Book Title: Samaj Dharma ane Sanskruti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 192
________________ હિરજનો અને જૈનો ૦ ૧૬૫ એકહથ્થુ સત્તા ધરાવતા હોય ને તેને આધારે જ લોકોમાં વહેમ પોષતા હોય તેવા વર્ગનો ગુરુ તરીકે સદંત૨ ઇન્કાર કરવો; (૪) જે શાસ્ત્રો અને જે ગુરુવર્ગ એક અથવા બીજી રીતે હિંસાનું કે ધર્મક્ષેત્રમાં માનવ માનવ વચ્ચે અસમાનતાનું સ્થાપન-પોષણ કરતાં હોય તેનો વિરોધ કરવો અને સાથે જ સૌને માટે ગુણની દૃષ્ટિએ ધર્મનાં દ્વારો ઉન્મુક્ત કરવાં. આ અને આમાંથી ફલિત થતાં બીજાં એવાં જ લક્ષણો ઉ૫૨થી જૈન ધર્મનો આત્મા ઓળખી શકાય છે. એવાં જ લક્ષણો દ્વારા જૈન આચાર-વિચારનો અને તેનાં પ્રતિપાદક શાસ્ત્રોનો દેહ ઘડાયો છે. જૈનો ભગવાન મહાવીર કે બીજા કોઈ તેવા વિશિષ્ટ પુરુષને ક્રાંતિકાર, સુધારક અને પૂજ્ય તરીકે લેખતા–લેખાવતા હોય તો એમના એ દાવાની યથાર્થતા ઉ૫૨ સૂચવેલ જૈન ધર્મના પ્રાણને અમલમાં મૂકવાની શક્તિ ઉપર જ અવલંબિત છે. એવી શક્તિ જેનામાં ન હોય તેને જૈન ગુરુ કે પૂજ્ય તરીકે માની શકે નહિ, અને જેઓ એવું ધ્યેય માનતા ન હોય અગર માનવા–મનાવવામાં આડે આવતા હોય તેઓ જૈન પણ હોઈ શકે નહિ. આ બાબતમાં કોઈ પણ જૈન વાંધો લે એવો સંભવ જ નથી. આ દૃષ્ટિએ જ જૈન ધર્મનો વિચાર થઈ શકે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ હંમેશાં ધર્મનિમિત્તે થના૨ હિંસાનો વિરોધ કરતો આવ્યો છે, અને અહિંસાની પ્રતિષ્ઠામાં પોતાનો ફાળો દેતો આવ્યો છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ પોતાને જ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ માનનાર બ્રાહ્મણવર્ગના ગુરુત્વનો ઇન્કાર કરતો આવ્યો છે અને ઊંચ-નીચનો ભેદ ગણ્યા સિવાય ગમે તે વર્ણના ધર્મજિજ્ઞાસુને પોતાના સંઘમાં સ્થાન આપતો આવ્યો છે. તે એટલે લગી કે જેઓ સમાજમાં સાવ નીચી પાયરીએ લેખાતા અને જેઓ સમાજમાં તદ્દન હડધૂત થતા તેવા ચાંડાલ આદિને પણ જૈન ધર્મે ગુરુપદ આપ્યું છે; એટલું જ નહિ, પણ જે ઉચ્ચત્વાભિમાની બ્રાહ્મણો જૈન શ્રમણોને, એની ક્રાન્તિકારિતાને કારણે અદર્શનીય કે શૂદ્ર લેખતા, તેવા બ્રાહ્મણવર્ગને પણ, ધાર્મિક સમાનતાનો સિદ્ધાંત સજીવ બનાવવા માટે, જૈન ધર્મ પોતાના ગુરુવર્ગમાં સ્થાન આપતો આવ્યો છે. જૈન આચાર્યોનું એવું વલણ રહ્યું છે કે તેઓ હંમેશાં પોતાના ધ્યેયને સિદ્ધ કરવામાં બને તેટલો વધારેમાં વધારે જાતે ભાગ લે અને પોતાની આસપાસ વધારે શક્તિશાળી હોય એવી બધી સત્તાઓનો ઉપયોગ કરે. જે કામ તેઓ પોતે સરળતાથી ન કરી શકે તે કામ સિદ્ધ કરવા તેઓ પોતાના અનુયાયી કે અનુયાયી ન હોય એવા રાજા, મંત્રી, બીજા અધિકારી કે અન્ય સમર્થ જનોનો પૂરેપૂરો ઉપયોગ કરે. જૈન ધર્મની મૂળ પ્રકૃતિ અને આચાર્યોએ કે વિચારવાન જૈન ગૃહસ્થોએ લીધેલું ધાર્મિક વલણ એ બંને જોતાં કોણ એમ કહી શકે કે હિરજનો પોતે જૈન ધર્મસ્થાનોમાં આવવા માગતા હોય તો તેમને આવતા રોકવા ? જે કામ જૈન ધર્મગુરુઓનું અને જૈન સંસ્થાઓનું હતું અને હોવું જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232