Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ ભરતદેવને વિચાર થયોઃ હું કેટલો મૂર્ખ કે આ ખોટા રૂપમાં રાચ્યો. આ બધી બહારની વસ્તુનું જ રૂપ ! મારું રૂપ કાંઈ નથી. આ ખોટા રૂપમાં હું રાજા થઈને ભાન ભૂલ્યો. ધિક્કાર છે મને. ૩૨ ઊંડા વિચારમાં ઊતર્યા. આભૂષણો તો આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પામવાનું. એનો વળી મોહ શો ? વિચા૨માં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ. પ્રભુ સાથે પ્રેમ કર્યો. રૂડો વૈરાગ્ય જાગ્યો. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટ્યું કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા. હવે પૂરા થયા. એ રાજા ભરતદેવ અને એ રાજા બાહુબલી વજ્રથી વધુ કઠોર હતા, પણ ફૂલપાંખડી જેવા કોમળ થયા. વીર તો હતા. પણ મહા-વીર થયા. એવા વીરોની જ જગતને જરૂ૨ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36