Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ ૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ એક કહે કે એનાં ફળ હું લઉં. બીજો કહે કે એનાં ફળ હું લઉં. એવામાં નીકળ્યા વિમળવાહન. તે હાથી પર બેઠા છે અને દેવ જેવા શોભે છે. માણસો લડતાં લડતાં એમની પાસે ગયા અને કહ્યું : “બાપજી ! અમારી તકરાર પતાવો.’ વિમળવાહન કહે : “આ ઝાડ તમારું ને આ ઝાડ પેલાનું. જાઓ, કોઈ લડશો મા ! ખાઓ, પીઓ ને મોજ કરો !’ વિમળવાહન આ ટોળાના – કુળના સ્વામી થયા એટલે કુળકર કહેવાયા. આ વાતને વર્ષો વીતી ગયાં. કુળકર વિમળવાહન ગુજરી ગયા ને તેમની છ પેઢીઓ પણ ચાલી ગઈ. સાતમી પેઢીએ થયા નાભિ કુળક૨. તેમની પત્નીનું નામ મરુદેવા. તેમને રૂપરૂપના અંબાર ને કંચન જેવી કાયાવાળો એક દીકરો જન્મ્યો. તેનું નામ રિખવદેવ. તે લાડેકોડે ઊછરે છે ને મોટો થાય છે. એક દિવસ એક બાળા વનમાં ફરી રહી છે. સ્વર્ગની દેવી જેવી દેખાવડી, પણ નથી બિચારીને મા કે નથી બિચારીને બાપ ! બીજા માણસો તેને રખડતી જોઈને લાવ્યા નાભિ કુળકર પાસે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36