________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવનને કાવ્ય તરીકે સ્વદષ્ટયનુસારે અમોએ આલેખ્યા છે તેથી તેમાં કાવ્યલક્ષણની અનેક નયદષ્ટિયોની સાપેક્ષતામાં વૃદ્ધિ થાય છે પરંતુ વિરોધ આવતું નથી. મનુષ્યોમાં ગુણે પ્રગટાવવા–મનુષ્યોની ઉન્નતિ કરવા–મનુષ્ય, દેશસમાજ અને ધર્મની પ્રગતિ કરી શકે અને આત્માની શક્તિની વૃદ્ધિ કરી શકે એવો જ્યાં ભાવ હોય તેને ગધ વા પધ કાવ્ય કહેવામાં આવે તો તેમાં કિંચિત વિરોધ આવતો નથી, અને ઉલટું તેવાં કાવ્યથી આધુનિક કાવ્ય પ્રગતિની દિશાને માર્ગ ખુલ્લો કરી શકાય છે એમ સુજ્ઞ, અનેક વિચારદષ્ટિ બિંદુઓથી અવલોકી શકશે.
સ્વહસ્તે આ કાવ્યની પ્રસ્તાવના લખવાના કરતાં અન્ય સાહિત્ય સાક્ષર બંધુઓ જે આ સંબંધી પ્રયત્ન કરશે તો તે ઉચિત ગણાશે એવું અવધીને અત્ર કિંચિત વર્તાવ આલેખવામાં આવ્યું છે.
શ્રીમાન માણસા સ્ટેટના ચાપત્કટવંશવિભૂષક રાઓળ શ્રી તખ્તસિંહજી દરબારે તથા વરસડા સ્ટેટના ચાપોત્કટ વંશવિભૂષક રાઓલ શ્રીસૂર્યમલજી દરબારે સાબરમતી કાવ્યને મેટો ભાગ બહાર પડતાં પૂર્વે વાંચ્યો હતો અને તેથી તેઓ અત્યંત ખુશ થયા હતા. વિજાપુરના કવિવર દેલતરામ,
www.kobatirth.org
For Private And Personal Use Only