Page #1
--------------------------------------------------------------------------
________________
માં કુદરતી સકળ નમણી હો
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા
તથા તેને ઉપયોગ જ્યાં ધાર્મિક આત્માઓને કાંઈપણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન છતાં જ્યાં કેાઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઈમારતની, સ્થાપત્યની મૂર્તિની કે એવી કાંઈ વિશેષતા આણું હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઉભાં થઈ જાય છે. ગામ અને શહેરે ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠે બીજા જળાશયો અને નાના મોટા પહાડે એ જ મોટે ભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.
જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ, કેટલાંક સુંદર તીર્થો ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશયો પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડોની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્થાન કે પશ્ચિમ હિંદુસ્થાન, દક્ષિણ હિંદુસ્થાન કે ઉત્તર હિંદુસ્થાન જ્યાં જાઓ ત્યાં જેનેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડોની ઉપર જ આવેલાં છે. માત્ર વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંબર સંપ્રદાય સુદ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડની જ છે. જ્યાં શ્વેતાંબરેને જરાપણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાંક ખાસ દિગંબરનાં તથા દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાનો પસંદ કરતા. વળી ભક્તવર્ગ હો
Page #2
--------------------------------------------------------------------------
________________
પ૬
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને
કે મનુષ્યમાત્ર છે, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાના વિકાસ ઉપરથી જાણી શકાય છે, ગમે તેટલું ભેગમય અને ધમાલી જીવન ગાળ્યા પછી પણ છેવટે અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક માણસ આરામ અને આનંદ માટે કયાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દેડાવે છે એ આપણે તીર્થસ્થાનોની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ.
તીર્થોનું બધું તેજ અને મહત્ત્વ એ આજે મૂર્તિપૂજા ઉપર અવલંબિત છે. કોઈ જમાનામાં અને તે પણ ક્યાંક ક્યાંઈક તીર્થસ્થાનમાં વિદ્યાની પ્રતિષ્ઠા, પ્રચાર અને વિદ્વાનોની કાયમી ગોછી ભલે રહી હોય, પણ આજે તે કાશી જેવા એકાદ સ્થળને બાદ કરીએ તો તીર્થસ્થાનમાં વિદ્યા અને વિચારને નામે લગભગ મીડું જ છે. ખાસ કરીને આખા હિંદુસ્તાનમાં જૈન તીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદ હાય, વિચારકેની ગણી હોય, અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકે આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જેન વિદ્યામઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય, અને પિતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણુયતામાં કાં તો તપ અને કાં તો વિદ્યા અને કાં તે બન્ને ચેતના પૂરે છે જ્યારે, આજના આપણું તીર્થોમાં તપ અને વિદ્યાને નામે શું છે તે તમે બધા જ જાણે છો મૂર્તિની માન્યતા અને પૂજા આ દેશમાં બહુ જ જૂનાં છે. દેવોની અને પ્રાણુઓની પૂજા પછી, મનુષ્યપૂજાએ કયારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું આજે કઠણ છે. છતાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વીજીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાનપુરુષના
WWW.jainelibrary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
પ૭.
સાધુસંસ્થા અને તીર્થ સંસ્થા સના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂતિપ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબીત કરવાને પૂરતાં સાધન છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષોત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તો કેટલા પ્રમાણમાં અને કેવી તે આપણે નથી જાણતા. પણ જેન અને બૌદ્ધસંઘની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રચાર પછી રામ અને કૃષ્ણની પૂજા વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિષે કશી જ શંકા નથી. જેમ જેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષો તરીકે પૂજાવા લાગ્યા તેમ તેમ પક્ષીઓ દેવદાનો અને કોમળ તેમજ ભયંકર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતો ગઈ, તેમ છતાં હજી પણ એનાં અવશેષો તો છે જ.
તીર્થોના વિકાસમાં મૂર્તિપ્રચારને વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિનિર્માણકળા અને સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણું દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ છે, અને જે મેહકતાઓ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભોગસ્થાનમાં સ્થાપત્ય આવ્યું છે ખરું; તેનું મૂળ ધર્મસ્થાનો અને તીર્થસ્થાનમાં જ છે.
જેનોનાં તીર્થો એ કાંઈ બે પાંચ કે દશ નથી પણ સેંકડાની સંખ્યામાં અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ પરંતુ
જ્યાં જાઓ ત્યાં ચારે તરફ મળી આવે છે. એ જ એક વખતના જેનસમાજના વિસ્તારને પૂરાવો છે. જેનતીર્થોની ખાસ એક સંસ્થા જ છે, જો કે આજે દિગંબર અને વેતાંબર એ બે ભાગમાં તે વહેચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણસે કાયમને માટે રોકાયેલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસંભાળમાં અને બીજી બાબતમાં ખરચાય છે, અને એ તીર્થોની પાછળ કેટલું ધન વપરાય છે એને પૂરે અને સાચે ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી છતાં અટકળથી ઓછામાં ઓછું કહેવું હોય તો એમ કહી
WWW.jainelibrary.org
Page #4
--------------------------------------------------------------------------
________________
૫૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યા
શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી ઓછા કાયમી માણ નહિ હોય, અને જુદીજુદી અનેક બાબતમાં પચાસ લાખથી એ ખર્ચ થતો નહિ હોય એ સંસ્થાની પાછળ કેટલીક જગે જમીનદારી છે, બીજી પણ સ્થાવર જંગમ મિલ્કત છે અને રે નાણું, સોનું, ચાંદી તેમ જ ઝવેરાત પણ છે. ઘરમંદિરે ૨ તન ખાનગી માલિકીનાં મંદિરને બાજુએ મૂકીએ તે પણ જે ઉપર નાના મેટા સંઘની માલીકી હોય, દેખરેખ હોય એ સંઘમાલિકીના મંદિરોના નાના મોટા ભંડારો હોય છે. એ ભંડાર નાણુનું ખાણું ભંડેળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. ફ વેતાંબર સંઘની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછું એક ક જેટલું તો આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શું નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં તેની સારસંભાળ રાખવામાં અને તે ભરપાઈ ન જાય તે માટે ચાંપતા ઈલાજે લેવામાં જેને ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બી. કોઈપણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જેનસંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખ તમે ભાગ્યે જ જેશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદ્દેશ સિવાય બી ક્યાંઈ ખર્ચાય નહિ, વેડફાય નહિ, અને અંગત કેાઈ એને પચા ન જાય એ માટે પણ જૈનસંઘે એક નૈતિક અને વ્યાવહારિક સું વાતાવરણ ઉભું કર્યું છે. જેને બચ્ચો દેવદ્રવ્યની એક પણ કે પિતાનાથી બને ત્યાંસુધી, પોતાના અંગત ભોગમાં વાપરવા કદી રહે કે તૈયાર હોતો નથી. એમ કરતાં એ, સંસ્કારથી જ બહુ ડરે. અને કાંઈક સામાજિક બંધારણ પણ એવું છે કે કેાઈએ દેવદ્રવ્ય પચા એમ જાણ થતાં જ એની પાછળ સંઘ અથવા સાધુઓ પડે ! અને એ વ્યક્તિને જવાબ દેવે ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપ જવાના કિસ્સા મળી આવે ખરા પણ તે ન છૂટકે જ. અથવા જ્યાં હાથમાં કાંઈપણ બાજ ન રહી હોય ત્યારે જ.
તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિરને, ભંડારને અને ! નીકળવાને, એમ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઈતિહાસ
Page #5
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા મકડાં, ધાતુ અને પત્થરે મૂર્તિ અને મંદિરમાં, કેવી કેવી રીતે,
યા કયા જમાનામાં, કેવો કેવો ભાગ ભજવ્ય, એક પછી બીજી વિસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ. આવી રીતે આવ્યા, અને તેની જગાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ વી રીતે શરુ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારે અને ખિ માણસેના યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામ કરતા એ બધો ઈતિહાસ ભારે જાણવા જેવો હોવા છતાં આપણે આજની મર્યાદાની બહાર છે. - ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે કીર્થો ઉભાં કર્યો છે. અને ત્યાં જવાનું તથા તેના પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાનો આપણો ઉદ્દેશ પણ એ જ છે. તેમ છતાં આજે આપણે તીર્થસંસ્થાદ્વારા એ ઉદેશ કેટલો સિદ્ધ કરીએ છીએ, એ તમે જ વિચારે. વેતાંબર, દિગંબર બન્ને ફીરકાઓને આજે પોતાનું પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એક માત્ર ધામ તીર્થો જ રહ્યાં છે. એમનો મઝિયારે બીજી કઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઈ રહ્યો હોય અથવા મઝિયાર ન હોવા છતાં, મઝિયારા૫ણુને ફાંસે ઉભો કરતા હોય તો તે માત્ર તીર્થોમાં જ છે. પ્રસિદ્ધ એવું એકે તીર્થ નથી કે જયાં બને પક્ષને ઝઘડો ન હોય, અને જેને માટે કેટે ન જતા હોય. મારે જરા પણ તરફદારી કર્યા સિવાય અને કોઈ પક્ષપાતનો આરોપ મૂકે તો તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવું જોઈએ કે જયાં જ્યાં માત્ર દિગંબરનું આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે વેતાંબર મઝિયાર કરવા ગયા નથી, જ્યારે દુઃખની વાત એ છે કે દિગંબરે એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર
તાંબરનું આધિપત્ય પહેલાં હતું અને હજી પણ છે, એવાં તીર્થો સુહામાં તેઓ જાણે ધર્મની ભારે પ્રભાવના કરતા હોય તેમ
4ખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. ક્યારેક
Page #6
--------------------------------------------------------------------------
________________
આ પર્યુષણ પર્વનાં વ્યાપ એક તે કયારેક બીજો પક્ષ જિતે છે. જિતને આધાર પૈસા લડનારાઓની કુશળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એ મુદ્દા પર એક પક્ષ આજે તો બીજો પક્ષ કાલે જિત મેળ અને પોતાની જિતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને ! ખુશાલી ઉપજે છે. બન્ને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં સંસ્કાર પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કોઈપણ એક તી તકરારને ફેંસલે પિતાની વિરુદ્ધ થયો છે એમ સાંભળતા વે પિતાની અંગત મિલ્કત જવાના દુઃખ કરતાં પણ વધારે દુઃખ આઘાત લેક અનુભવે છે. અને એ દુઃખ અને આઘાતમાંથી ! ફરી લડવા કે લલચાય છે, નાણું ભરે છે અને બુદ્ધિ ખર્ચે આ રીતે એકબીજાની વારાફરતી હારજિતનાં ચક્રો સતત ચાલ્યા, છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક દળાઈ જાય એ દળણ–આટાનો ફાયદો બેમાંથી એકેને ભાગે નથી આવતું. પૂરે ફાયદો એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉઠાવે છે.
શકે અને હુણોના પછી મુસલમાને આવ્યા, તેમણે જેમાં અને મંદિર ઉપર હથોડા ચલાવ્યા, એમાંથી બચવા આપણે ફરમ પણ મેળવ્યાં અને કયાંક ક્યાંક પરાક્રમ પણ કર્યા. આજ આ માનીએ છીએ કે આપણું તીર્થો અને મંદિરે સુરક્ષિત છે. સાચે ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું કારણ કે અત્યારે હું આપણું મંદિરે કે મૂર્તિઓ સામે આંગળી ઉઠાવતાં પણ વિર કરે છે. તેમ છતાં જરાક ઉંડા ઉતરીને જોઈએ તો આપણે લાગશે કે આપણું તીર્થો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહે કદી નહોતાં. કોઈ ગિઝની, કાઈ અલાઉદ્દીન કે કાંઈ ઔરંગ આવતો તો તે કાંઈ ચારે ખૂણે ફરી નહેતો વળતો અને જ પહોંચતો ત્યાં પણ કાંઈ ત્રણ સાઠ દિવસ કુહાડાએ નહે ચલાવતે. વળી જે કુહાડા અને હથોડાઓ ચાલતા તેનું દેખ પરિણામ એવું આવતું કે આપણે પાછા એ મૂર્તિ અને મંદિરો
Page #7
--------------------------------------------------------------------------
________________
ધુસંસ્થા અને તી સસ્થા
૬૧
દી સમરાવી લેતા અને ફરી એવા આધાતાથી બચવા ફળ અને વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી મૈં સ્વતંત્રતા સચવાવાનાં વચનેાની વારવાર રાજ્યકર્તાઓ ચી ધાષણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ વેતા કાઈ મૂર્તિ કે મંદિર તરફ હાથ ઉગામતું નથી. એકહું એ શાંતિ રાજ્યકર્તાઓએ આપણને અર્પી એ બદલ થાડા આભાર માનીએ, પણ બીજી રીતે એમણે રાજ્યતંત્રની વણુ જ એવી કરી છે કે તમે પેાતાની મેળાએ જ પેાતાનાં મૂર્તિ | મદિરા પર થાડાએ ટીકા, કુહાડા મારા અને માથાં પણ. . બહારના કાઇ તીર્થજક ન આવે એવી વ્યવસ્થા તા કાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાચવવા ખાતર કરે જ છે. પ પેાતે જ પેાતાના તીભજક થાએ અને ધરમરથી પણ. માદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી બરબાદી કાવવામાં સરકાર, ધામિ`ક સ્વતન્ત્રતામાં ડખલગીરી અને છે, એણે તંત્ર ઉભું કર્યું છે કે તમે પાતે જ રાત અને દિવસ એક નાં મૂતિ અને મંદિશ તાક્યા કરી અને કહ્યા કરે કે આ મતંત્રમાં અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે. સીધી રીતે અમલદાર કે કાયદા તમને નથી કહેતા કે તમે તમારાં જ ઉપર હશેાડા મારે., પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય નાની મેાહની જ એવી છે કે તમે હંમેશાં એકખીજાનાં મૂર્તિ મશિ તાક્યા કરે અને અંદાઅંદર લયા કરા. ક્યારેક થી હરખાઈ અને ક્યારેક હારથી નાખુશ થઈ હુંમેશાં તમે નિ તૈયાર રહા એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન વાથી જ આપણે પ્રીવીકૈસીલ સુધી દોડીએ છીએ અને જાણે યેલા ગણાતા સાંપ્રદાયિક વકીલાને એ સિવાય બીજું કામ જ ય અથવા એ સિવાય એક કાર્યમાં તેમને આસ્તિકતાની છાપ મળવાની હાય, તેમ તે આ દેશમાં અને વિલાયતમાં તીર્થાંની.
