Book Title: Rajarshi Prasannachandra Mahamantri Abhaykumar Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ વનમાનવ જેવા છે. શરીરે ભારે બળવાન. જંગલોનાં જંગલો ફરી વળે. ભયનું નામ ન જાણે. વાઘ-દીપડાનો ડર નહીં. નદી-તળાવ ગમે તેવાં તરી જાય, પણ મહારાજ, આપની માતા નાનો મૂકીને મરી ગયાં, ને પછી તાપસોના આશ્રમમાં સ્ત્રી ક્યાંથી હોય? એટલે કોણ સ્ત્રી ને કોણ પુરુષ, એવા એમને ભેદ જ નથી. અરેરે, આપના ભાઈની આવી દશા ! એક રાજકુમારની કેવી હાલત ! વગડાનાં કેવાં દુઃખ ! આશ્રમનાં કેવાં ખાવા-પીવાં !” રાજા પ્રસન્નચંદ્ર કહે, “ધિક્કાર છે મને. મારો નાનો ભાઈ આ રાજનો મારા જેટલો જ હકદાર છે. અરે, ચાલો, આપણે તેને તેડી લાવીએ.' ના મહારાજ, આપ જશો તો પણ આપના પિતાજી એને નહીં મોકલે. પિતાજીનો એના પર ખૂબ પ્રેમ છે; પણ એ પ્રેમ એનું ભવિષ્ય બગાડે છે.” રાજાજીએ રાજની કુશળ ગણિકાઓને બોલાવી. આ ગણિકાઓ રાજકાજમાં ચતુર ને ભણેલી રહેતી. તેઓએ વલ્કલચીરીને નગરમાં લાવવાનું કામ માથે લીધું. તાપસીઓનો વેશ પહેરી તેઓ જંગલમાં ગઈ. ઋષિ સોમચંદ્ર ધ્યાન માટે ક્યાંય ગયા હતા. ફળની છાબડી ભરીને આવતો વલ્કલચીરી એમને રસ્તામાં મળ્યો. વલ્કલચીરીએ આ દેખાવડા ને હેત આવે એવા તાપસોને જોઈ કહ્યું છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36