________________
૧૦
પ્રબુદ્ધ જીવન
ગાંધારીએ કરેલો વિલાપ તેમની પોતાની ભાષાની વાંચનમાળાઓમાં વાંચવાની ખાસ જરૂર છે. દુનિયાના વીરરસયુક્ત સાહિત્યમાં સૌથી સ૨સ ફકરાઓમાંનો આ એક છે...તે પણ કન્યાઓને વંચાવો. હાલ વિસારી દીધેલ ગંગાસ્તોત્ર...બાળપણમાં શિખવું જોઇએ. પુરાણોમાં પણ કેટલાંક ઉત્તમ ફકરા છે. નળ દમયંતીની કથા, સીતાની અગ્નિ-પરીક્ષા અને બીજો થોડો ખજાનો, જિજ્ઞાસાને સતેજ કરે એવો પણ તૃપ્તિ નહીં થાય એવો-પસંદ કરી વાંચનમાળાઓ બનાવવી.' આ પછી ઇતિહાસ, ભૂગોળ અને ધાર્મિક શિક્ષણની વાત કરતાં તેઓ લખે છેઃ ‘ઇતિહાસ, વાર્તાઓથી લાભ થાય છે. ત્રીસ-ચાલીસ વર્ષ ઉપર ‘મહાન સ્ત્રીઓ’ નામે એક બંગાળી પુસ્તક હતું...તેમાં પુણ્યશ્લોક રાણી અહલ્યાબાઇ, રાણી ભવાની, ચાંદબીબી વગેરેનાં જીવન ચરિત્રો આપેલાં હતાં. આવી જાતના ઇતિહાસ પ્રથમ શરૂ કરવા, હિંદુઓ મહાભારત અને રામાયણ જાણતા હતા..તેમણે બુદ્ધની વાર્તા પણ જાણવી જોઇએ. જેથી હિંદભૂમિનો ને ઐતિહાસિક જમાનાનો ખ્યાલ આવશે...ભૂગોળ આપણાં પવિત્ર યાત્રાનાં ધામો, તીર્થો, નદીઓનાં વર્ણનથી શરૂ કરવી.....અને ધીમે ધીમે તેમાં આખું હિંદ આવી જશે...ને દુનિયાના બીજા દેશો વિશે પણ શિખાશે. ગીતા, એક છેડેથી બીજા છેડા સુધી (સાદ્યન્ત) વાંચવી, સમજવી તથા પૂજવી જોઇએ. ‘વંદેમાતરમ' (રાષ્ટ્રગીત) પ્રત્યેક પ્રાંતિક ભાષામાં ઉતારી હંમેશાં સહુએ સાથે મળીને ગાવું-ઉચ્ચારવું જોઇએ. કેટલીક પવિત્ર તથા પ્રિય વસ્તુઓનું સામાન્ય ઉચ્ચારણ તે જ સાર્વજનિક જુસ્સાનો પાયો છે. આપણા પ્રાચીન સમય માટે ઘણાં પ્રેમ તથા માનની લાગણી કેળવાવી જોઇએ. પણ આશા, હિંમત તથા પરાક્રમનો મહાન જુસ્સો, ભાવિ માટે કેળવવો જોઇએ. આપણે યાદ રાખવું જોઇએ કે હિંદમાં ૧૫૦૦ વર્ષોથી કેળવણી બ્રાહ્મણોના વિચારને સ્વાધીન હતી..પણ હવે તેના ઉપર ક્ષાત્ર-વિચાર પ્રચલિત થવો જોઇએ. હાલના યુગમાં ઇશ્વર વીરેશ્વર (શૂરવીરોનો પતિ) છે.' અંતમાં તેઓ લખે છેઃ ‘આ રીતે આગળ
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ ભારતીય સંસ્કૃતિના ચાર મૂલાધાર ગ્રંથ છે. સમગ્ર વિશ્વનું સર્વપ્રથમ વાડ્મય છે. વાડ્મય પણ છે અને ચિન્મય પણ. ચિન્મય એટલે જ્ઞાનસ્વરુપ. વેદનો અર્થ જ થાય છે વિશુદ્ધ જ્ઞાન, વિમલ વિજ્ઞાન. વેદકાલીન આર્ષદ્રષ્ટાઓની આત્મદા, બલદા, ઋતંભરા, પ્રજ્ઞા થકી એપ્રગટ્યું છે. માનવ સંસ્કૃતિના ઉષઃકાળમાં રચાયેલું પ્રાચીનતમ સાહિત્ય છે. છતાં એની અંદર સમાયેલું સનાતન સત્ય સાંપ્રત સમાજને ય ઉપયોગી નીવડે એટલું ઊર્જસ્વી છે.
