Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 137
________________ Vol. XXXI, 2007 કાશ્યપ ઃ પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર अन्यत्र सर्वत्र तवर्गीयादी एव । સ્વાદિગણના આ ધાતુ વિશે સાયણ નોંધે છે કે ધાતુસૂત્રમાંના પ્રજ્ઞ નિ એ બે ધાતુઓનો પાઠ, ‘ક્ષી.ત.’ કાર, કાશ્યપ અને સમ્મતાકાર વ્રજ્ઞ વ્રુત્તિ એમ કરે છે, પણ ‘ક્ષી.ત.’ (પૃ.૪૫) માં વૃત્ત, ગિ, પ્રજ્ઞ ધ્વનિ તૌ । એમ ધાતુસૂત્ર મળે છે. ‘ધા.પ્ર.’ કે પુરુષકારમાં પણ આ ધાતુસૂત્રમાં, વ્રજ્ઞ વૃત્તિ એવો પાઠ મળતો નથી. કદાચ કાશ્યપે કે સમ્મતાકારે આવો પાઠ આપ્યો હોય એ શક્ય છે. સાયણે પોતે વન વ્રન તૌ । એમ ધાતુસૂત્ર (પૃ.૧૦૨)માં આપ્યું છે. ૨૨. ૪ = । પતે । (પૃ. ૨૦૪) 131 विपूर्वोऽयमिति स्वामिकाश्यपौ । मैत्रेयादयस्तु केवलमेवोदाजहुः । સ્વાદિગણના આ ધાતુ વિશે સાયણ ક્ષીરસ્વામી અને કાશ્યપના મત નોંધે છે કે તે બંને, આ ધાતુ વિ ઉપસર્ગ પૂર્વક જ પ્રયોજાય એમ માને છે, એટલે જ્યેતે એમ વ. કા. એ. વ. નું રૂપ થાય. નોંધવું ઘટે કે ‘ક્ષી.ત.’ (પૃ.૫૦) માં સાયણની જેમ જ આ ધાતુનો પાઠ મળે છે, વિપૂર્વક પાઠ મળતો નથી. ધા. પ્ર. (પૃ.૨૩)માં પણ કેવળ છ્ત ધાતુનો પાઠ મળે છે. કાશ્યપે કોઈ કૃતિમાં આધાતુને વિપૂર્વક પ્રયોજાતો જોયો હશે, તેથી આવો મત દર્શાવ્યો હોય એમ બની શકે. આ ધાતુસૂત્ર હેઠ વિવાધાયામ્ । ધાતુસૂત્ર પછી તરત જ આવે છે, તેથી જ ધાતુનો અર્થ પણ વિવાધા થાય છે. સંસ્કૃત સાહિત્યમાં આ ધાતુ બહુ ઓછો પ્રયોજાયેલો જોવા મળે છે. ૪. ક્રુદ્ધિ સાતે । ક્રુડતે । (પૃ. ૨૦૪) अत्र काश्यपः- ‘आर्यास्तु न पठन्ति । द्रमिडास्तु तं पठन्ति' इति । भाष्यादौ तु हुण्डेत्यविगीतमुदाह्रीयते । સાયણે નોંધ્યા પ્રમાણે કાશ્યપ માને છે કે આર્યો આ ધાતુનો પાઠ કરતા નથી, પણ દ્રમિડો તેનો પાઠ કરે છે. સાયણે નોંધ્યું છે કે મહાભાષ્યમાં તેનો પાઠ છે, તે વાત સાચી છે. તિોનુમ॰ । (૭.૧.૫૮) સૂત્રના દૃષ્ટાંત તરીકે ‘ડા દુખ્ખા’ શબ્દો આપ્યા છે. વધારામાં કહી શકાય કે ‘કાશિકા’ માં સંયોને ગુરુ | (૧.૪.૧૧) અને ગુરેશ હતઃ । (૩.૩.૧૦૩) સૂત્રના દૃષ્ટાંત તરીકે પણ ઉપર્યુક્ત બે શબ્દો આપ્યા છે. વળી બોપદેવના સિવાયના બધાંજ વ્યાકરણો જેવાં કે ચાન્દ્ર, જૈનેન્દ્ર, કાશકૃત્સ્ન કાતંત્ર, હેમચંદ્રના વ્યાકરણોમાં પણ આ ધાતુનો ‘સંઘાત’ ના અર્થમાં પાઠ કર્યોછે (Palsule, P.197). ગુજરાતી ભાષામાં નાણાંની આપ-લે કરવા માટેની શાહુકારી ચિઠ્ઠીને ‘હુંડી’ કહેવામાં આવે છે તે શબ્દ આજ ધાતુ પરથી આવ્યો હશે એમ લાગે છે. દ્રમિડોમાં આ ધાતુ અને તેના પરથી બનેલા શબ્દો કદાચ વધારે પ્રચલિત હશે. શ્મ. ત્રુટ વિનોદને । નોતિ (પૃ.૧૬૬) एतदादयः पाठत्यन्ताष्टवर्गतृतीयान्ताः इति कौशिककाश्यपनन्दि द्रमिडाः, ते चास्मादनन्तरे पिटहटी च पेठुः । સાયણ આ ધાતુસૂત્રમાં નોંધે છે કે કૌશિક, કાશ્યપ, નન્દિ અને દ્રમિડો કહે છે કે આ લુટ ધાતુથી

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168