Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 5
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા મકડાં, ધાતુ અને પત્થરે મૂર્તિ અને મંદિરમાં, કેવી કેવી રીતે, યા કયા જમાનામાં, કેવો કેવો ભાગ ભજવ્ય, એક પછી બીજી વિસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ. આવી રીતે આવ્યા, અને તેની જગાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ વી રીતે શરુ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારે અને ખિ માણસેના યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામ કરતા એ બધો ઈતિહાસ ભારે જાણવા જેવો હોવા છતાં આપણે આજની મર્યાદાની બહાર છે. - ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે કીર્થો ઉભાં કર્યો છે. અને ત્યાં જવાનું તથા તેના પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાનો આપણો ઉદ્દેશ પણ એ જ છે. તેમ છતાં આજે આપણે તીર્થસંસ્થાદ્વારા એ ઉદેશ કેટલો સિદ્ધ કરીએ છીએ, એ તમે જ વિચારે. વેતાંબર, દિગંબર બન્ને ફીરકાઓને આજે પોતાનું પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એક માત્ર ધામ તીર્થો જ રહ્યાં છે. એમનો મઝિયારે બીજી કઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઈ રહ્યો હોય અથવા મઝિયાર ન હોવા છતાં, મઝિયારા૫ણુને ફાંસે ઉભો કરતા હોય તો તે માત્ર તીર્થોમાં જ છે. પ્રસિદ્ધ એવું એકે તીર્થ નથી કે જયાં બને પક્ષને ઝઘડો ન હોય, અને જેને માટે કેટે ન જતા હોય. મારે જરા પણ તરફદારી કર્યા સિવાય અને કોઈ પક્ષપાતનો આરોપ મૂકે તો તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવું જોઈએ કે જયાં જ્યાં માત્ર દિગંબરનું આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે વેતાંબર મઝિયાર કરવા ગયા નથી, જ્યારે દુઃખની વાત એ છે કે દિગંબરે એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર તાંબરનું આધિપત્ય પહેલાં હતું અને હજી પણ છે, એવાં તીર્થો સુહામાં તેઓ જાણે ધર્મની ભારે પ્રભાવના કરતા હોય તેમ 4ખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. ક્યારેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24