Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
૩૦
જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧
સેવામાં. દાસદાસીઓનો હિસાબ નહીં.
ભરતેશ્વર મોટા દાનેશ્વરી.
તેમણે બાંધી દાનશાળા. દૂર દેશથી લોકો આવે, ધનહિણાને ધન આપે, નવસ્ત્રાને વસ્ત્ર આપે. ઢોર આપે, ઢાંખર આપે. આપવા જેવું બધું આપે. લેનારો થાકે, પણ દેનારો તો થાકે જ નહીં.
એક બાંધી ભોજનશાળા. જમવું હોય તે જમી જાય. કોઈને કોઈ રોકે નહીં. ભૂખ્યા ભોજન જમતાં જાય. રૂડી આશિષ દેતાં જાય.
વિદ્યાશાળાઓ ને પાઠશાળાઓ, કસરતશાળાઓ ને અખાડાઓ ભરતના રાજ્યમાં ઠેકઠેકાણે.
ભારતના રાજ્યમાં સોનાની તો કિંમત નહીં. લોકો તો કહેતા, “ભરતની પ્રજા જેવી કોઈ પ્રજા સુખી નથી. તેના જેવી સમૃદ્ધ નથી. ભારતના જેવો ઇન્સાફ નહીં. તેના જેવો ન્યાય નહીં. ભોગી હોય કે જોગી હોય, વૃદ્ધ હોય કે જુવાન હોય, સૌ તેનાં વખાણ કરે.
ભરતે મોટા મહેલો બંધાવ્યા. અદ્ભુત રચનાવાળા ને અદ્ભુત કારીગરીવાળા.
બધા મહેલોમાં અરીસાભુવન બહુ સુંદર. દર્પણની ભીંતો ને કાચનાં બારીબારણાં, કાચના થાંભલા. શું જાળીઓ કે શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 30 31 32 33 34 35 36