Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 251
________________ ૨૧૦ ] સમર્થ-સમાધાન સાહણું” પાઠ આવ્યું છે તે કેવળી–સમુદઘતમાં આત્મપ્રદેશ સમસ્ત લોકમાં ફેલાય છે, આ અપેક્ષાથી છે કે બીજું કારણ છે? જવાબ:–સર્વજ્ઞતાને કારણે કેવળી ભગવાન પ્રથમ પદમાં મનાય છે, તો પણ તેઓ પાંચમા પદમાં તે જરૂર ગણાશે જ, કેમકે સિદ્ધોનાં સિવાય બાકીના ચારે પદને સમાવેશ પાંચમા પદમાં થાય છે, એટલે કે છઠ્ઠા ગુણસ્થાનથી ૧૪ મા ગુણસ્થાન સુધીનાં બધા સાધુ, પંચમ પદમાં સમજવા જોઈએ. તીર્થકરેની કેવળી–સમુદઘાત નથી થતી. કેવળી–સમુદ્દઘાતમાં આત્મ–પ્રદેશ સંપૂર્ણલોકમાં ફેલાવાથી તથા ત્રણે લોકમાં સાધુ હેવાથી “લેએ સવ” શબ્દ છે, તથા સ્વલિંગ, અન્યલિંગ, ગૃહસ્થલિંગ વગેરે રભેદોમાં રહેલા બધા ભાવ-સાધુઓની અપેક્ષાથી પણ “સલ્વશબ્દ કહ્યો છે તથા “લેએ સવ્વ” શબ્દ પંચમ પદની અનુસાર બાકીનાં ૪ પદોની સાથે સમજવામાં પણ કઈ વાંધો નથી. જેવી રીતે-લકના બધા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાયને મારા નમસ્કાર છે. પ્રશ્ન ૭૫૫૪–આયુષ્ય-બંધના ૬ ભેદ સૂત્ર શ્રી ભગવતી શતક ૬ ઉ, ૮ માં આવ્યા, જે જાતિ વગેરે છે, તેને આયુષ્ય-બંધ કેવી રીતે કહ્યા? અને બંધ નિધત્ત ( મજબૂત ) કહ્યા, તે આયુકર્મ નિધન (મજબૂત) બંધાય છે? કયા ક્યા કર્મનાં બંધ નિકાચિત થાય છે. અને કયા કારણથી? અને નિકાચિત બાંધતા સમયે બાંધવાવાળી બધી પ્રકૃતિ નિકાચિત હોય છે? આયુષ્ય બંધની પહેલાં કે પછી નિકાચિત બાંધી શકાય છે? સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ કેટલી હોય છે તેમજ પૂરી ભેગવવી પડે છે? જીવનમાં કેટલીવાર બાંધી શકાય છે? પહેલાં તે જ પ્રકૃતિ નિધત્ત (મજબૂત) બંધાયેલી હોય, તે તે પણ નિકાચિત થઈ જાય છે કે નહિ? નિકાચિત બંધ પ્રદેશો વડે છૂટી શકે છે? સંક્રમણ વગેરે થાય છે કે નહિ? જવાબ –આયુષ્યની પ્રધાનતા બતાવવાને માટે જાતિની સાથે આયુષ્ય શબ્દને પ્રયોગ કર્યો છે. આયુષ્ય કર્મને ઉદય થવા પર જ જાતિ વગેરેને ઉદય થાય છે. આથી આયુષ્યની પ્રધાનતા બતાવી છે. અહીં, “નિધત્ત” શબ્દ, નિધત્ત-બંધ વાચક નહિં, પરંતુ નિષેક ( બાંધેલા કને સમય સમય પર ભેગવવાને માટે કર્મ પુદ્ગલેની રચના વિશેષને “નિક કહે છે) વાચક છે. સેપક્રમ આયુષ્યના સાત ઉપક્રમનાં સિવાય આયુષ્ય કર્મનાં બંધને નિકાચિત જ સમજવા જોઈએ. અધ્યવસાય વિશેષથી આઠેય કર્મોના બંધ નિકાચિત થઈ શકે છે એવો સંભવ છે. જે સમયે એક પ્રકૃતિના નિકાચિત બંધ થાય છે, તે વખતે એક સાથે બાંધવાવાળી બધી પ્રકૃતિઓનાં એકાન્તરુપથી નિકાચિત બંધ જ થાય એ કોઈ નિયમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274