Page #8
--------------------------------------------------------------------------
________________
૬૨.
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને લડાઈમાં પિતાની બધી જ શક્તિ ખચ રહ્યા છે. આપણું દેશી સૌથી મેટ સત્યને ઉપાસક પેદા થયો છે એમ તે વકીલો એ આગેવાન પૈસાદાર માને છે. છતાં તકરારનો ચુકાદે એમને મ એમને હાથે કરતાં બીજા કોઈને હાથે વધારે સારો થવાનો સંભ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્ર
સ્વરૂપ આપણી સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીશ વર્ષ તીર્થોની હારજિતને ઈતિહાસ જે આપણે વાંચીએ અને અત્યા કયાં કયાં અને કેવી કેવી રીતે આવા ઝઘડાઓ ચાલે છે, તે કે ચલાવે છે, કેમ પોષાય છે, અને એના મૂળ વાંધાઓ શા છે જે જાણીએ તો આપણને આપણું મૂર્ખતાના ભાન ઉપરાંત મૂર્ખતાનું પિષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાનો * આપનાર રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાં કોઈ આ દષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તે છે કે ઝનુની મુસલમાનોના રાજ્યકાળ દરમ્યાન તેમને હાથે થયે નુકસાન કરતાં, આ રાજ્યકાળ દરમ્યાન આપણે, આપણે હાથે તીર્થરક્ષા નિમિત્તે તીર્થનો અને તેના ઉદેશનો વધારે દવંસ કર્યો છે અને હજુ આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે આ વધારે એ નાશ કર્યો જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિ થાય છે તે એ છે કે અત્યારે જ આપણું તીર્થો વધારે જોખમમાં છે
આ તે બરબાદીની વાત થઈ, પણ આ તીર્થસંસ્થા મારફ આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈએ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જ તીર્થસસ નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તે જ્ઞાનોની જરુર અનિવાર્ય છે. કોઈ પણ જમાનામાં જૈન તી નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી. અત્યા તે બીજે કોઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈ કેટલાંક તીર્થસ્થાનેમાં વિદ્યાલય સારી રીતે નભી શકે. કેટલી આબુ જેવાં પ્રકૃતિ રમણીય જૈન તીર્થ છે કે જ્યાં અંગ્રેજો એ
Page #9
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા બીજા લોકે વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણનો ફાયદો મહઠાવી રહ્યા છે, ત્યારે જેનોને એ વાત સૂઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે. જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે. બીજાનાં વિદ્યાધામે જોઈ રાજી થાય છે અને પિતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જેને કાશીમાં યાત્રાર્થે જાય છે પણ કોઈને ત્યાંની વિદ્યાગાછીની ખબર નથી, વિધાનની જાણ નથી, એ જાણવાની તેમને ઈચ્છા જ થતી નથી. યાંનાં વિદ્યાધામ કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી કારણકે એમણે પિતાનાં કાઈ પણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને કલ્પના એક જ છે અને તે એક તીર્થસ્થાનોમાં મંદિરો અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય, બીજું હોવાની શું જરૂર છે ? પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભકિત અને ઉદારતા જેવાં બળો દ્વારા સધાવી જ જોઈએ. અને જો વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસ વિદ્યાલયો ચાલતાં હોય, તેમાં બન્ને સંપ્રદાયના હજારે બાળકે ભણતા હોય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાને બ્રહ્મ આદર્શ તેમની સામે હેય તો સમાજને આ તકરાર પાછળ બળ ખર્ચવાની બહુ જ થોડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હતો ત્યાં સુધી માણસ પિતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજનો દેશધર્મ આપણને બે વાત શિખવે છે એક તો આ રાજતંત્રના માયાવી રૂપના ભોગ બની પોતાને જ હાથે પિતાનાં મૂર્તિ અને અને મંદિરને નાશ ન કરે; અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તે તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખો.
આપણે તીર્થની લડાઈમાં જિતનાર પક્ષ માની લઈએ છીએ કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજીવાર બીજો પક્ષ તેમ માને છે, પણ બન્ને પક્ષ એ ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથ પગ
Page #10
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જેવાં અંગેને જ સાચવવા પ્રાણ પાથરે છે, અને તેમાંથી ઊડી તાજ આત્માને બચાવવા કેાઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ પણ તેમને આ હાથપગને બચાવવાનો પ્રયત્ન જ ઉલટે શરીરમાંથી આત્માને ઉડાડી રહ્યો છે. જૈન તીર્થને આત્મા અહિંસા અને શાંતિ છે. લડાઈ મારફત આપણે એક પક્ષે જિત મેળવી એટલે તેણે હાથ બચાવ્યો, બીજાએ જિત મેળવી એટલે તેણે પગ બચાવ્યો; પણ બંનેએ હાથપગ બચાવવા જતાં તીર્થમાંથી આત્મા ઉડાડી દીધે, કારણ કે હમણાં હમણુની તાજી તીર્થની લડાઈએ તમને કહે છે કે તે નિમિત્તે મનુષ્યહત્યા સુદ્ધાં કરી ચૂક્યા છે, અથવા તે હત્યા થવામાં નિમિત્ત થયા છે. જે આ આત્મા જ ન હોય અને છિન્નભિન્ન અંગવાળું માત્ર કલેવર જ હોય તો હવે એ માટે શું કરવું અને શું ન કરવું એ કહેવાની જુદી જરૂર રહેતી નથી.