ભિન્ન ભાષા, વિભિન્ન ધર્મ, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ પ્રતિ આર્યોનો દૃષ્ટિકોણ કેટલો ઉદારમતવાદી હતો, કેટલો સમન્વયવાદી હતો, સંઘર્ષનો નહીં કિન્તુ સંસ્કૃતિ સંગમનો હતો એનું ઉત્કૃષ્ટ દષ્ટાંત તે અથર્વવેદનું ભૂમિસૂક્ત.
નને વિપ્રતી વદુધા વિવાવસ નાનાધમાં પૃથિવી યૌસમ્। सहस्रं धारा द्रविणस्य मे दुहां ध्रुवेव धेनुरनपस्फुरन्ती ॥ અર્થાત્ બહુવિધ ભાષા અને અનેકવિધ ધર્મોને પોષતી આ પૃથ્વી કામદુધા જેવી મને સહસ્ત્રધારાઓથી વૈભવસંપન્ન કરતી રહે.
બહુવિધ ધર્મોને, ધર્મના સિદ્ધાંતોને મથીને એમાંથી નવનીત તારવી લેવાની આ ઉદાત્ત આર્યદષ્ટિ છે. આ નો મદ્રા તવોયન્તુ વિશ્વતઃ (ૠ ૧.૮૯.૧) એમની સમન્વયવાદી વિચારધારાનો મુખ્ય પ્રવાહ છે. કોઇપણ દિશામાંથી આવતા ઉન્નત વિચારોને અપનાવી લેવાની આ સર્વગ્રાહી આર્યદષ્ટિ છે.
તા. ૧૬-૬-૯૬ અને તા. ૧૬-૭-૯૬
ચાલતાં તો હિંદમાતાના આશીર્વાદથી કંઇક ફતેહ અવશ્ય મળવી જોઇએ. જો કે આપણા પ્રયત્નોના પ્રથમ પગલામાં આપણે પડીએ-આખડીએ તો પણ હરકત નહિ.’
વેદ જેમ વિધ્ ધાતુ પરથી આવ્યો છે તેમ બાઇબલ શબ્દ મૂળ ગ્રીક બિબ્લોસ ધાતુ પરથી આવ્યો છે. એનો અર્થ થાય છે વિભિન્ન ગ્રંથો.
હું છું, પ્રિયબંધુ,
આપની નિવેદિતા (રામકૃષ્ણ-વિવેકાનંદ)
ભગિની નિવેદિતાનો આ એક જ પત્ર વાંચતાં કોઇને પણ લાગશે કેએમનું ખોળિયું વિદેશી હતું પણ એમનો આત્મા તો નખશિખ ભારતીય હતો, અરે કેવળ ભારતીય જ નહીં પણ સવાઇ ભારતીય. એમના ‘Our People'ના ઉદ્બોધનમાં જે આત્મીયતાનો ઉમળકો ને રણકો છે એવો તો કોઇક વિરલ રાષ્ટ્રભક્તમાં જ જોવા મળે, ભારતના અભ્યુદય કાજે એમણે તન, મન, ધનનો અર્ધ્ય ધરી દીધો. સમગ્રનું સમર્પણ એ એમના વ્યક્તિત્વનું વ્યાવર્તક લક્ષણ હતું. ટાગોરને મતે, માણસનું સત્યરૂપ, ચિત્તરૂપ કેવું હોય તે જેણે જેણે તેમને ઓળખ્યાં હશે તે બધાએ જોયું હશે...પ્રત્યેક દિવસે, પ્રત્યેક ક્ષણે જે કંઇ સૌથી શ્રેષ્ઠ હતું, જે કંઇ સૌથી મહાન હતું, તેનું જ તેમણે દાન કર્યું છે...તેઓ જેવાં ગંભી૨ ભાવુક હતાં તેવાં જ પ્રબળ કર્મી હતા. તેમણે અત્યંત પ્રેમપૂર્વક સંપૂર્ણ શ્રદ્ધા સહિત પોતાની જાતને ભારત વર્ષને સમર્પણ કરી હતી.
