ્ઞેયને જાણવાનો નિષેધ કરતાં જ્ઞાનનો નિષેધ થાય છે = જ્ઞાન માત્ર ભાવના અભાવનો પ્રસંગ આવે છે). બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનનાં જ કલ્લોલો (તરંગો) છે. (જ્યારે જ્ઞેયને જાણવાનો નિષેધ કરતાં જ્ઞાનકલ્લોલોનો જ નિષેધ થાય છે કે જે સ્વયં જ્ઞાનમાત્ર પોતે જ છે. માટે શેયને જાણવાનો નિષેધ કરતાં જ જ્ઞાનમાત્ર ભાવના અભાવનો પ્રસંગ આવે છે, જેનું પરિણામ એકમાત્ર ભ્રમરૂપ પરિણમન જ છે.) તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. (અત્રે એ સમજવું જરૂરી છે કે ગાથા ૬ની ટીકામાં જણાવ્યા અનુસાર જ્ઞાનકલ્લોલો = જ્ઞેયાકાર અને જ્ઞાનમાત્ર એ બંને અભિન્ન જ છે અનન્ય જ છે અને તેનું અર્થાત્ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ તે જ્ઞાયક છે) આ રીતે પોતે જ પોતાથી જાણવાયોગ્ય હોવાથી (એટલે કે જ્ઞાનકલ્લોલો અને જ્ઞાન અનન્ય રૂપે જ છે, અને જો તેમાં કલ્લોલોનો નિષેધ કરવામાં આવે તો અર્થાત્ પર જ્ઞેયને જાણવાનો નિષેધ કરવામાં આવે તો તે નિષેધ જ્ઞાયકનો જ સમજવો. કારણ કે કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી શેયાકાર જ્ઞાયક જ છે) જ્ઞાનમાત્ર ભાવ (પરમ પારિણામિક ભાવ) જ જ્ઞેયરૂપ છે [અત્રે જો જ્ઞેયોને જાણવાનો નિષેધ કરવામાં આવે તો જ્ઞાન માત્ર ભાવનો (સમયસારરૂપ ભાવનો) જ નિષેધ થતાં તેઓને આત્માની પ્રાપ્તિ થતી નથી] . વળી પોતે જ (જ્ઞાનમાત્ર ભાવ) પોતાનો (જ્ઞેયરૂપ ભાવ = જ્ઞાનકલ્લોલોનો) જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે જ્ઞાયક છે (અર્થાત્ જે જ્ઞેયને જાણે છે તે જ હું છું = ત્યાં જ્ઞેયોને ગૌણ કરતાં જ હું પ્રગટ થાય છે, નહીં કે જ્ઞેયોને જાણવાનો નિષેધ કરતાં). આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા - એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે, (સામાન્ય-વિશેષમાં નિયમ એવો છે કે વિશેષને કાઢતાં સામાન્ય જ નીકળી જાય છે, કારણ કે તે વિશેષ સામાન્યનું જ બનેલ હોવાથી, વિશેષને ગૌણ કરતાં જ સામાન્ય હાજર થાય છે એમ સમજવું માટે જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતામાંથી કોઈ પણ એકનો નિષેધ તે ત્રણેનો =

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220