જાણુને જ સાધુસંસ્થાની ચર્ચા પાછળથી કરું છું. આજની સાધુસંસ્થા એ ભગવાન મહાવીરને આભારી છે. પણ એ સંસ્થા તો એથીયે જૂની છે. ભગવતી જેવા આગમોમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાતો આવે છે. તેમાંના કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિરોધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહ તરેહના પ્રશ્નો કરે છે. પણ છેવટે એ પાર્થાપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્યપરંપરામાં કાંતો સમાઈ જાય છે અને કાંતિ તેમાંના કેટલાક સડેલો ભાગ આપોઆપ ખરી જાય છે. અને એકંદર પાછો ભગવાનના સાધુસંધ નવે રૂપે જ ઉભો થાય છે, અને તે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. તેના રહેણું કહેણીના, અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમો ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કોઈ ભંગ કરે તો એને શાસન
Page #11
--------------------------------------------------------------------------
________________
૬પ
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં નિયમો ઘડાય છે. નાના મોટા અધિકારીઓ નિમાય છે. એ બધાનાં કામેની મર્યાદા અંકાય છે. સંઘસ્થવિર, ગુચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણું વગેરેની મર્યાદાઓ અરસપરસના વ્યવહારે, કામના વિભાગો, એક બીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એક બીજા ગુરુની પાસે જવા આવવાના, શિખવાના, આહાર વગેરેના નિયમનું જે વર્ણન છેદસૂત્રોમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરત્વેના આચાર્યોના ડહાપણ વિષે અને દીર્ધદર્શિતા વિષે માન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ પણ આજ કાઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણનો અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. '
આ દેશના ચારે ખુણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમ્યાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હોવાનું કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરો થયો કે કેટલે ઘટાડે થે તેની ચક્કસ વિગત આપણી પાસે નથી. છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ સુધી તો એ સંસ્થામાં ઘટાડે નહેતો જ થયે-કદાચ વધારે થયે હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાંએ ભિક્ષુણુઓ જૈન સાધુસંધમાં હતી, અને બીજા પરિવ્રાજક પંથમાં પણ સ્ત્રીઓ હતી, છતાં એટલું તે ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો અને એની વ્યવસ્થા વધારે મજબુત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઈચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંઘમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
પયુષણ પર્વનાં વ્યાખ્યાને એમને સ્થાન આપવું પડયું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુ સંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે.
સાધુસંસ્થા મૂળમાં હતી તે એક, પણ પછી અનેક કારણે વહેંચાતી ગઈ. શરૂઆતમાં દિગંબર અને ભવેતાંબર એવા બે મુખ્ય ભેદ પડયા. અને દરેક ભેદની અંદર બીજા અનેક નાના મોટા ફાંટા પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતો ગયે, ચોમેર દેશમાં તેનો વિસ્તાર તે ગયો, અને નવનવી જાતો તથા લેકે તેમાં દાખલ થતા ગયા, તેમ તેમ સાધુસંસ્થા પણ વિસ્તરતી ગઈ અને
મેર ફાલતી ગઈ એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછોવત્તો શિથિલાચારીને વર્ગ પણ થતો આવ્યો છે. પાસસ્થા, કુશીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જૂનાં વર્ણન છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હોવાને પૂરાવો છે. કયારેક એકરૂપમાં તો કયારેક બીજા રૂપમાં, પણ હમેશાં આચારવિચારમાં મેળો અને ધ્યેયશન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતો જ આવ્યો છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે ત્યારે વળી કોઈ તેજસ્વી આત્માએ પોતાના જીવનધારા એમાં સુધારો પણ કર્યો છે. ચૈત્યવાસિઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતીઓ જેરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એકવારના સુધારકે અને જ્ઞાન, ત્યાગ તેમજ કર્તવ્ય દ્વારા સાધુસંસ્થાને જીવિત રાખનારા, તેનાજ વંશજો બેચાર પેઢીમાં પાછા ખલનાઓ કરનારા થાય અને વળી કેાઈ એ ખલનાઓ સામે માથું ઉંચકનાર આવી ઉભો રહે. આ બગાડા સુધારાનું દુવચક્ર જેમ બીજી સંસ્થાઓમાં. તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એને જુદો ઈતિહાસ તારવો હોય તો તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે.
- સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ચેયની સિદ્ધિ માટે સાધના કરનાર તે ધ્યેયને ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે
Page #13
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસ સ્થા
१७ તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધનો, તેનાં મળે, તેના વિક્ષેપ અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પોતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યો છે કે જ્યાં સુધી પોતે પિતાનું જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પિતે પોતાના ધ્યેયપરત્વે સ્પષ્ટ ભાન ન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દોરી શકે ? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જે કાઈની દોરવણી કરવાની હોય તે તે પહેલાં, એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીને સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, નેહીઓ અને બીજા લેકેથી અલગપણું, કોઈપણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકહેણીના નિયમે એ બધું યોજાયેલું હતું. જેમ કેાઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઉંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગા સંબંધીઓના ત્યાગની, અને બીજી કેટલીક સગવડની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાર્થી જેન સાધુને માટે પણ છે. પરંતુ જેમ આજે ઉંમર થયા, પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં, છોકરાઓ અને કન્યાઓ બાપ કે મા બની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પોતાના જીવનની ઉંડી વિચારણા કર્યા વિના કે, પાકી સ્થિરતા આણ્યા વિના જ મોટે ભાગે સાધુ વર્ગ ઉપદેશકના કામમાં પડી ગયો. એનું પરિણુંમ સમાજની દૃષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તે નુકસાન જ થયું છે. જે સગવડ અને જે નિવૃત્તિનાં વિધાને જીવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઉડી જતાં કે ખસી
Page #14
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જતાં, અથવા તે અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડે અને એ નિવૃત્તિનાં સાધનો તે જેમને તેમ સાધુસંસ્થા માટે ઉભા રહ્યાં, ઉલટું ઘણીવાર તો એ સગવડે અને એ નિવૃત્તિનાં વિધામાં વધારે પણ થયું, અને બીજી બાજુથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાંતે તદન બાજુએ જ રહી ગયું અથવા કાંતે તદ્દન ગણ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જૈન જેવા ત્યાગપ્રધાન સાધુસંધના ઇતિહાસમાં ગૃહસ્થ કે રાજાઓને શોભે તેવાં સાધને, સગવડો અને ભપકાઓ સાધુઓની આસપાસ વીંટળાયેલા જોઈએ છીએ. મૂળમાં તે રાજાઓને ખજાનો એટલા માટે સંપાયેલ કે તેઓ પોતાના ક્ષત્રિચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સાંપલું કે તેઓ તેને પોતાના તેજથી કાબુમાં રાખે, અને જરૂર પડે ત્યારે એ ખજાના અને લશ્કરને ઉપયોગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જે રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત રહે અને બળસંપન્ન રહે, તે આફત વખતે વધારે કામ આપે એટલા માટે ટાઢ તડકાથી બચાવવા છત્રચામરની યોજના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યાં, કેાઈ પુછનાર ન રહ્યું, યારે એ રાજાએ લશ્કર, ખજાને, છત્રચામર વગેરેને પિતાનું જ માનવા લાગ્યા, અને પોતાના અંગત સાધન તરીકે એને ઉપયોગ કરવા મંડયા. એટલું જ નહિ પણ પિતાની આડે કેાઈ આવે, તો એ સાધનનો ઉપયોગ તેઓ પ્રજા સામે પણ કરવા લાગ્યા અને પિતાનું પ્રજાપાલનનું ધ્યેય બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સેંપવામાં આવેલ સગવડેના ભાગમાં જ પડી ગયા. જે વસ્તુ રાજાઓ માટે સાચી છે-મનુષ્યસ્વભાવના ઈતિહાસ પ્રમાણે એ જ વસ્તુ સાધુસંસ્થા માટે પણ સાચી જ છે. જીવનની સાધનાનું ધ્યેય સરી પડતાં તે માટે
જાયેલી સગવડ અને ઘડેલાં વિધાનો જ તેમના હાથમાં રહ્યા, અને એ સગવડના બેગમાં અને એ વિધાનના આચરણમાં જ તેમને
Page #15
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા સાધુપણું સમજાયું. બીજાઓ પણ તેમ સમજવા લાગ્યા અને સાધુઓ પણ લેકેને એમ જ જાણેઅજાણે સમજાવતા ગયા.
પરંતુ એ ઉપરથી કેાઈ એમ ન ધારે કે સાધુસંસ્થા આખી જ સગવડભોગી અને તદ્દન જડ બની ગઈ હતી. એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષો પણ પાક્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણું કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તો હતી છતાં આંતર્દષ્ટિ પણ ચૂકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતર્દષ્ટિ નહિવત અથવા તદ્દન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ છે છત એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જેનપણને વિસ્તાર તે ગયો અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા. અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલો, ટેકરીઓ, શહેરની બહારના ભાગમાંથી સાધુગણું લેકવસતિમાં આવતો ગયો. સાધુસંસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ લોકસંસર્ગજનિત કેટલાક દેશે સ્વીકાર્યા હોય, તો તેની સાથે જ સાથે તે સંસ્થાએ લોકેામાં કેટલાક પિોતાના ખાસ ગુણો પણ દાખલ કર્યા છે, અને તેમ કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગીએ માત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પિતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નોંધ તે એમની સાથે જ ગઈ, કારણ કે એમને પિતાના જીવનની યાદી બીજાઓને સોંપવાની કશી પડી જ ન હતી. પણ જેઓએ અંતર્દષ્ટિ હોવા છતાં કે ન હોવા છતાં, અગર ઓછીવત્તી હોવા છતાં લોકકાર્યમાં પિતાના પ્રયત્નો ફાળો આપેલો હતો તેની નેંધ તો આપણી સામે વજીલિપિમાં લખાયેલી છે. એકવારના ઘરેઘર, માંસભેજી અને મદ્યપાઈ જનસમાજમાં, જે માંસ અને મદ્ય તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય
Page #16
--------------------------------------------------------------------------
________________
કામ તાજી અને ફરી અપ્રતિ
૭૦
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું
ગૂજરાતની જનપ્રકૃતિની અહિંસા એ જૈન ધર્મને આભારી છે, અને આપણે જાણવું જોઈએ કે જેન ધર્મ એ સાધુસંસ્થાને આભારી છે સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તો ચાલ્યા જ કરતું કે તેઓ જ્ય જાય ત્યાં સાત વ્યસનના ત્યાગનો શબ્દથી અને જીવનથી પદાર્થ શિખવે. માંસને તિરસ્કાર, દારૂની ધૃણું અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમજ બ્રહ્મચર્યનું બહુમાન; આટલું વાતાવરણ લોકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળો છે એની કોઈ ના પાડી શકે નહિ. જૈન પરંપરાએ અને બૌદ્ધ પરંપરાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હોત તો તેમને, અહિંસાનો આ પ્રયોગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તો કેટલી હદ સુધી સફળ નીવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છેડવવાનું કામ અવિચ્છિન્નપણે સાધુસંસ્થા ચલાવે જતી, એની અસર ઝનુની અને હિંસાપ્રકૃતિના આગંતુક મુસલમાનો પર પણ થયેલી છે. અને તે એટલી હદ સુધી કે ઘણું અહિંસાનાં કાર્યોમાં હિંદુઓ સાથે અને જૈનો સાથે મુસલમાનો પણ ઉભા રહે છે. કેટલાંક મુસલમાની રાજો અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની–ભૂતદયાની–લાગણી બહુ જ સુંદર છે. એટલે અત્યારની વર્તમાન સાધુસંસ્થાને તેમના પૂર્વજોએ બહુ જ કીંમતી ઉપજાઉ ભૂમિ સોંપી છે, અને શક્તિ હોય જેમાંથી ભારે પરિણામ નીપજાવી શકાય એ મહત્ત્વનો અલભ્ય વારસો સોંપ્યો છે.
