Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ તીર્થંકર શ્રી ઋષભદેવ و . . .ن.ت. બૂમ પાડતાં પાડતાં ગયા રિખવદેવ પાસે અને કહેવા લાગ્યા બાપજી ! જંગલમાં કોઈ ભૂત આવ્યો છે. તે બધાને બહુ હેરાન કરે છે. માટે એનું કાંઈ કરો.' રિખવદેવ કહે, “એને હાથથી અડશો મા. એની આસપાસથી ઘાસ કાઢી નાખજો ને તેના પર લાકડાં ધરજો. એવાં લાકડાં એકઠાં કરજો અને તમારું પલાળેલું અનાજ એનાથી રાંધજો. એ અનાજ ખાશો તો અપચો નહિ થાય.” માણસો સહુ જંગલમાં આવ્યા ને ઘાસ કર્યું દૂર. ધીમે ધીમે સળગતાં લાકડાં એકઠાં કર્યા ને બનાવ્યું મોટું તાપણું. પછી પલાળીને પોતાની મૂઠીમાં રાખેલાં અનાજ તાપણામાં નાખ્યાં. અને રાંધવાની રાહ જોતા બેઠા, પણ અનાજ તે એમ રંધાતાં હશે ? થોડી વારમાં બધું બળીને ખાખ થયું. પાછું તે શું મળે ? - માણસો કહે, ‘આ તો અલ્યા બહુ ભૂંડો ! જેટલું આપીએ છીએ તેટલું ખાઈ જાય છે, ને પાછું તો કાંઈ પણ આપતો નથી !” સહુ નિરાશ થઈને આવ્યા રિખવદેવ પાસે. રિખવદેવ હાથી પર બેઠા છે ને દેવ જેવા શોભે છે. તેમણે કહ્યું : “લાવો માટીનો લીલો પિંડો.” થોડી વારમાં પિંડો આવ્યો. રિખવદેવે તે પિંડો હાથીના માથા પર મૂક્યો ને તેનાં સુંદર મજાનાં વાસણો બનાવ્યાં. એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36