Book Title: Rajarshi Prasannachandra Mahamantri Abhaykumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 26
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ ...... ... રાક્ષસ કહે, “વાહ! આ તો ભારે સત્યવાદી. સત્યવાદીને કોણ ખાય?” તે બોલ્યોઃ “બહેન ! તને જીવતદાન છે.” પછી મળ્યા ચોર. ચોર કહે, “આ તો ખરેખરી સાચાબોલી. સાચાબોલીને કોણ લૂંટે?’ તેમણે કહ્યું: ‘જા, બહેન જા. અમારે તને નથી લૂંટવી. રાતે સ્ત્રી ઘેર આવી.” હવે ભાઈઓ તમે સહુ કહો કે પેલી સ્ત્રીનો ધણી, ચોર, રાક્ષસ અને માળી: એ ચારમાં કોણ ચડે ? કોઈ કહે, ‘માળી' કારણ કે રાતે જુવાન બાઈ પાસે આવી તેને બહેન સમાન ગણી.” કોઈ કહે, “એનો ધણી, કારણ કે વચન પાળવા આવી જાતની રજા આપી.” કોઈ કહે, “રાક્ષસ, કારણ કે જુવાન બાઈને જીવતી મૂકી.' ત્યારે એક જણ કહે, “ચોર, કારણ કે આવાં ઘરેણાંગાંઠો લૂંટવાનાં મળ્યાં, પણ છોડી દીધાં.” અભય કહે, “જરૂર આ જ કેરીનો ચોર.” તેને તરત જ પકડ્યો. તે પણ માની ગયો કે હું ચોર છું. એક વખત રાજગૃહી પર ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36