Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧ અત્યાર સુધી લોકો જંગલમાં છૂટાછવાયા રહેતા, પણ રિખવદેવ રાજા થયા એટલે એક સુંદર શહેર વસ્યું. શહેરના ફરતો મજબૂત કોટ થયો. અંદર મોટાં મોટાં મકાનો ને મોટી મોટી શેરીઓ બની. મોટી મોટી બજારો બંધાઈ ને મોટા મોટા ચોક બન્યા. આ પ્રમાણે ઠેર ઠેર ગામ વસ્યાં, ને પુરપાટણ થયાં. જોતજોતાંમાં દેશમાં સઘળે સુધારો ફેલાયો. હવે તો લોકો હાથથી ખેતી કરે અને અનાજ પકવે, પણ હાથથી તે ખેતી કેટલો વખત થાય ? એટલે શ્રી રિખવદેવે લોકોને ગાય, ભેંસ, ઘોડા ઇત્યાદિ જંગલમાં રહેતાં જનાવરોને પાળતાં શીખવ્યું. લોકો જનાવર પાસે ખેતી કરાવવા લાગ્યા, ને ગાય, ભેંસ પાસેથી દૂધ પણ મેળવવા લાગ્યા. જનાવરની મદદથી ખેતી ખૂબ થવા લાગી, ને પાક પણ ખૂબ થવા લાગ્યો. પછી એકબીજામાં માલની લેવડદેવડ થઈ ને વેપાર શરૂ થયો. વેપાર પણ જોતજોતાંમાં ઘણો વધ્યો. આ પ્રમાણે બધી જાતનો સુધારો શ્રી રિખવદેવે દાખલ કર્યો. એથી તેઓ આજની માનવજાતિના પ્રથમ સુધારક ગણાય છે. આદિનાથ રાજપાટ ભોગવે છે ને આનંદ કરે છે. એવામાં એમને વિચાર આવ્યો કે લોકોને મેં કળાઓ તો શીખવી, પણ ધર્મ નથી શીખવ્યો; માટે ધર્મ શીખવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36