Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ ભરત–બાહુબલી અટારીઓ! બધું જ કાચનું. ભોંયે દર્પણ. નળિયાં પણ દર્પણનાં. જોતાં જ છક્ક થઈ જવાય. ઘણી વખત રાજરાજેશ્વર ચક્રવર્તી ભરતદેવ આવે ને આનંદ કરે. દર્પણના હોજમાં નહાય ને દર્પણના ફુવારા ઉડાડે. દર્પણની ખાટે સૂએ. દર્પણની હાંડીમાં રોશની થાય ને મહેલો બધા ઝગમગી ઊઠે. એક દી રૂડું સ્નાન કર્યું છે. સુંદર વસ્ત્રો પહેર્યા છે. તેલકુલેલ મહેકે છે ને આભૂષણો શોભે છે. આવા અરીસાભુવનમાં મોટું રૂપાળું દર્પણ. તેમાં મોટું જોયું. કેવું સુંદર ! ચંદ્ર જેવી કાન્તિ ને સૂરજ જેવું તેજ! એટલામાં નજર ગઈ એક આંગળી તરફ, ત્યાં ન મળે શોભા, સાદી સટાક ! ભરતદેવને થયો વિચાર આંગળી લાગે છે બેડોળ. એક નાનકડી વીંટી તેના વિના આટલી બેડોળ! ત્યારે શું આભૂષણોને લીધે જ રૂપ છે ? ખરું રૂપ જરાય નથી? લાવ જોઉં તો ખરો કે ઘરેણાં વગર બીજાં અંગો કેવા લાગે છે ! માથેથી મુગટ ઉતાર્યો. કાનેથી કુંડળ ઉતાર્યા. હાથેથી બાજુબંધ ઉતાર્યા. કેડેથી કંદોરો ઉતાર્યો. પગમાંથી પાવડીઓ કાઢી. ખભેથી ખસ કાઢ્યો. બધાં ઘરેણાં દૂર કર્યા. રૂપ કેટલું બદલાઈ ગયું! પહેલાંના કરતાં હજારમા ભાગનુંયે ના મળે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36