Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 205
________________ ૨૦૦ સમ્યગ્દર્શનની રીત વિશેષ આકારોને ગૌણ કરતાં જ સમયસારરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ ભાવની પ્રાપ્તિ થાય છે, સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ ખરેખર તો ‘પરનું જાણવું તે સ્વમાં જવાની સીડીરૂપ છે'; કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.). ૧૩..... (આ જ ભાવ શ્લોક ૧૪૩માં પણ દર્શાવેલ છે કે સહજ જ્ઞાનના પરિણમન વડે પરમ પારિણામિક ભાવ વડે આ જ્ઞાન માત્ર પદ = સમયસારરૂપ આત્મા કર્મથી ખરેખર વ્યાપ્ત નથી જ, કર્મથી જીતી શકાય તેવો નથી જ, માટે નિજ જ્ઞાનની કળાનાં બળથી-મતિજ્ઞાનાદિરૂપ-જ્ઞેયાકારરૂપ પરિણમનથી આ પદને = સમયસારરૂપ પદને = પરમ પારિણામિક ભાવરૂપ પદને અભ્યાસવાને જગત સતત પ્રયાસ કરો. અત્રે આત્માનું પરનું જાણવું જે છે તેને સીડી તરીકે = આલંબન તરીકે વાપરીને સમયસારરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવાનું = અભ્યાસવાનું કહ્યું છે.) વળી, જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ નિત્ય જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરવા માટે (સમયસારરૂપ પરમ પારિણામિક ભાવના ગ્રહણ માટે = સમ્યગ્દર્શન માટે) અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરતાં જ પોતે પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાન માત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. (અર્થાત્ એમ માનતાં કે ‘આત્મા ખરેખર પરને જાણતો જ નથી', તો શેયોના = અનિત્યજ્ઞાન વિશેષોના ત્યાગ વડે પોતાનો જ નાશ થાય છે અર્થાત્ પોતે ભ્રમરૂપ પરિણમે છે અર્થાત્ પોતે મિથ્યાત્વરૂપ પરિણમે છે. બીજું, જ્ઞાનવિશેષરૂપ પર્યાયો અર્થાત્ વિભાવ પર્યાયનો ત્યાગ કરતાં પણ જ્ઞાનનો = પોતાનો નાશ થાય છે અને પોતે ભ્રમમાં જ રહે છે માટે જિનાગમમાં ‘પર્યાયરહિત દ્રવ્ય' માટે જ્ઞાનવિશેષોનો ત્યાગ નહીં અર્થાત્ વિભાવ પર્યાયનો ત્યાગ નહી પરંતુ તેને ગૌણ કરવાનું જ વિધાન છે કે જે અનેકાંત સ્વરૂપ આત્માનો નાશ થવા દેતો નથી, મિથ્યાત્વ રૂપે પરિણમાવતો નથી). ૧૪.......’ શ્લોક ૨૫૦ :- ‘પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે (અત્રે જણાવ્યું છે કે આત્મા પરને જાણે છે તે તેના સ્વભાવની અતિશયતા છે), ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતાં અનેક પ્રકારના જ્ઞેયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ અનેકરૂપ થઈ જતો થકો. અર્થાત્ અજ્ઞાનીને ખંડખંડરૂપ વિશેષ ભાવોમાં રહેલ જ્ઞાન સામાન્ય ભાવ જણાતો નથી = અખંડ ભાવ જણાતો નથી માટે ખંડખંડરૂપ વિશેષ ભાવોનો નિષેધ કરે છે, કારણ કે તે તેનાથી અખંડ જ્ઞાનનો = સામાન્ય જ્ઞાનનો નાશ માને છે એમ પોતે) નાશ પામે છે (અર્થાત્ અજ્ઞાન પામે છે અર્થાત્ અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતા જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન ખંડખંડરૂપ થઈ જતી માનીને અર્થાત્ અજ્ઞાની એમ કહે છે કે જ્યાં સુધી આત્મા પરને જાણે છે એમ માનવામાં આવે ત્યાં સુધી સમ્યગ્દર્શન થશે નહિ = સમયસારરૂપ આત્મા પ્રાપ્ત થશે નહિ અને તેથી જ એકાંતે એવી પ્રરૂપણા કરે છે કે, ‘આત્મા ખરેખર પરને જાણતો જ ""

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220