Book Title: Rajarshi Prasannachandra Mahamantri Abhaykumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ મહામંત્રી અભયકુમાર ર૯ .. . . ..... છે. તે ક્યારે આવે ?” પેલી બાઈઓએ કહ્યું: “અરે ભાઈ આવી વાત શોભે !' દાસી તે દિવસે પાછી ગઈ. બીજો દિવસ થયો એટલે દાસીઓ ફરી પાછી આવી. ત્રીજા દિવસે આવી, ત્યારે આ સ્ત્રીઓએ કહ્યું: “બહેન! અમારી સાથે અમારો એક ભાઈ છે. તે આજથી સાતમે દિવસે બહારગામ જવાનો છે. તે વખતે મહારાજ ભલે પધારે.” અહીં અભયકુમારે એક માણસને બનાવ્યો ગાંડો. ખાટલામાં બાંધીને હંમેશાં વૈદને ત્યાં લઈ જાય. તે વખતે પેલો પાડે બૂમઃ ‘હું રાજા પ્રદ્યોત છું. મને આ લઈ જાય છે. કોઈ છોડાવો રે !” લોક આ સાંભળી હસે. સાતમે દિવસે પ્રદ્યોત અભયકુમારને ઘેર આવ્યો એટલે તેને પકડીને ખાટલા સાથે બાંધી દીધો. પછી ખાટલો ઉપાડી અભયકુમાર બહાર નીકળ્યો. પ્રદ્યોત બૂમ પાડવા લાગ્યો: હું રાજા પ્રદ્યોત છું, મને આ લઈ જાય છે. કોઈ છોડાવો રે!” લોકો આ સાંભળી હસવા લાગ્યા. તેઓ સમજતા હતા કે આ બિચારો ગાંડો છે, એટલે રોજ રોજ આમ બૂમ પાડ્યા કરે છે ! અભય પ્રદ્યોતને રાજગૃહી લાવ્યો. પ્રદ્યોતને જોતાં જ શ્રેણિક ખૂબ ગુસ્સે થયા અને મારવા દોડ્યા, પણ અભયે કહ્યું : “પિતાજી, એ આપણા મહેમાન છે. તેમના ઉપર જરાયે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36