Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 313
________________ સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૦૯ આત્મહિત ચૂકે તે જીવો “આતમઘાતી” કે “કુમતિ'. ૩૫ અર્થ - અન્ય દેવ, નારકી કે તિર્યંચના દેહમાં ઉત્તમ રીતે સંયમની સાધના નહિ જ બની શકે. માટે આ મનુષ્યદેહમાં ધર્મની સાધના થતી હોય તો અનન્ય મને તે કરી જ લેવી. લૌકિક કીર્તિ માટે કોઈ ક્રિયા કરે કે કરાવે તે મૂઢ મતિવાળો છે. આવા મનુષ્યભવમાં જે પોતાનું આત્મહિત ચૂકે તે જીવો પોતાના આત્માની ઘાત ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણથી કરે છે. અથવા તે કુમતિને ધારણ કરનાર છે. રૂપા હવે ‘ભગવતી આરાધના'ના આધારે આગળની ગાથાઓ જણાવે છે : કામ, ક્રોધ, મોહાદિ કષાયો કૃશ કરવાના મુખ્ય કહ્યા, રોગી ગરીબ કુશ કાયા સહ પણ સમાધિમરણ અયોગ્ય લ હ્ય છે . ક્ષમા ખગથી ક્રોધ હણો, ધરી લઘુતા, નિર્મૂળ માન કરો, સરળ બની માયા-મૅળ બાળો, સંતોષે સૌ લોભ હરો. ૩૬ અર્થ :- સમાધિમરણ માટે કામ, ક્રોધ, મોહાદિ કષાયોને મુખ્ય કુશ કરવા કહ્યું છે. રોગી, ગરીબ, કુશ કાયાવાળા હોય, પણ તેમના કષાયો કુશ ન હોવાથી તે સમાધિમરણને માટે અયોગ્ય કહ્યાં છે. ક્ષમારૂપ ખડ્ઝ એટલે તરવારથી ક્રોધને હણો, લઘુતા ધારણ કરીને માનને નિર્મૂળ કરો, સરળ બની માયાને મૂળથી બાળી નાખો અને સંતોષ ધારણ કરીને સર્વ લોભનો નાશ કરો, તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. ૩૧ાા કષાય દોષ વિચારી વિચારી શમાવવા અભ્યાસ કરો, અગ્નિ પરે પગ જેમ ન દેતા. તેમ કષાયો પરિહરો. કદરૂપું મુખ થાય કષાયે, રક્ત નયન થઈ તન કંપે, પિશાચ સમ ચેષ્ટા પ્રગટાવી, રહેવા દે નહિ સુખ-સંપે. ૩૭ અર્થ - કષાયના દુર્ગુણોને વિચારી વિચારીને શમાવવાનો અભ્યાસ કરો. જેમ અગ્નિ ઉપર આપણે પગ દેતા નથી તેમ કષાયોને પણ અગ્નિ જેવા ગણી તેનો ત્યાગ કરો. ક્રોધ કષાયવડે મોટું કદરૂપું થાય છે. અને આંખો લાલ થઈ શરીર કંપવા લાગે છે. વળી રાક્ષસ સમાન ચેષ્ટાઓ કરાવી સુખ શાંતિથી રહેવા દેતા નથી. //૩ાા તપસૅપ પલ્લવ ભસ્મ કરી દે, શુંભકર્મ-જલ શોષી લે, કાદવ ખાઈ બને મન-સરિતા, કઠોરતા વ્યાપે દિલે; પ્રાણીઘાત કરાવે, જૂઠી વચન-પ્રવૃત્તિ પ્રેરે છે, આજ્ઞા પૂજ્ય પુરુષની ભેલવે, યશ-ધનને સંહારે છે. ૩૮

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351