Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 215
________________ ૨૧૦ સમ્યગ્દર્શનની રીત હોય, કારણ કે કોઈ પોતાના રોગને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતા નથી. તેથી સાધકે અત્રે જણાવ્યા અનુસાર જન્મને અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ સમજીને, જન્મદિવસ વગેરેની ઉજાણી કરવા જેવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ જન્મ કે જે અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ છે, તે ભવિષ્યમાં ક્યારેય ન હજો ! અર્થાત્ સાધકે એકમાત્ર સિદ્ધત્વની પ્રાપ્તિ અર્થ અર્થાત્ અજન્મા બનવા અર્થે જ સર્વ પુરુષાર્થ લગાવવા જેવો છે. અનાદિથી પુગલના મોહમાં અને તેના માટેની જ મારામારીમાં જીવ દંડાતો આવ્યો છે અર્થાત્ તેના મોહના ફળરૂપે તે અનંતા દુ:ખો ભોગવતો આવ્યો છે, તેથી ત્વરાએ પુદ્ગલનો મોહ ત્યજવા જેવો છે. તે માત્ર શબ્દમાં નહિ, જેમ કે - ધર્મની ઊંચી ઊંચી વાતો કરવાવાળાં પણ પુદ્ગલના મોહમાં ફસાયેલાં જણાય છે અર્થાત્ આ જીવ અનાદિથી આવી જ રીતે પોતાને છેતરતો આવ્યો છે તેથી સર્વે આત્માર્થીને અમારો અનુરોધ છે કે આપે આપના જીવનમાં અત્યંત સાદાઈ અપનાવી પુદ્ગલની જરૂરિયાત બને તેટલી ઘટાડવી અને જાવજીવ દરેક જાતના પરિગ્રહની મર્યાદા કરવી અર્થાત્ સંતોષ કેળવવો પરમ આવશ્યક છે કે જેથી પોતે એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ માટે જ જીવન જીવી શકે કે જેથી તે પોતાના જીવને અનંતા દુઃખોથી બચાવી શકે છે અને અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી શકે છે. આત્માર્થીને કોઈ પણ મત-પંથ-સંપ્રદાય-વ્યક્તિવિશેષનો આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ અથવા પક્ષ ન જ હોવો જોઈએ; કારણ કે તે આત્માને માટે અનંત કાળની બેડી સમાન છે અર્થાત્ તે આત્માને અનંત કાળ રખડાવનાર છે. આત્માર્થીને માટે સારું તે મારું અને સાચું તે મારું હોવું અતિ આવશ્યક છે કે જેથી કરીને તે આત્માર્થી પોતાની ખોટી માન્યતાઓને છોડીને સત્યને સરળતાથી ગ્રહણ કરી શકે અને તે જ તેની યોગ્યતા કહેવાય છે. - આત્માર્થીએ દંભથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ અર્થાત્ તેને મન-વચન અને કાયાની એક્તા સાધવાનો અભ્યાસ નિરંતર કરતાં જ રહેવો જોઈએ અને તેમાં અડચણરૂપ સંસારથી બચતા રહેવું જોઈએ. આત્માર્થીએ એક જ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ મારા જીવનનો છેલ્લો દિવસ છે અને જે આ મનુષ્યભવમાં મેં આત્મપ્રાપ્તિ ન કરી તો હવે અનંત, અનંત, અનંત, ......... કાળ પછી પણ મનુષ્યજન્મ, પૂર્ણ ઇન્દ્રિયોની પ્રાપ્તિ, આર્યદેશ, ઉચ્ચકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની દેશના વગેરે મળે તેમ નથી, પરંતુ અનંત, અનંત, અનંત, .......... કાળ પર્યત અનંત, અનંત, અનંત, .......... દુઃખો જ મળશે. તેથી આ અમૂલ્ય-દુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એક પણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્ર ને માત્ર, ત્વરાએ શાશ્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે જ લગાવવા યોગ્ય છે. e૯૦

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220