Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ ભરત–બાહુબલી - અયોધ્યા નામે નગર છે. ભગવાન ઋષભદેવ ત્યાં રાજ્ય કરે. ત્યાંના લોકોને ભગવાને બધું શીખવ્યું છે. ખાવું કેમ ને પીવું કેમ, ઊઠવું કેમ ને બેસવું કેમ. કામ શીખવ્યું ને કળા શીખવી. રૂડો એવો ધર્મ શીખવ્યો. પછી થયા બધુ ત્યાગી સાધુ. ભગવાનને સો પુત્રો. ભરત સૌથી મોટા. બાહુબલી નાના. અયોધ્યાની ગાદી ભરતને આપી. તક્ષશિલા સોંપ્યું બાહુબલીને. બીજા ભાઈઓને બીજા દેશ સોંપ્યા. ભરતના રાજ્યમાં બધે આનંદ આનંદ. પ્રજાને કોઈ પીડે નહીં ને ભૂંડું કામ કરે નહીં. ચોર-લૂંટારાની બીક નહીં. ભરત રાજા ગરીબનો બેલી ને દુખિયાનો તારણહાર ભડવીર, પણ જેવોતેવો નહીં. તેણે કર્યો વિચાર : “લાવ બીજા દેશો જીતું ને રાજાઓનો પણ રાજા થાઉં. ચક્રવર્તી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36