Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 241
________________ ૨૦૦ ] સમર્થ – સમાધાન માટે તેઓ છેડા સમય સુધી જ અસંજ્ઞી રહેવાનાં કારણે કર્મગ્રન્થ” વગેરેના કર્તા કેટલાય પૂર્વાચાર્ય, દેવ (અને નરક) ગતિમાં અસંસીની વિવિક્ષા (ચર્ચા) નથી કરતા. પરંતુ ભગવતીજી શતક ૬ ઉદ્દેશા ૪ તથા શતક ૧૩ ઉદ્દેશા ૨ અને શતક ૧૮ ઉદ્દેશે ૧ તેમ જ જવાભિગમસૂત્રની બે પ્રકારના એની પહેલી પ્રતિપતિ અને પનાવણના ૨૮ મા પદના બીજા ઉદ્દેશા વગેરે સ્થાને ના સૂત્ર પાઠ પ્રમાણે દેવ (અને નરક) ગતિમાં સંસી અને અસંશી બંને ય હોય છે. આ કારણથી સૂત્રના મૂળ પાઠ પ્રમાણે તે દેવ (અને નરક) ગતિમાં સંસી અને અસંજ્ઞી બંને ય માનવા ઠીક લાગે છે. પ્રશ્ન ૧૮:–નિર્જરાના ૧૨ ભેદમાંથી દેવમાં ૪ ભેદ કહ્યા છે. અમુક મહાત્માઓનું કહેવું ૩નું જ છે તો સાચું શું છે? નારકીમાં નિર્જરાના ભેદ કેટલા છે? અને દેવતાઓમાં કેટલા ? જવાબ –નિર્જરાના ૧૨ ભેદમાંથી–વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને ધ્યાન રૂપ ચાર ભેદ મળી શકે છે. આના સિવાય પણ ભાવ-ઉનેદરી તેમ જ પ્રતિ સંલિનતા વગેરેનાં છેડા અંશ કેઈ વિશિષ્ટ દેવમાં મળી આવે, તે તે વાત નિરાળી છે. વૈયાવૃત્યના સિવાય બાકી નિર્જરાના ભેદ, દેવેની જેમ નરકમાં પણ છે, પરંતુ ત્યાં સ્વાધ્યાયનો ભેદ તે—કઈ દેવાદિકથી ધર્મકથા સાંભળવા કે બીજા કોઈ નૈયિકને સંભળાવવા વગેરે રૂપથી સમજવા જોઈએ. પ્રશ્ન ૭૧૯ –મતિ-શ્રુત જ્ઞાનમાં જીવના છ છ ભેદ કહ્યા છે, આ જ રીતે વિલંગમાં પણ છ ભેદ કહ્યા છે, તે શું વિભંગના ૬ જ ભેદ છે કે ઓછા વધારે અને તે કયા પ્રકારે છે? અને ઉપશમ તથા મિશ્રના છ છ ભેદ જ કહ્યા છે, શું આ બરાબર છે ? અને જો બરાબર છે તે ક્યા પ્રકારે છે? જવાબ –આપે કેની અપેક્ષાથી છ છ ભેદ પૂછડ્યા છે? તેને ખુલાસો આ પ્રશ્નોમાં નથી. જે આ સમુદઘાતની અપેક્ષાથી પ્રશ્ન પૂછયો હોય, તે આ પ્રકારથી ભેદ સમજવા મતિ વગેરે ચારે જ્ઞાન અને ઉપશમ-સમતિમાં કેવળી સમુદઘાતનાં સિવાય છે સમુદઘાત તથા ત્રણ અજ્ઞાન અને મિશ્ર સમક્તિમાં કેવળી કે આહારકના સિવાય ૫ સમુદઘાત મળે છે. પ્રશ્ન ૭૨૦ –પાપ-પ્રકૃતિનાં ૮૨ ભેદ છે, તેમાંથી દેવ અને નરકમાં કેટલા મળે છે? જવાબ –બંધની અપેક્ષાથી : નરકત્રિક, સૂકમવિક, વિકલત્રિક, એકેન્દ્રિય જાતિ અને સ્થાવર નામ, આ ૧૧ પાપ પ્રકૃતિએને છોડીને બાકીની ૭૧ પાપ-પ્રકૃતિને બધુ નરક ગતિમાં થાય છે. નરકત્રિક, સૂફમત્રિક અને વિકલત્રિક, આ ૯ પાપ-પ્રકૃતિઓને છેડીને બાકીની ૭૩ પાપ-પ્રકૃતિઓને અન્ય દેવગતિમાં થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274