Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૧ . . . . . . જ રહે ! ભિક્ષા લેવા જાય, પણ માણસો જાણે નહિ કે તેમને શું અપાય ! કોઈ કહે, ‘આ ઘરેણાં લો !' કોઈ કહે, “આ કન્યા લો !' પણ સાધુને એ શું કામનો ? એમ કરતાં વરસ એક વીતી ગયું. રિખવદેવ ફરતાં ફરતાં હસ્તિનાપુર આવ્યા. લોકોના ટોળેટોળાં એમનાં દર્શન કરવા ઊમટી પડ્યાં ને પોતાને ઘેર ભોજન લેવાનાં નોતરાં દેવા લાગ્યાં, પણ રાજા રિખવદેવમાંથી સાધુ બનેલા ઋષભદેવ કશું બોલ્યા નહિ. એમ કરતાં આવ્યા શ્રેયાંસકુમારના મકાન આગળ. શ્રેયાંસકુમાર રિખવદેવના પુત્ર બાહુબલીના પૌત્ર થાય. લોકો ચારે બાજુએ ટોળે મળ્યાં છે ને કોલાહલ થાય છે. શ્રેયાંસકુમારે આ કોલાહલ સાંભળી છડીદારને કહ્યું : “બહાર જઈને તપાસ કર તો ! આટલો બધો અવાજ શેનો થાય છે ? છડીદારે બહાર જઈને તપાસ કરી, અને પાછા આવીને જણાવ્યું : “મહારાજ, શ્રી ઋષભદેવ ભગવાન, જે આપના વડદાદા છે તેઓ, પધાર્યા છે. તેમની આસપાસ લોકોનાં ટોળેટોળાં મળ્યાં છે. અને એથી આટલો બધો અવાજ થાય છે.” શ્રેયાંસકુમાર આ સાંભળી એકદમ દોડ્યા ને પ્રભુના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36