Book Title: Prachin Jain Lekh Sangraha Part 02 Author(s): Jinvijay Publisher: Jinagna Prakashan Ahmedabad View full book textPage 9
________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨ મળતું નથી એટલે જાહેર કરી દે છે કે અમે બરાબર તપાસ કરી છે. આવો કોઈ શિલાલેખ ત્યાં છે જ નહિ. સાચી વાત છે, ભાઈ. આજે એ વાંચવા મળતો નથી. કારણ? શ્રી જિનવિજયજી લખે છે તેમ “કર્નલ ટોડના કથન પ્રમાણે, પરસ્પર એક બીજા સંપ્રદાયોએ પણ આપસની ઈર્ષ્યા અને અસહિષ્ણુતાના લીધે આવા શિલાલેખોને નષ્ટ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે.” એ જ માનવું પડે તેમ છે. તો પણ આ ઐતિહાસિક ઘટનાને તો કોઈ ભૂંસી શકે તેમ નથી, શિલાલેખ ભલે ભૂસાઈ જાય. કારણ કે તેને રાજ્યના પુસ્તકથી માંડીને આપણા પુસ્તકો સુધી બધામાં સાચવીને રાખેલો છે. એના આધારે કોઈ વિચારક માણસ ચોમાસામાં થયેલી પ્રતિષ્ઠાનો ઇન્કાર કરી શકે તેમ નથી. હવે વાંચો શ્રી જિનવિજયના શબ્દોમાં જ તેમનું અવલોકન : શત્રુંજય પર્વત ઉપરના લેખો શત્રુંજય પર્વત જૈન ધર્મમાં સૌથી મોટું તીર્થ મનાય છે તેના ઉપર સેકડો જિનમંદિરો અને હજારો જિનપ્રતિમાઓ સ્થાપિત છે. તીર્થની મહત્તા અને પ્રાચીનતા જોતાં તેના ઉપર જેટલા શિલાલેખો મળવા જોઈએ તેટલા મળતા નથી. કારણો ઘણાં છે. જેમાં સૌથી મોટું કારણ તેના ઉપરના મંદિરોનું વારંવાર જે સમારકામ થાય છે, તે છે. આગળના વખતમાં ઐતિહાસિક વૃત્તાંતો તરફ લોકોનું વિશેષ લક્ષ્ય ન હોવાથી મંદિરોનો પુનરુદ્ધાર કરતી વખતે તેમની પ્રાચીનતા જાળવી રાખવા તરફ બિલકુલ ધ્યાન અપાતું નહિ. તેથી શિલાલેખો વિગેરેને ઉખેડીને આડા અવળા નાંખી દેવામાં આવતા અથવા તો અયોગ્ય રીતે ભીતો ઈત્યાદિમાં ચણી દેવામાં આવતા હતા. કેટલાક ઠેકાણે ચૂનો, સીમેન્ટ, યા કળી આદિ પણ આવા શિલાપટ્ટો ઉપર લગાડી દીધેલાં જોવામાં આવે છે. કર્નલ ટૉડના કથન પ્રમાણે, પરસ્પર એકબીજા સંપ્રદાયોએ પણ આપસની ઈષ અને અસહિષ્ણુતાના લીધે આવા શિલાલેખોને નષ્ટ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. આવાં અનેક કારણોને લીધે શત્રુંજય ઉપર બહુ જ પ્રાચીન કે મહત્ત્વના શિલાલેખોનું અસ્તિત્વ રહ્યું નથી. મુંબઈ સરકારના આર્કિઓલોજીકલ સર્વે તરફથી મીકાઉસેન્સ (Consens) ઈ.સ. ૧૮૮૮-૮૯માં, આ પર્વત ઉપરના બધા લેખોની નકલો લીધી હતી. આ લેખોમાં, ૧૧૮ લેખો તેમને સારા ઉપયોગી જણાયા તેથી તેમણે એપિગ્રાફીઆ ઈન્ડિકા (Epigraphic indica) માં પ્રકટ કરવા માટે તેના પ્રકાશક ઉપર મોકલી આપ્યા. પ્રકાશકે, સુપ્રસિદ્ધ ઈતિહાસજ્ઞ ડૉ. જી. બુલ્ડર (Dr G Bhler) ને તેમનું સંપાદન કાર્ય સોપ્યું. તેમણે, ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી એપિગ્રાફીઆ ઈન્ડિકાના બીજા ભાગના છઠા પ્રકરણમાં, પોતાના વક્તવ્ય સાથે, એ લેખો પ્રકટ કયાં છે. ડૉ. બુરનું એ લેખોના વિષયમાં, નીચે પ્રમાણે કથન છે. “નીચે આવેલા ૧૧૮ લેખો તથા તેમનો સાર મી. કાઉસેન્સે ૧૮૮૮-૮૯ (ઈ. સ.)માં પાલિતાણા નજીકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 780