પણ આજ સુધી જેમ મળેલ વારસા ઉપર નભાતું અને સંતોષ માની લેવાતો તેમ હવે રહ્યું નથી. દેશવ્યાપી આંદોલન અને દેશવ્યાપી ફેરફારે શરૂ થાય, બંધાર મકાનને બદલે નદીના અને સમુદ્રના તટો જ સભાનું સ્થાન લે એટલું લેકમાનસ વિશાળ બને, ત્યારે એ વારસાને વિકસાવ્યા સિવાય અથવા એને નવી રીતે ઉપયોગ કર્યા સિવાય રહી. શકાય જ નહિ. આજે સાધુસંસ્થા બાંધેલાં મકાનમાં છે. તેમની પાસે
Page #17
--------------------------------------------------------------------------
________________
સાધુસસ્થા અને તીસ સ્થા
૭૧
જનાર કુળધી જેના જ હેાય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હેાય છે. જે લેાકેા માંસ ખાય છે અને દારૂ છોડી શકતા નથી, તેવાએ તે સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસને ત્યાગ કરાવવાની, અને કતલ થયેલ ઢારનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરના ત્યાગ કરાવવાની ભારે જરુર ઉભી થઈ છે. આર્થિક અને નૈતિક બન્ને દૃષ્ટિએ દારૂના ત્યાગની જરૂર તા માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઉભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થાઓ જેમ ખીજા સંપ્રદાયના તેમ જૈન સંપ્રદાયના ધર્મગુરુઓને પશુ આહ્વાન કરે છે અને કહે છે કે “ તમે તમારુ કામ સંભાળા દાત્યાગ કરાવવા જેવી બાબતમાં તે અમારે વિચાર કરવાપણું હેાય જ નહિ, એ તે તમારા જીવન વ્યવસાય હતેા અને તમારા પૂર્વજોએ એ વિષે ઘણું કર્યું હતું. તમે સંખ્યામાં ધણા છે.. વખત, લાગવગ, અને ભાવના ઉપરાંત તમારું ત્યાગી જીવન એ કામ માટે પુરતાં સાધના છે. એટલે તમે ખીજું વધારે નહિ તે ફક્ત દારૂનિષેધનું કામ તા સંભાળી લ્યેા. આ મહાસભાની ( આજ્ઞા કહે ( કે, આમંત્રણ કહેા ) વેાણા Àાષણાને ઉત્તર જૈન સાધુસંસ્થા શે। આપે છે એના એના તેજના અને એના જીવનના આધાર છે.
છે. આ ઉપર જ
ઘણા જૈન ભાઇ બહેના અને ઘણીવાર સાધુએ એમ કહે છે કે ‘ આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. ખીજા પરદેશી આવનારાઓએ અને મુસલમાનએ જૈન ધર્મને આધાત પહેાંચાડયો છે. પણ આ અંગ્રેજી રાજ્યથી તા જૈન ધર્મીને આધાત પહેાંચ્યા નથી, ઉલટું તેને રક્ષણુ મળ્યું છે. ' લેાકેાની આ માન્યતા કેટલી ખરી છે એ જરા જોઈએ. જૈન સાધુઓની ખરી મિલ્કત, ખરી સંપત્તિ, અને ખરા વારસા તા એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દારૂત્યાગનું વાતાવરણ એ જ હતા; અને એ જ
.
Page #18
--------------------------------------------------------------------------
________________
૭ર
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી ત્યાજ્ય વસ્તુઓની બાબત ન લઈ માત્ર દારૂની જ બાબતમાં જોઈએ કે એના ત્યાગનું હજાર વર્ષના વારસા ઉપર, આ રાજ્ય પછી શી અસર થઈ છે. જે વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુઓને એમ લાગે છે તેમને જનતાગત દારૂત્યાગને વારસ, આ રાજ્ય આવ્યા પછી નવું અને નાબુદ થવા લાગ્યા છે, તો પછી એમણે વિચારવું જોઈશે કે આપણે જે જેનધામની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થ માં છે ? મંદિર અને મૂર્તિઓ ઉપર કુહાડાઓ ને પડે. ભંડારે ન લૂંટાય, પણ જે હજાર વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ નાશ પામે, (જેને માટે જ મંદિર, મૂર્તિઓ અને ભંડારો હતા) તે આપણે શી રીતે કહી શકીએ કે આપણે ધર્મ–આપણો ધાર્મિક વારસો સલામત છે ? કોઈ દુષ્ટ પુરુષ, કોઈ બાઈનાં ઘરેણાં, કીંમતી કપડાં અને તેના કેમળ અંગોને જરા પણ નુકસાન પહોંચાડ્યા સિવાય જે તેની પવિત્રતાનો નાશ કરે છે તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય ? બીજી રીતે પણ આ વસ્તુ સ્પષ્ટ સમજે. ધારો કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લૂંટી લેતી વખતે એટલું પૂછે કે કાંતે તમે તમારા નૈતિક ગુણમાં બરબાદ થાઓ એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું નતિક જીવન ભ્રષ્ટ કરે, અને કાંતે મંદિર મૂર્તિ અને ખજાનાઓ મને સોંપી aો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળો. જે આ બેમાંથી એક જ માગણું પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તો તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને ખજાનાઓ સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખો કે, એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને ખજાનાઓ બચાવી રાખો? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તે તે શે ઉત્તર વાળશે? હું નથી ધારતો કે
Page #19
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીથ સંસ્થા
આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણ એક પણ જૈનસાધુ નૈતિક જીવનની પવિત્રતાને સશ્રેષ્ઠ ન માનતા હોય. આપણા દેશના ઇતિહ્રાસમાં એવા સેંકડે દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણીએ અને ખીજાએ એ પેાતાના પવિત્ર સંસ્કાર! સાચવવા ખાતર બધી જ માલમિલ્કત અને ધસ્થાન અને ખજાનાએ પણ દુશ્મનાને સોંપ્યા છે. એમણે દીર્ધ ષ્ટિથી જોયું કે જો શુદ્ધ સંસ્કારા કાયમ હશે તેા બહારની વિભૂતિઓ કાલે આવીને ઉભી રહેશે, અને એ નહિ હાય તા પણ પવિત્ર જીવનની વિભૂતિથી કૃતાર્થ થઈશું. કાલિકાચા કાષ્ટ સ્થૂલ માલમિલ્કત માટે નહાતા લડયા પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓને ભારેમાં ભારે કીંમતી સપ્ત વ્યસનના ત્યાગને વારસે જોખમમાં છે, એટલું જ નહિ પણ નાશના મુખમાં છે. અને ખાસ કરીને રાજત ત્રને લીધે જ એ વારસા જોખમાયલા છે, એવી સ્થિતિમાં કાઈ પણુ જૈન, ખાસ કરી સાધુગણુ આ રાજ્યને ધાર્મિક સક્ષામતીવાળું રાજ્ય ક્રમ જ માની શકે ?
