Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 21
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા ૭૫ છે એ સમજતો જ નથી. આધ્યાત્મિકતા એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચોક્કસ બંધનમાં નથી હોતી, નથી રહી શક્તી, ઉલટું ઘણીવાર તો ગુંગળાઈ જાય છે. જે આધ્યાત્મિકતા જીવનમાં હોય અથવા સાચે જ લાવવી હોય તે તેને કોઈ પણ સાથે વિરોધ નથી. કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પોષી શકાય, અને એ બધાથી છુટીને પણ ઘણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી આવે છે, જેને બાહ્ય કોઈ વસ્તુ સાથે વિરોધ નથી. અલબત્ત આધ્યાત્મિક જીવનની કળા જાણવી જોઈએ અને એની કુંચી લાધવી જોઈએ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને નામે પુરુષાર્થને અને પુરુષાર્થને ઘાત કરીએ છીએ. પુરુષાર્થ કરે. એટલે આધ્યાત્મિકતા પાસે જ છે. વગર નોતરે ઉભી જ છે. કેને દારૂ પીતા છેડવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છેડવવામાં (અને તે પણ અહિંસા ને સત્યધારા) સપુરુષાર્થ નહિ તો બીજું શું છે એનો જવાબ કેઈ આગમધર આપશે ? વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાળીશ વર્ષને સાધુસંસ્થાનો ઈતિહાસ આપણને શું કહે છે તેમની આધ્યાત્મિકતાને પૂરાવો તેમાંથી કેટલે મળે છે ? છેલ્લા દશ વર્ષને જ . જે પક્ષાપક્ષી, કાર્ટબાજી, ગાળગલોચ અને બીજી સંકુચિતતાઓને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તો તો અનિચ્છાએ પણ કબુલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એક બાજુ દેશહિતના કાર્યમાં કશો જ ફાળો નહિ, અને બીજીબાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ નહિ એમ બન્ને રીતે દેવાળું કાઢીને કોઈ પણ ત્યાગી સંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી હજાર વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન. સાધુસંસ્થાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લોકોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24