________________
શું છે એજ નજરે પડે પણ ખરાબ ચીજો દેખાય જ નહિ એ રીતે જીવે છે તેમાં ઇન્દ્ર મહારાજાએ દેવલોકમાં દેવની સભામાં આ ગુણની પ્રશંસા કરી તેમાં કોઇ દેવને એ વાત સહન થઇ શકી નહિ માટે એકવાર કૃષ્ણ મહારાજાની સવારી આવતી હતી તે રસ્તામાં એક બાજુ ભયંકર દુર્ગધવાળો કુતરો વિકર્ણીને મરણ પામેલો મુક્યો અને તેમાં તેના દાંતની પંક્તિ એકદમ સુંદર સફ્ટ રીતે મૂકેલી. તેમાં સવારીમાં આવતા લોકો આ જએ છે તો દુર્ગધીના ભયથી જલ્દી આગળ જવા લાગ્યા જ્યારે કૃષ્ણ મહારાજાનો હાથી આવ્યો અને કૃષ્ણ મહારાજાની તે કુતરા ઉપર નજર પડી કે તરત જ દુર્ગધ કેટલો છે એ વિચાર કરવાને બદલે દાંતની પંક્તિ જોઇને થાય છે કે આની દંતપંક્તિ કેટલી સુંદર છે. એમ વિચાર કરી પ્રશંસા કરે છે. આમાં પણ આવી ભયંકર દુર્ગધી હોવા છતાં ગુણ જોવાનો તેમનો જે સ્વભાવ છે એ આમાં કામ કરે છે. બીજાના દોષ જોવાની. દ્રષ્ટિ રાખીને જીવન જીવીશું તો અખાડામાં જઇશું અન્ય જીવો તો હંમેશા દયા ખાવા લાયક છે. કર્મના ઉદયે દરેકમાં કોઇને કોઇ દોષ હોવાનો જ એ બધા કર્મના પરિણામો છે એમ વિચારવાનું છે.
શ્રેણિક મહારાજાની પણ સમજીતની શ્રધ્ધા કેટલી મજબૂત છે તે પરીક્ષા કરવા માટે પણ દેવ આવે છે. તેમાં બન્યું છે એવું કે ઇન્દ્ર મહારાજા પોતાના દેવોની સભામાં શ્રેણિક મહારાજાના સમકીતની પ્રશંસા કરતાં કહે છે કે એની શ્રધ્ધા એટલી મજબૂત છે કે કોઇ દેવ પણ એને ચલાયમાન કરી શકે નહિ. તેમાં જે મિથ્યાદ્રષ્ટિ દેવો હતા તેમાંના એકને થાય છે એમાં શું મોટી વાત. આ બને નહિ હું જાઉં અને એને ચલાયમાન કરી આવું. આવો વિચાર કરીને જે નગરીમાં શ્રેણિક મહારાજા રહેતા હતા ત્યાંસાધ્વીનું રૂપ લઇને આવે છે. કેવી સાધ્વી ? પેટમાં જીવ રહેલો છે. એટલે ગર્ભવાળી. હાથમાં કંકણ પહેરેલા છે, કપાળે ચાંલ્લો કરેલો છે, ગળામાં હાર પહેરેલા છે અને હાથમાં ઓઘો, દાંડો, પાતરા લઇને વહોરવા માટે બજાર વચ્ચથી નીકળે છે. તે જ વખતે શ્રેણીક મહારાજા હાથી ઉપર બેસી પસાર થાય છે અને આ દ્રશ્ય જુએ છે. હાથી ઉપરથી નીચે ઉતરી મFણ વંદામિ કહી શ્રેણિક મહારાજા વિચારે છે કે કેવો જોરદાર કર્મનો ઉદય પેદા થયેલો છે ? હશે ? પધારો. મને લાભ આપો. એમ વિચારી પોતાના ઘરે લઇ જાય છે. ભોયરામાં રાખે છે અને ગોચરી, પાણી વહોરાવી દવા આદિની વ્યવસ્થા કરે છે અને સેવામાં બાઇઓને મૂકે છે. પેલો દેવા રાજાના પરિણામ વારંવાર જુએ છે પણ શ્રેણિક રાજાને થાય છે કેવો કર્મનો ઉદય છે. કર્મના પરવશથી આવું બની પણ શકે એમાં શું નવાઇ ? શાસનની અપરાધના ન થાય માટે વ્યવસ્થા કરે છે અને પરિણામ દ્રઢ થતાં જાય છે. ભક્તિના દિન દિન ચઢતે રંગે પરિણામ ચાલે છે. એ રીતે સાત દિવસ સુધી પરિણામની ધારાની સ્થિરતા જોઇને દેવ પ્રસન્ન થઇને કહે છે કે જેવા ઇન્દ્ર વખાણ્યા એનાથી ચઢીયાતી શ્રધ્ધાવાળા છે. આ રીતે પ્રશંસા કરીને દેવ જાય છે. શ્રેણિક મહારાજાના અંતરમાંતો એજ શ્રધ્ધા, એજ વિશ્વાસ અને એજ વિચારણા ચાલે છે. એમાં કોઇ ફ્રાર નહિ, ગુરૂ ભગવંતને પ્રાયશ્ચિત આપવું હશે તે આપશે મારે તો મારું કર્તવ્ય અદા કરવાનું છે.
આ અપેક્ષાએ આપણા અંતરમાં શ્રધ્ધા કેટલી. ? ભગવાનના શાસનમાં મજબૂત શ્રધ્ધા હોય તોજ જીવ આમ વિચારી શકે.
આટલું પચાવવાનું પૂણ્ય આપણી પાસે હોય તો બીજાના દોષોને પચાવવાનું પૂણ્ય પ્રાપ્ત થાય. અત્યારે આપણે તો કોઇ જીવનો દોષ દેખાયો કે સાંભળ્યો કે તરત જ એને સંભળાવવા કે બીજાને સંભળાવવા માટે તેના પર તૂટી પડીએ છીએ માટે સાસુ વહુના-બાપ દીકરાના દોષને પચાવી નથી શકતા. આપણા દોષ કાઢવાની અને બીજાના દોષ સમજવાની શક્તિ પેદા થાય એનું નામ પુણ્યાનુબંધિપુણ્ય કહેવાય છે.
બીજાના દોષને પચાવવાની શક્તિથી જ સવિ જીવ કરું. શાસન રસીની ભાવના આવશે.
જેની ચાલ વારંવાર બદલાય તેને અશુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. જે ચીજ યાદ કરવા લાયક નથી તે આપણાથી યાદ થાય નહિ.
Page 46 of 64