Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ વાસણો માણસોને બતાવીને કહ્યું: ‘આવાં વાસણો બનાવો ને તેમાં અનાજ રાંધો.' સહુએ હવે તેમ કરવા માંડ્યું. માણસો વાસણમાં રાંધે છે ને ખાય છે, પણ હવે વાસણો રાખવાં ક્યાં ? હવે તો પહેલાંનાં જેવાં શરીર પણ રહ્યાં નહિ. રાતવરત જંગલી જનાવરોના હુમલા થાય ને રક્ષણ કરવું પણ ભારે પડે. રિખવદેવે વિચાર્યું : “આમને હવે ઘર વિના નહિ ચાલે, માટે ઘર બાંધતાં શીખવું.” એટલે થોડા માણસોને બોલાવ્યા ને ઘર બાંધતાં શીખવ્યું. ત્યારથી માણસો ઘર બાંધીને જંગલમાં રહેવા લાગ્યા. પણ ઘર તે એમ ને એમ શોભે ? કાંઈક ચિતરામણ હોય તો ઠીક. શ્રી રિખવદેવે એથી કેટલાક માણસોને ચીતરતાં શીખવ્યું. પણ થોડા દિવસો ગયા ને બીજી ચિંતા ઊભી થઈ ! માણસોને નાગાં રખડતાં શરમ લાગી. તેમણે વિચાર્યું કે શરીર ઢાંકવા માટે કાંઈક હોય તો સારું, એથી ટાઢતાપ પણ ઓછાં લાગે. શ્રી રિખવદેવે જાણ્યું કે હવે માણસોને કપડાં વિના નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36