જો અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે, ધાર્મિક સ્વતંત્રતાના મેાહક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ, અને ઘેરઘેર સરલતાથી પહેાંચી શકે એવી દારૂની પરમે, અને એની સાથે સાથે વધેલા વેશ્યાવાડાઓની દ્વારા સુંદર જૈનધર્મીના વારસાના ચેામેર નાશ થઈ રહ્યો છે, તેા પછી આજની સાધુસ સ્થાને શા ઉપયાગ કરવા એ પ્રશ્નના નિકાલ તેઓ કરી શકશે. જૈન સાધુઓને સપ્ત વ્યસનને ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હાતું. એમની સામે આવનાર નાનકડા શા વમાં આ પરત્વે કરાપણું કશું જ નથી, એટલે તેમનું કવ્યક્ષેત્ર કાંતા પીઠા પાસે અને કાંતા પીનારાઓના લત્તાઓમાં ઉભું થાય છે. આજે દારૂનિષેધની પ્રવૃત્તિમાં જે લેાકા કામ કરે છે તે બધા કરતાં એ જ્ઞાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુએ વધારે સારી રીતે કરી શકે એ
193
Page #20
--------------------------------------------------------------------------
________________
૭૪
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ખીતું છે. અલબત્ત હવે માત્ર નરકનાં ચિત્રો બતાવીને કે બ્લેક સંભળાવીને એ કામમાં વધારે સફળતા મેળવી નહિ શકાય. એમ સફળતા મેળવવાની સામગ્રી ઘણી નવી ઉભી થઈ છે. એ બધીને અભ્યાસ કસ્વાથી જૈન સાધુઓમાં જીવતું લોહી વહેશે અને તેઓને ચહેરા તેજસ્વી બનશે.
કેટલાક કહેશે કે “સાધુઓ પાસે કેઈ આવે તે તેઓ સમજાવે, અથવા એવા સમજાવવા લાયક માણસને તમે સાધુ પાસે પકડી લાવે તો સાધુએ ખુશીથી અને છુટથી સમજાવે પણ સાધુઓ જે પિતાના શાંત ભુવનમાં જ કામ કરતા આવ્યા છે તે પીઠે, પીનારાઓની વસ્તીઓમાં કે બીજે બહાર કયાં જાય, એ એમને ન શોભે અને ધર્મની હેલના પણ થાય.” આ કહેનારે જૈન સાધુસંસ્થાને ઈતિહાસ જાણ્યો જ નથી. ખરા પરાક્રમી અને શક્તિશાળી જેનસાધુઓ તે રાજસભામાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે, મેટામોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘરે, તથા લશ્કરની છાવણીઓમાં ગયા છે, અને સેંકડો સાધુઓ વ્યસનગ્રસ્ત લોકોની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ પિતાને ધર્મ વિસ્તાર્યો છે. શક્તિ ન હોવાનું, હિંમત ન હોવાનું કબુલવું એક વાત. છે, અને એ નબળાઈને ધર્મનું અંગ માનવું એ બીજી વાત છે. એટલે અત્યારની હિલચાલમાં ઉભા થયેલાં બીજા કેટલાય સાધુમર્યાદાયોગ્ય કર્તવ્યોને બાજુએ મૂકીએ તો પણ દારૂ નિષેધની હિલચાલ એવી છે કે જે માટે પોતાના નિતિક વારસાની દૃષ્ટિએ, સામાજિક ધર્મની દૃષ્ટિએ, દેશમાં જીવવા અને દેશનું લુણુ ખાવાની દૃષ્ટિએ અને છેવટે શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જૈન સાધુસંસ્થાએ જાહેરમાં આવી દેશકાર્યમાં ફાળો આપવો જ જોઈએ.
કેાઈ કહે છે કે “આવાં લૌકિક કાર્યમાં જૈન સાધુઓ પડે તો એમનો આધ્યાત્મિક ઉદ્દેશ ન રહે.” આમ કહેનાર આધ્યાત્મિકતા શું
Page #21
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા
૭૫ છે એ સમજતો જ નથી. આધ્યાત્મિકતા એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચોક્કસ બંધનમાં નથી હોતી, નથી રહી શક્તી, ઉલટું ઘણીવાર તો ગુંગળાઈ જાય છે. જે આધ્યાત્મિકતા
જીવનમાં હોય અથવા સાચે જ લાવવી હોય તે તેને કોઈ પણ સાથે વિરોધ નથી. કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પોષી શકાય, અને એ બધાથી છુટીને પણ ઘણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી આવે છે, જેને બાહ્ય કોઈ વસ્તુ સાથે વિરોધ નથી. અલબત્ત આધ્યાત્મિક જીવનની કળા જાણવી જોઈએ અને એની કુંચી લાધવી જોઈએ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને નામે પુરુષાર્થને અને પુરુષાર્થને ઘાત કરીએ છીએ. પુરુષાર્થ કરે. એટલે આધ્યાત્મિકતા પાસે જ છે. વગર નોતરે ઉભી જ છે. કેને દારૂ પીતા છેડવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છેડવવામાં (અને તે પણ અહિંસા ને સત્યધારા) સપુરુષાર્થ નહિ તો બીજું શું છે એનો જવાબ કેઈ આગમધર આપશે ?
વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાળીશ વર્ષને સાધુસંસ્થાનો ઈતિહાસ આપણને શું કહે છે તેમની આધ્યાત્મિકતાને પૂરાવો તેમાંથી કેટલે મળે છે ? છેલ્લા દશ વર્ષને જ . જે પક્ષાપક્ષી, કાર્ટબાજી, ગાળગલોચ અને બીજી સંકુચિતતાઓને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તો તો અનિચ્છાએ પણ કબુલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એક બાજુ દેશહિતના કાર્યમાં કશો જ ફાળો નહિ, અને બીજીબાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ નહિ એમ બન્ને રીતે દેવાળું કાઢીને કોઈ પણ ત્યાગી સંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી હજાર વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન. સાધુસંસ્થાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લોકોમાં
Page #22
--------------------------------------------------------------------------
________________
૭૬
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને માનભેર રહેવા ખાતર પણ આજની ચાલુ પ્રવૃત્તિમાં પિતાને વિશેષ ઉપયોગ વિચારે જ છુટકો છે.
