________________
‘દ્વાદિંશદ્વાäિશિકા' ગ્રંથની સષ્ટિદ્વાચિંશિકા'ના | શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે.
જૈનાગમો ઉપર જબરજસ્ત ચિંતન-મનન કરી તેનાં રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કરનાર સમર્થ શાસ્ત્રજ્ઞ સૂરિપુંગવ પૂ.હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના મુમુક્ષુજનપ્રિય યોગશતક, યોગવિશિકા, યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય ઇત્યાદિ યોગગ્રંથોના પદાર્થો, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ તર્કબદ્ધ રીતે સંકલન સ્વરૂપે, સમવતાર સ્વરૂપે અને સંવાદી સ્વરૂપે સંગ્રહીત કર્યા છે; જેમાંથી પ્રાજ્ઞ મુમુક્ષુઓને અતિ આકર્ષણ કરે તેવા યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથના પદાર્થોનો અનુપમ અને વિશદ સંગ્રહ આ કાત્રિશિકા ગ્રંથની ૨૦ થી ૨૪ એમ કુલ પાંચ કાત્રિશિકામાં કરેલ છે.
૧૪૪૪ ગ્રંથના પ્રણેતા સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ લગભગ દરેક દર્શનના યોગગ્રંથોનું ઊંડું ચિંતન, મનન અને નિદિધ્યાસન કર્યા બાદ તે બધાના નિચોડ અને સમન્વયરૂપે આ “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથની રચના કરી છે, જેમાં દરેક દર્શનના અનુયાયીઓને માન્ય બને એવી શૈલીથી યોગમાર્ગને પ્રારંભથી અંત સુધી આવરી લીધો છે. તેથી યોગમાર્ગમાં પ્રવેશ કરવા ઇચ્છનારને આ ગ્રંથ જેટલો ઉપયોગી છે, તેટલો જ ઉપયોગી તેમાં પ્રવેશ કરેલાને સ્થિરતા અને વિકાસ સાધવા માટે પણ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રંથની આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org