Book Title: Rajarshi Prasannachandra Mahamantri Abhaykumar Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 5
________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર સોહામણું પોતનપુર નામે શહેર છે. રાજા પ્રસન્નચંદ્ર ત્યાં રાજ કરે. ભારે પ્રજાપ્રેમી ને અદલઇન્સાફી. ખોટું બોલે નહિ, ખોટું ચાલે નહિ. ન્યાયથી પ્રજાને પાળે ને દુનિયાનાં દુઃખ કાપે. રાજાજી એક દિવસ રાજસભામાં બેઠા છે. ત્યાં કોઈએ આવીને ખબર આપ્યાઃ વનજંગલમાં આપના એક ભાઈ છે. એનું નામ વલ્કલચીરી. સંન્યાસી થયેલા આપના પિતા સોમચંદ્ર એને ઉછેરે છે. જૂની વાત છે. આપ બાળક હતા. જૂના રિવાજ પ્રમાણે મોટી ઉંમરે આપના પિતા રાજ છોડી વનમાં ગયા, ત્યારે આપનાં માતા પણ સાથે ગયેલાં. એ વેળા આપનાં સતીમા ગર્ભવંતાં હતાં. તેઓ જંગલમાં વલ્કલચીરીને જન્મ આપી મરી ગયાં. પિતા સોમચંદ્રે એને ઉછેરીને મોટા કર્યા. બીજું તો ઠીક, પણ મહારાજ ! એ આપના ભાઈ ખરેખર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36