કેટલાંક એવાં બીજાં પણ દેશની દષ્ટિએ મહત્ત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામો છે કે જેને ત્યાગી ગયું અનાયાસે કરી શકે. દા. ત. (૧) વકીલ અને બીજા અમલદારો જે સરકારી તંત્રના અન્યાયનું પિષણ કરી રહ્યા હોય તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પિલિસે અને સિપાઈઓ જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને આ દેશમાં જ રહેવાના છે તેઓ ફક્ત નવી નોકરી માટે અન્યાય ન કરે. જુઠું ન બોલે, ખુશામત ને કરે, ડરે નહિ અને દેશની સામાન્ય જનતાથી પિતાને અળગા ન માને એવી નિર્દોષ વસ્તુ પ્રેમ અને સત્યથી તેમને સમજાવવી (૩) કેળવણીને સાર્વત્રિક પ્રચાર કરવામાં જે ત્યાગી સ્વયંસેવકોની અપેક્ષા રહે છે તે પૂરી પાડવી. આ સિવાય બીજાં પણ હિતકારી કામે છે, પરંતુ જે સાધુસંસ્થા એક બાબતમાં સક્રિય થશે તો બીજાં કાર્યો અને ક્ષેત્રે એમને આપોઆપ સુઝી આવશે અને મળી આવશે.
જે અત્યારની વ્યાપક હિલચાલમાં જૈન સાધુએ સ્થિરતા અને બુદ્ધિપૂર્વક પોતાનું સ્થાન વિચારી લે, પિતાને કાર્યપ્રદેશ કી લે, તે સહેજે મળેલ આ તકને લાભ ઉઠાવવા સાથે તેમના જીવનમાંથી ફુકતાએ ચાલી જાય, કલહે વિરમે અને નજીવી બાબત પાછળ ખર્ચાતી અપાર શક્તિ અને કુંકાતો લાખને ધુમાડો અટકે અને એટલું તો દેશનું કલ્યાણ થાય, જેમાં જૈન સમાજનું કલ્યાણ તે પહેલું જ રહેલું છે.
ઉપરનાં કર્તવ્ય કેવળ જૈન સમાજની દૃષ્ટિથી પણ વિચારવા અને કરવા લાયક છે. એટલે થોડી શક્તિવાળા ભાગીઓ એ જ કાર્યોને નાના ક્ષેત્રમાં પણ કરી શકે.
Page #23
--------------------------------------------------------------------------
________________
સાધુ સંસ્થા અને તીર્થસંસ્થા
৩9
જો કે ખાસ પજુસણને પ્રસંગ હોઈ અને તેમાં પણ હાજર થયેલ જનતા મેટે ભાગે વેતાંબર હોઇ મેં, સાધુ શબ્દ વાપરેલો છે, કે જે જૈનસમાજ સાથે જ મુખ્ય સંબંધ ધરાવતો હોય તેમ સ્થૂળ રીતે લાગશે. પણ આ મારું કથન મર્યાદિત ક્ષેત્ર પરત્વે હોવા છતાં બધા જ સંપ્રદાયના અને બધી જ જાતના ત્યાગીઓ માટે છે. ખાસ કરીને દિગંબર સમાજ કે જે જેનસમાજને એક વગદાર ભાગ છે તે તે. મારા લક્ષ બહાર નથી જ, એ સમાજમાં આજે સાધુસંસ્થા વેતાંબર સમાજ જેવી નથી. હમણાં હમણાં જે પાંચ પચીસ દિગંબર સાધુઓ થયા છે, તેને બાદ કરીએ તો તે સમાજમાં સાધુસંસ્થાને ઘણી સદીઓ થયાં અંત જ આવેલો છે. તેમ છતાં એ સમાજમાં સાધુસંસ્થાની જગ્યા ભટ્ટારકે, એલકે અને બ્રહ્મચારી, તેમજ પંડિતોએ લીધેલી છે. એટલે એ બધાંને લક્ષીને, પણ આ કથન છે. કારણ કે વેતાંબર સમાજના યંભ મનાતા સાધુઓની પેઠે જ, દિગંબર સમાજમાં ભટ્ટારક, પંડિત વગેરેને. વર્ગ થંભરૂપ મનાય છે. અને એ પણ લગભગ સમાજ તેમજ રાષ્ટ્રની દૃષ્ટિએ પક્ષાઘાતગ્રસ્ત થઈ ગએલે છે. વેતાંબર હો કે દિગંબર, જેઓ પોતાને ધાર્મિક નહિ તે ઓછામાં ઓછું ધર્મપંથગામી ગુરુ અથવા ગુરુ જેવા માને છે અને બીજા પાસે મનાવે છે, તે જે વર્તમાન અદેલનમાં પોતાનું સ્થાન વિચારી, અંદરોઅંદરના. ઝઘડાઓ નહિ છોડે, નજીવી બાબતને મહત્ત્વ આપતાં નહિ અટકે, અને સ્થૂળ ચિહ્નોમાં તેમ જ બહારની વસ્તુઓમાં ધર્મ સમાયાની નાશકારક ભ્રમણમાંથી નહિ છૂટે તો બુદ્ધની ભાષામાં સમજવું જોઈએ કે તેઓ ભગવાન મહાવીરના ધમ્મદાયાદ એટલે ધર્મવારસાના ભાગીદાર નથી, પણ આમીષદાયદ એટલે ધર્મનિમિત્તે મળી શકે એટલા ભોગના ભોગવનારાઓ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છેવટે દેશની મહેનત મજૂરી અને ભક્તિ ઉપર જીવતા પચાસ લાખ જેટલા બાવા ફકીરે, અને સંતોને પણ જરા કહી દઈએ મહાસભા લાખો ગમે સ્વયંસેવકો માગે છે. સ્વયંસેવક વધારે સહનશીલ, ત્યાગી અને બીનવ્યસની તેમ જ કુટુંબકબીલાની ફિકર વીનાનો હોવો જોઈએ. આ ગુણો એ ત્યાગી વર્ગમાં વધારે હોવાની ઉમેદ રહે રહે છે. જનતા એટલે તેમનો ભક્તગણુ દુઃખી છે અને દરિદ્ર છે. તે ગુરુઓ પાસે આ ભીડના વખતમાં મદદ માગે છે. અત્યારે એ ગુરુવર્ગ જે સ્વયંસેવકની શાંત અને સુખી ગાદીઓ છેડી દે તે જ તેમની ગાદીઓની સલામતી છે. તેમનું તપ અને તેમને ત્યાગ હવે તેમના મઠોમાં કચરાઈ ગયો છે, નાશ પામે છે, હવે તો એ તપ, એ ત્યાગ જેલમાં જ અને મહાસભાના નિયંત્રિત રાજ્યમાં જ જીવી શકે તેમ છે. એ વાત આ વિશાળકાય યુગધર્મમાંથી તેમણે શીખી લેવી ઘટે. પોતાના ધર્મનું વામનરૂપ બદલી, તેમણે વ્યાપક રૂપ કરવું જ જોઈએ; નહિ તો એ વામનપણું પણ મરણને શરણ છે. તા. 24-8-30 સુખલાલ