________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧
ભરતદેવને વિચાર થયોઃ હું કેટલો મૂર્ખ કે આ ખોટા રૂપમાં રાચ્યો. આ બધી બહારની વસ્તુનું જ રૂપ ! મારું રૂપ કાંઈ નથી. આ ખોટા રૂપમાં હું રાજા થઈને ભાન ભૂલ્યો. ધિક્કાર છે મને.
૩૨
ઊંડા વિચારમાં ઊતર્યા. આભૂષણો તો આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પામવાનું. એનો વળી મોહ શો ?
વિચા૨માં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ. પ્રભુ સાથે પ્રેમ કર્યો.
રૂડો વૈરાગ્ય જાગ્યો. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટ્યું કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા. હવે પૂરા થયા.
એ રાજા ભરતદેવ અને એ રાજા બાહુબલી વજ્રથી વધુ કઠોર હતા, પણ ફૂલપાંખડી જેવા કોમળ થયા. વીર તો હતા. પણ મહા-વીર થયા.
એવા વીરોની જ જગતને જરૂ૨ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org