________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨)
૧૧
તપાગચ્છાધિપતિશ્રીના વારસદારો ચોમાસામાં ગિરિરાજની યાત્રા માટે પણ મોટો કોલાહલ મચાવે એ કેવું કહેવાય? અન્ય ગચ્છવાળા વિરોધ કરે તો તો સમજ્યા પણ તપાગચ્છવાળા જ તપાગચ્છાધિપતિની સત્તરમી શતાબ્દિની પરંપરાને પીટવા બેસી જાય એ આઘાતજનક નથી લાગતું?
આ જ વિષયને હવે આપણે જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪માં જોઈએ. આ પુસ્તકના લેખક છે : ત્રિપુટી મહારાજ. એટલે કે મુનિરાજશ્રી દર્શનવિજયજી, મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજશ્રી ન્યાયવિજયજી, શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા તરફથી વિ.સં. ૨૦૨૦ની સાલમાં આ પુસ્તક પ્રકાશિત થયું છે. તેમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજાની વાત લખતા આ જ ગિરિરાજની પ્રતિષ્ઠા બાબતને પણ યાદ કરે છે. એ વિગત ત્રિપુટી મહારાજના જ શબ્દોમાં વાંચવી સૌને ગમશે. અસરકારક રહેશે : પ્રતિષ્ઠાઓ –
આ અરસામાં મુસલમાનોએ ધમધતાથી ઘણાં હિંદુ તીથ, જૈન તીર્થો, હિંદુ દેવળો, જિનાલયો તથા શૈવ-વૈષ્ણવ પ્રતિમાઓ અને જૈન પ્રતિમાઓને ખંડિત કર્યા હતાં.
આ વિજયદાનસૂરિના ઉપદેશથી ઉપયુક્ત ક્ષતિને પહોચી વળવા ઠેર ઠેર જૈન તીથો જિનાલયોના જીણોદ્ધારો થયા. નવાં જિનાલયો બન્યાં તેમ જ ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા), ગાદી પ્રતિષ્ઠા વગેરે થયાં હતાં.
તેમણે હાડોતી દેશ, ટૂંઢાર પ્રદેશ, કચ્છ દેશ, માળવા દેશ, સૌરાષ્ટ્ર તથા લાટ (ગુજરાત) પ્રદેશના નગરોમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. એ રીતે શત્રુંજય મહાતીર્થ, ખંભાત, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગંધાર બંદર વગેરે સ્થળે મોટા ઉત્સવો સાથે ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.
શ્રી શત્રુંજય મહાતીર્થમાં મુક્તાઘાટ, યાત્રાસંઘો, ચાતુમાસ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ સં૧૫૮૭ના વૈ વ ૬ને રવિવારે ધન લગ્નમાં, શુદ્ધ નવાંશમાં સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ચિત્તોડના દોશી કમશાહ ઓશવાલે કરાવી શત્રુંજય મહાતીર્થનો સોળમો મોટો ઉદ્ધાર કરાવ્યો. તપાગચ્છની વડી પોપાળના આ વિજયધર્મસૂરિના શિષ્ય આ વિદ્યામંડનસૂરિના હાથે જ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ આનંદવિમલસૂરિ વિદ્યમાન હતા અને આ વિજયદાનસૂરિ પણ તે તીર્થમાં હાજર હતા.
એ પછી આ વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિએ સં. ૧૬ ૧૫ થી ૧૬૨૦ના ગાળામાં શત્રુંજય તીર્થમાં ઘણાં જિનાલયો તથા ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી, જેની ટૂંકી નોધ આ પ્રમાણે છે –
અમદાવાદના શાહ દેધર શ્રીમાલીના વંશમાં સંઘપતિ સુહિજપાલ ભાય મંગુ)ને સં" કુંઅરજી નામે પુત્ર હતો, જેને પન્ના નામે પત્ની અને વિમલદાસ નામે પુત્ર હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org