વેદ અને બાઇબલના સમાન સિદ્ધાંતો
I હેમાંગિની જાઇ
પોતાની અંદર રહેલાં સત્યના આસન ઉ૫૨થી ઊતરી તેમણે
ચૌટામાં માંચડો નહોતો બાંધ્યો. આ દેશમાં તેઓ પોતાનું જીવન મૂકતાં ગયાં છે, પણ પક્ષ નથી મૂકતાં ગયાં'...આ પત્ર પરથી પણ આપણે જાણી શકીએ છીએ કે ‘ભારતવર્ષના મંગલ પ્રત્યેની તેમની પ્રીતિ અત્યંત સાચી હતી. તે મોહ નહોતો, માણસમાં જે શિવ છે તે શિવને જ એ સ્ત્રીએ સંપૂર્ણપણે આત્મસમર્પણ કર્યું હતું. માણસના આ અંતર કૈલાસવાસી શિવને જે પોતાના સ્વામી રૂપે મેળવવા માગે છે તેની સાધના જેવી કઠિન સાધના બીજી કોની હોય ?’
વેદોની જેમ બાઇબલ પણ એક સળંગ ગ્રંથ નથી, કિંતુ ઇશ્વરીય પ્રેરણા થકી રચાયેલા ઇઝરાયલ દેશના જ્ઞાત-અજ્ઞાત ખ્રિસ્ત પૂર્વ-સમકાલીન અને પશ્ચાત્કાલીન પ્રભુના પયગંબરોના મુખમાંથી ચવેલી આર્ષવાણી છે. ઇશ્વરીય પ્રેરણા થકી નિર્માણ થયું છે પણ બાઇબલ ઇશ્વરનિર્મિત કે અપૌરુષેય નથી.
બાઇબલ આધ્યાત્મિક મહાકાવ્ય છે. જનકલ્યાણ અને જગદુદ્વાર કાજે આત્મબલિદાન દેનાર એક દૈવી પુરુષની-પ્રભુના પયગંબરની સત્ય-કથા છે. ખ્રિસ્ત ધર્મનું સા૨સર્વસ્વ છે. એક નૈષ્ઠિક ખ્રિસ્ત માટે એ જીવન-પ્રાણ આધાર છે. ઇશુના ભક્તો માટે પ્રભુની દિવ્યવાણી છે. નવચેતન અર્પતો જીવનનો ઝરો છે. બાઇબલનું પ્રકાશિત વાક્ય છે-Revelation 21.6 and he said unto me...I am Alpha
and Omega-the begining and the end. ..I will give unto
him that is athirst of the fountain of the water of life
freely-અર્થાત્ મુક્તહસ્ત થઇને તૃષિતોને જીવનનિર્ઝરમાંથી
જલપ્રાશન કરાવીશ.
બાઇબલના બે વિભાગો છે. જૂનો કરાર અને નવો કરાર-The old Testament & The New Testament. કરાર એટલે બે પક્ષો વચ્ચેનો સંબંધ. કરાર શબ્દપ્રયોગ બાઇબલનું ધર્મગ્રંથ તરીકેનું વિશિષ્ટ સ્વરૂપ સૂચવે છે. બાઇબલનો અભિગમ તત્ત્વજ્ઞાનનો નથી. એમાં જીવ-જગત, બ્રહ્મ-માયા જેવા પ્રશ્નોની છણાવટ કે તર્કબદ્ધ ચર્ચા ભાગ્યે જ મળે. બાઇબલમાં તો ઇશ્વર માનવ વિશે શું શું કરે છે, એની સાથે કેવો વ્યવહાર રાખે છે, સૃષ્ટિના સર્જન અને માનવીય ઇતિહાસના